આસામની બ્રહ્મપુત્રા નદીમાં બોટ ડુબી, એક સરકારી અધિકારી સહિત 10 લાપતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 14:09:35

આસામની બ્રહ્મપુત્રા નદીમાં બોટ પલ્ટી મારી હતી.જે બોટમાં કુલ 20 લોકો સવાર હતા અકસ્માત જેમાંથી 10 લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા પરંતુ અન્ય 10 લોકો લાપતા છે એની શોધખોળ ચાલી રહી છે

 


ધુબરીના મહેસૂલ અધિકારી સંજુ દાસ સહિત 20થી વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી જવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. SDRF, NDRF અને પોલીસ કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

छवि

આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ જ્ઞાનેન્દ્ર દેવ ત્રિપાઠીએ આ દુર્ઘટના અંગે માહિતી આપી હતી. માહિતી મળતા જ વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલી બોટ સ્વદેશી બનાવટની મિકેનિકલ બોટ છે. SDRF, NDRF અને પોલીસ કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

छवि

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે સવારે ધુબરી જિલ્લાના ભાસાની નગર સ્થિત બ્રહ્મપુત્રા નદીમાં થઈ હતી. ધુબરીના મહેસૂલ અધિકારી સંજુ દાસ સહિત 20થી વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી જવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોટમાં સવારે લગભગ 20 લોકોમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ રેવન્યુ ઓફિસર સંજુ દાસ સહિત 10 લોકો લાપતા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે પરંતુ હજુ સુધી કોઈનો પત્તો લાગ્યો નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.