બોલિવુડ અભિનેત્રી અને ભાજપના નેતા કંગના રણૌતને કરવો પડ્યો વિરોધનો સામનો! ચંડીગઢ એરપોર્ટ પર મહિલા ગાર્ડે મારી દીધો લાફો!


  • Published By :
  • Published Date : 2024-06-07 15:58:01

લોકસભા 2024ની ચૂંટણીઓમાં ઉત્તર ભારતની VIPમાં સીટોમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર ખુબ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. કેમ કે ત્યાંથી BJPએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી હતી અને પરિણામ આવતા તેઓ વિજયી બન્યા છે. પરંતુ હવે ચંદીગઢ એરપોર્ટથી સમાચાર આવી રહ્યા છે કે , ત્યાં મહિલા CISF જવાને કંગના રનૌતે લાફો મારી દીધો છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કંગના તેમજ થપ્પડ ટ્રેન્ડ થઈ રહ્યું છે..  

CISFની મહિલા જવાને કંગનાને માર્યો લાફો!

કંગના રનૌત પોતાના નિવેદનને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહેતા.. કંગના રનૌતે થોડા સમય પહેલા જ રાજનીતિમાં એન્ટ્રી લીધી અને તેમને ભાજપે તેમને સાંસદના ઉમેદવાર તરીકે ટિકીટ પણ આપી.. મંડી પરથી તે ચૂંટણી લડ્યા અને તે જીતી પણ ગયા. મંડીના સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા લાફો માર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે . સમાચાર એવા સામે આવી રહ્યાં છે કે , CISFની આ મહિલા જવાન કે જેમનું નામ કુલવિન્દર કૌર સામે આવ્યું છે તેઓ કંગના રનૌતના કિસાન આંદોલન પરના આપેલા નિવેદનોના લીધે નારાજ હતી . 



આ ઘટના ત્યારે બની જ્યારે... 

વાત આખી એમ છે કે કંગના રનૌતે આજે ચંદીગઢ એરપોર્ટથી દિલ્હીની ફ્લાઈટ લેવાની હતી. ત્યારે આ આખી ઘટના બની છે. અહીં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયી રહ્યા છે કે, સિક્યુરીટી ચેકમાં જયારે તેમણે તેમનો ફોન ટ્રોલીમાં મુક્યો ત્યારે આ ઘટના ઘટી હોવાના સમાચાર છે . જોકે તેઓ વિસ્તારા એરલાઈન્સની  ફ્લાઈટ પકડીને દિલ્હી જવા રવાના થયી ગયા હતા. હવે વાત કરીએ કંગના રનૌતની તો , તેઓ હાલમાં જ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટાઈને સંસદમાં પહોંચી ચુક્યા છે . તેમણે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ CM વીરભદ્રસિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા છે . 


પીએમ મોદીના પહેલેથી જ સમર્થક રહ્યા છે કંગના!

આ જીત બાદ કંગના રનૌતે પ્લેટફોર્મ X પર ટવિટ કરીને લખ્યું હતું કે , સમસ્ત મંડીવાસીઓનો આ જનાધાર , પ્રેમ અને વિશ્વાસ માટે આભાર માનું છું . આ જીત આપ સૌની છે , આ જીત પીએમ મોદીની છે , અને ભાજપા પર વિશ્વાસની , સનાતનની આ જીત છે . વાત કંગના રનૌતના બોલિવુડ કેરિયરની તો કંગના રનૌતે માત્ર ૧૭ વર્ષની ઉંમરે અનુરાગ બાસુની ફિલ્મ ગેન્ગસ્ટરથી કે જે ૨૦૦૬માં આવી હતી તેનાથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. કંગના રનૌત શરૂઆતથી જ PM મોદીના સમર્થક રહ્યા છે જેમ કે , સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ , રામ મંદિર , farmers bills પર તેમણે સરકારને સમર્થન આપેલું છે.




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.