જયા બચ્ચન, જુહી ચાવલા સહિતનાં બોલિવૂડ એક્ટરોએ જુનાગઢમાં લગાવી વેક્સિન! સર્ટિફિકેટ્સ સોશિયલ મીડિયામાં થયા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-23 14:49:29

થોડા વર્ષો પહેલા આવેલી કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. કોરોનાને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. ત્યારે કોરોના સામે જંગ લડવા વેક્સિનેશન અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવ્યું હતું. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનનો ડોઝ લોકોએ લીધો હતો. ત્યારે જૂનાગઢમાં વેક્સિનેશનમાં કૌભાંડ થયા હોવાની આશંકા સામે આવી છે. સોશિયલ મીડિયા પર વેક્સિનેશનના સર્ટિફિકેટ વાયરલ થયા છે જેમાં ફિલ્મ એક્ટ્રેસ જૂહી ચાવલા, જયા બચ્ચન સહિતના અભિનેતાઓનો સમાવેશ થાય છે. 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા માટે આવા વેક્સિનેશન સર્ટિફિટેક ઈસ્યુ કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. 

 આ તમામ બોગસ સર્ટિફિકેટની કોપીઓ છે. જેમાં જ્યા બચ્ચનની ઉંમર વર્ષ 23 એ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીનાબેન વ્રજલાલ વ્યાસ નામના મહિલા કર્મચારી પાસે રસી લીધી હતી. જેમાં પ્રથમ ડોઝ તા 30 જુલાઈ 2021 બીજો ડોઝ 30 ઓક્ટોબર 2021 અને પ્રિકોશન ડોઝ તા 3 ઓગસ્ટ લીધો હોવાનું સર્ટિફિકેટ મળી આવ્યું છે.


 મહિમા ચૌધરીએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રસી મુકાવીની માહિતી ફરતી થઇ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા બોગસ વેક્સિનેશન સર્ટિફિકેટના ફોટા

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. લોકો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રસીકરણ અભિયાનને લઈ અનેક વખત સરકાર પર આરોપ લાગ્યા છે. પરંતુ જૂનાગઢથી એવા અનેક ફોટા સામે આવ્યા છે જેમાં અભિનેતાઓને નામ પર બોગસ વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરાયા હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જયા બચ્ચન, જૂહી ચાવલા, મહિમા ચૌધરીના વેક્સિનેશન સર્ટિફિકેટ વાયરલ થયા છે.


જૂનાગઢમાં જયા બચ્ચન, મહિમા ચૌધરીએ લીધી વેક્સિન!

સર્ટિફિકેટ જે વાયરલ થયા છે તેમાં જયા બચ્ચનની ઉંમર 23 વર્ષની બતાવામાં આવી છે. મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમણે રસી હતી અને પ્રથમ રસી 30 જૂલાઈ 2021 જ્યારે બીજો ડોઝ 30 ઓક્ટોબરના રોજ લીધી હતી. તે ઉપરાંત સર્ટિફિકેટમાં મહિમા ચૌધરીની ઉંમર પણ 22 દર્શાવામાં આવી હતી .મહિમાએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી લીધી હતી તેવું બતાવવામાં આવ્યું છે. 

 મહિમા ચૌધરીએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રસી મુકાવીની માહિતી ફરતી થઇ છે.

100 ટકા વેક્સિનેશન બતાવા કરાયું કૌભાંડ! 

એવું માનવામાં આવી રહ્યું છે કે જૂનાગઢમાં 100 ટકા રસીકરણના આંકડા પર પહોંચવા માટે બોગસ સર્ટિફિકેટ બનાવામાં આવ્યા હોય. આ તમામ કૌભાંડ જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને વિસાવદર તાલુકામાં આચરાયું હોય તેવું લાગી રહ્યું છે. આ ફોટો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગના એડિ. ડાયરેક્ટરએ કહ્યું કે ગુજરાતમાં આ શક્ય નથી. જેમણે આવાં ખોટાં સર્ટિફિકેટ આપ્યાં છે તેમની સામે પગલાં લેવાય છે. આ અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.