આસામની બ્રહ્મપુત્રા નદીમાં બોટ ડુબી, એક સરકારી અધિકારી સહિત 10 લાપતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 14:09:35

આસામની બ્રહ્મપુત્રા નદીમાં બોટ પલ્ટી મારી હતી.જે બોટમાં કુલ 20 લોકો સવાર હતા અકસ્માત જેમાંથી 10 લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા પરંતુ અન્ય 10 લોકો લાપતા છે એની શોધખોળ ચાલી રહી છે

 


ધુબરીના મહેસૂલ અધિકારી સંજુ દાસ સહિત 20થી વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી જવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. SDRF, NDRF અને પોલીસ કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

छवि

આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ જ્ઞાનેન્દ્ર દેવ ત્રિપાઠીએ આ દુર્ઘટના અંગે માહિતી આપી હતી. માહિતી મળતા જ વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલી બોટ સ્વદેશી બનાવટની મિકેનિકલ બોટ છે. SDRF, NDRF અને પોલીસ કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

छवि

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે સવારે ધુબરી જિલ્લાના ભાસાની નગર સ્થિત બ્રહ્મપુત્રા નદીમાં થઈ હતી. ધુબરીના મહેસૂલ અધિકારી સંજુ દાસ સહિત 20થી વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી જવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોટમાં સવારે લગભગ 20 લોકોમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ રેવન્યુ ઓફિસર સંજુ દાસ સહિત 10 લોકો લાપતા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે પરંતુ હજુ સુધી કોઈનો પત્તો લાગ્યો નથી.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.