જયા બચ્ચન, જુહી ચાવલા સહિતનાં બોલિવૂડ એક્ટરોએ જુનાગઢમાં લગાવી વેક્સિન! સર્ટિફિકેટ્સ સોશિયલ મીડિયામાં થયા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-23 14:49:29

થોડા વર્ષો પહેલા આવેલી કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. કોરોનાને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. ત્યારે કોરોના સામે જંગ લડવા વેક્સિનેશન અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવ્યું હતું. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનનો ડોઝ લોકોએ લીધો હતો. ત્યારે જૂનાગઢમાં વેક્સિનેશનમાં કૌભાંડ થયા હોવાની આશંકા સામે આવી છે. સોશિયલ મીડિયા પર વેક્સિનેશનના સર્ટિફિકેટ વાયરલ થયા છે જેમાં ફિલ્મ એક્ટ્રેસ જૂહી ચાવલા, જયા બચ્ચન સહિતના અભિનેતાઓનો સમાવેશ થાય છે. 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા માટે આવા વેક્સિનેશન સર્ટિફિટેક ઈસ્યુ કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. 

 આ તમામ બોગસ સર્ટિફિકેટની કોપીઓ છે. જેમાં જ્યા બચ્ચનની ઉંમર વર્ષ 23 એ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીનાબેન વ્રજલાલ વ્યાસ નામના મહિલા કર્મચારી પાસે રસી લીધી હતી. જેમાં પ્રથમ ડોઝ તા 30 જુલાઈ 2021 બીજો ડોઝ 30 ઓક્ટોબર 2021 અને પ્રિકોશન ડોઝ તા 3 ઓગસ્ટ લીધો હોવાનું સર્ટિફિકેટ મળી આવ્યું છે.


 મહિમા ચૌધરીએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રસી મુકાવીની માહિતી ફરતી થઇ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા બોગસ વેક્સિનેશન સર્ટિફિકેટના ફોટા

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. લોકો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રસીકરણ અભિયાનને લઈ અનેક વખત સરકાર પર આરોપ લાગ્યા છે. પરંતુ જૂનાગઢથી એવા અનેક ફોટા સામે આવ્યા છે જેમાં અભિનેતાઓને નામ પર બોગસ વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરાયા હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જયા બચ્ચન, જૂહી ચાવલા, મહિમા ચૌધરીના વેક્સિનેશન સર્ટિફિકેટ વાયરલ થયા છે.


જૂનાગઢમાં જયા બચ્ચન, મહિમા ચૌધરીએ લીધી વેક્સિન!

સર્ટિફિકેટ જે વાયરલ થયા છે તેમાં જયા બચ્ચનની ઉંમર 23 વર્ષની બતાવામાં આવી છે. મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમણે રસી હતી અને પ્રથમ રસી 30 જૂલાઈ 2021 જ્યારે બીજો ડોઝ 30 ઓક્ટોબરના રોજ લીધી હતી. તે ઉપરાંત સર્ટિફિકેટમાં મહિમા ચૌધરીની ઉંમર પણ 22 દર્શાવામાં આવી હતી .મહિમાએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી લીધી હતી તેવું બતાવવામાં આવ્યું છે. 

 મહિમા ચૌધરીએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રસી મુકાવીની માહિતી ફરતી થઇ છે.

100 ટકા વેક્સિનેશન બતાવા કરાયું કૌભાંડ! 

એવું માનવામાં આવી રહ્યું છે કે જૂનાગઢમાં 100 ટકા રસીકરણના આંકડા પર પહોંચવા માટે બોગસ સર્ટિફિકેટ બનાવામાં આવ્યા હોય. આ તમામ કૌભાંડ જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને વિસાવદર તાલુકામાં આચરાયું હોય તેવું લાગી રહ્યું છે. આ ફોટો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગના એડિ. ડાયરેક્ટરએ કહ્યું કે ગુજરાતમાં આ શક્ય નથી. જેમણે આવાં ખોટાં સર્ટિફિકેટ આપ્યાં છે તેમની સામે પગલાં લેવાય છે. આ અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.