જયા બચ્ચન, જુહી ચાવલા સહિતનાં બોલિવૂડ એક્ટરોએ જુનાગઢમાં લગાવી વેક્સિન! સર્ટિફિકેટ્સ સોશિયલ મીડિયામાં થયા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-23 14:49:29

થોડા વર્ષો પહેલા આવેલી કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. કોરોનાને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. ત્યારે કોરોના સામે જંગ લડવા વેક્સિનેશન અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવ્યું હતું. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનનો ડોઝ લોકોએ લીધો હતો. ત્યારે જૂનાગઢમાં વેક્સિનેશનમાં કૌભાંડ થયા હોવાની આશંકા સામે આવી છે. સોશિયલ મીડિયા પર વેક્સિનેશનના સર્ટિફિકેટ વાયરલ થયા છે જેમાં ફિલ્મ એક્ટ્રેસ જૂહી ચાવલા, જયા બચ્ચન સહિતના અભિનેતાઓનો સમાવેશ થાય છે. 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા માટે આવા વેક્સિનેશન સર્ટિફિટેક ઈસ્યુ કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. 

 આ તમામ બોગસ સર્ટિફિકેટની કોપીઓ છે. જેમાં જ્યા બચ્ચનની ઉંમર વર્ષ 23 એ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીનાબેન વ્રજલાલ વ્યાસ નામના મહિલા કર્મચારી પાસે રસી લીધી હતી. જેમાં પ્રથમ ડોઝ તા 30 જુલાઈ 2021 બીજો ડોઝ 30 ઓક્ટોબર 2021 અને પ્રિકોશન ડોઝ તા 3 ઓગસ્ટ લીધો હોવાનું સર્ટિફિકેટ મળી આવ્યું છે.


 મહિમા ચૌધરીએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રસી મુકાવીની માહિતી ફરતી થઇ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા બોગસ વેક્સિનેશન સર્ટિફિકેટના ફોટા

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. લોકો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રસીકરણ અભિયાનને લઈ અનેક વખત સરકાર પર આરોપ લાગ્યા છે. પરંતુ જૂનાગઢથી એવા અનેક ફોટા સામે આવ્યા છે જેમાં અભિનેતાઓને નામ પર બોગસ વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરાયા હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જયા બચ્ચન, જૂહી ચાવલા, મહિમા ચૌધરીના વેક્સિનેશન સર્ટિફિકેટ વાયરલ થયા છે.


જૂનાગઢમાં જયા બચ્ચન, મહિમા ચૌધરીએ લીધી વેક્સિન!

સર્ટિફિકેટ જે વાયરલ થયા છે તેમાં જયા બચ્ચનની ઉંમર 23 વર્ષની બતાવામાં આવી છે. મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમણે રસી હતી અને પ્રથમ રસી 30 જૂલાઈ 2021 જ્યારે બીજો ડોઝ 30 ઓક્ટોબરના રોજ લીધી હતી. તે ઉપરાંત સર્ટિફિકેટમાં મહિમા ચૌધરીની ઉંમર પણ 22 દર્શાવામાં આવી હતી .મહિમાએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી લીધી હતી તેવું બતાવવામાં આવ્યું છે. 

 મહિમા ચૌધરીએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રસી મુકાવીની માહિતી ફરતી થઇ છે.

100 ટકા વેક્સિનેશન બતાવા કરાયું કૌભાંડ! 

એવું માનવામાં આવી રહ્યું છે કે જૂનાગઢમાં 100 ટકા રસીકરણના આંકડા પર પહોંચવા માટે બોગસ સર્ટિફિકેટ બનાવામાં આવ્યા હોય. આ તમામ કૌભાંડ જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને વિસાવદર તાલુકામાં આચરાયું હોય તેવું લાગી રહ્યું છે. આ ફોટો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગના એડિ. ડાયરેક્ટરએ કહ્યું કે ગુજરાતમાં આ શક્ય નથી. જેમણે આવાં ખોટાં સર્ટિફિકેટ આપ્યાં છે તેમની સામે પગલાં લેવાય છે. આ અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.