બોલિવુડ અભિનેત્રી અને ભાજપના નેતા કંગના રણૌતને કરવો પડ્યો વિરોધનો સામનો! ચંડીગઢ એરપોર્ટ પર મહિલા ગાર્ડે મારી દીધો લાફો!


  • Published By :
  • Published Date : 2024-06-07 15:58:01

લોકસભા 2024ની ચૂંટણીઓમાં ઉત્તર ભારતની VIPમાં સીટોમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર ખુબ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. કેમ કે ત્યાંથી BJPએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી હતી અને પરિણામ આવતા તેઓ વિજયી બન્યા છે. પરંતુ હવે ચંદીગઢ એરપોર્ટથી સમાચાર આવી રહ્યા છે કે , ત્યાં મહિલા CISF જવાને કંગના રનૌતે લાફો મારી દીધો છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કંગના તેમજ થપ્પડ ટ્રેન્ડ થઈ રહ્યું છે..  

CISFની મહિલા જવાને કંગનાને માર્યો લાફો!

કંગના રનૌત પોતાના નિવેદનને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહેતા.. કંગના રનૌતે થોડા સમય પહેલા જ રાજનીતિમાં એન્ટ્રી લીધી અને તેમને ભાજપે તેમને સાંસદના ઉમેદવાર તરીકે ટિકીટ પણ આપી.. મંડી પરથી તે ચૂંટણી લડ્યા અને તે જીતી પણ ગયા. મંડીના સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા લાફો માર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે . સમાચાર એવા સામે આવી રહ્યાં છે કે , CISFની આ મહિલા જવાન કે જેમનું નામ કુલવિન્દર કૌર સામે આવ્યું છે તેઓ કંગના રનૌતના કિસાન આંદોલન પરના આપેલા નિવેદનોના લીધે નારાજ હતી . 



આ ઘટના ત્યારે બની જ્યારે... 

વાત આખી એમ છે કે કંગના રનૌતે આજે ચંદીગઢ એરપોર્ટથી દિલ્હીની ફ્લાઈટ લેવાની હતી. ત્યારે આ આખી ઘટના બની છે. અહીં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયી રહ્યા છે કે, સિક્યુરીટી ચેકમાં જયારે તેમણે તેમનો ફોન ટ્રોલીમાં મુક્યો ત્યારે આ ઘટના ઘટી હોવાના સમાચાર છે . જોકે તેઓ વિસ્તારા એરલાઈન્સની  ફ્લાઈટ પકડીને દિલ્હી જવા રવાના થયી ગયા હતા. હવે વાત કરીએ કંગના રનૌતની તો , તેઓ હાલમાં જ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટાઈને સંસદમાં પહોંચી ચુક્યા છે . તેમણે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ CM વીરભદ્રસિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા છે . 


પીએમ મોદીના પહેલેથી જ સમર્થક રહ્યા છે કંગના!

આ જીત બાદ કંગના રનૌતે પ્લેટફોર્મ X પર ટવિટ કરીને લખ્યું હતું કે , સમસ્ત મંડીવાસીઓનો આ જનાધાર , પ્રેમ અને વિશ્વાસ માટે આભાર માનું છું . આ જીત આપ સૌની છે , આ જીત પીએમ મોદીની છે , અને ભાજપા પર વિશ્વાસની , સનાતનની આ જીત છે . વાત કંગના રનૌતના બોલિવુડ કેરિયરની તો કંગના રનૌતે માત્ર ૧૭ વર્ષની ઉંમરે અનુરાગ બાસુની ફિલ્મ ગેન્ગસ્ટરથી કે જે ૨૦૦૬માં આવી હતી તેનાથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. કંગના રનૌત શરૂઆતથી જ PM મોદીના સમર્થક રહ્યા છે જેમ કે , સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ , રામ મંદિર , farmers bills પર તેમણે સરકારને સમર્થન આપેલું છે.




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.