લોરેન્સ બિશ્નોઇ પર લાંબા સમયબાદ આવી સલમાન ખાનની પ્રતિક્રિયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-27 18:25:10

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન કે જેમને ઘણા લાંબા સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ તરફથી ધમકીઓ મળી રહી છે . જોકે હવે આ મામલે સલમાનની ખુબ લાંબા સમય બાદ પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા તેમણે "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન આપી છે કે જે ૩૦ માર્ચના રોજ સિનેમા ઘરોમાં આવી રહી છે . આપને જણાવી દયિકે ૧૯૯૮થી જ સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઇ વચ્ચે અદાવત ચાલી રહી છે . તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી . 

Salman Khan | Biography, Family, Movies, Court Cases, & Philanthropic Work  | Britannica

સલમાન ખાનની ફિલ્મ "સિકંદર" કે જે ૩૦ માર્ચના રોજ ઈદના દિવસે આવી રહી છે. આ ફિલ્મમાં તેઓ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે ચમકી રહ્યા છે . હવે આ ફિલ્મને લઇને સલમાન ખાને એક પ્રમોશન ઇવેન્ટનું આયોજન કર્યું હતું . જેમાં તેમણે તેમના મુંબઈ સ્થિત ગેલેક્સી ઘર ખાતે જે હુમલો થયો હતો સાથેજ લોરેન્સ બિશ્નોઇ તરફથી ઘણીવાર તેમને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે તેને લઇને પ્રતિક્રિયા આપી હતી.  સલમાન ખાને પત્રકારોને કહ્યું હતું કે , " મીડિયાની સાથે હોઉં છુ ત્યારે હું સુરક્ષિત અનુભવ કરું છુ . હવે જિંદગી ગેલેક્ષીથી સ્ટુડિયો સુધીની રહી ગઈ છે . ભગવાન , અલ્લાહ બધું જ તેમની પર છે. જેટલી ઉમર લખવામાં આવી છે તેટલી લખેલી છે . ક્યારેક ક્યારેક આટલા લોકોને સાથે રાખીને ચાલવું પડે છે. બસ એ જ  પ્રોબ્લેમ થઈ જાય છે. " વર્ષ  હતું ૧૯૯૮નું , જયારે હમ સાથ હમ સાથ હેનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ ફિલ્મના મુખ્ય એક્ટર સલમાન ખાન અને સેફ અલી ખાનની સાથે જ અભિનેત્રીઓ તબુ , સોનાલી બીન્દ્રે , નીલમ પર આરોપ લાગ્યા હતા કે તેમણે જોધપુર નજીક કાળિયારનો શિકાર કર્યો હતો . બસ આ જ સમયથી અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઇ અને તેમના સાથીઓ તરફથી મારવાની ધમકીઓ મળતી રહે છે . કેમ કે બિશ્નોઇ સમાજ કાળીયારને પવિત્ર ગણે છે.  એપ્રિલ , ૨૦૨૪માં બે અજાણ્યા શખ્સોએ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ લોન્ચ કર્યું હતું . જોકે આ પછી પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી . આ પછી ઓક્ટોબર , ૨૦૨૪માં પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા આ લોરેન્સ બિશ્નોઇ દ્વારા  કરવામાં આવી હતી . આ પછી બિશ્નોઇ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી . 

તો આ મામલે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું . 



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .