બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પહોંચી દ્વારકા, દ્વારકાધીશના કર્યા દર્શન, રાજનિતીમાં એન્ટ્રી અંગે કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-11-03 14:51:02

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કંગના રનૌતે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. કંગના રનૌતનું તાજેતરનું નિવેદન સૂચવે છે કે તે લોકસભાની ચૂંટણી લડી શકે છે. ગુજરાતના દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરના દર્શને પહોંચી હતી. દ્વારકાધીશના દર્શન કરવા આવેલી કંગનાએ કહ્યું કે જો ભગવાન કૃષ્ણ ઈચ્છશે તો તે ચોક્કસથી ચૂંટણી લડશે. કંગના રનૌતના આ નિવેદન પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. તેણે દ્વારકા પહોંચી સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ઈલેક્શન લડશે તેવી વાત પણ કહી હતી.


દ્વારકા પહોંચી કંગનાએ શું કહ્યું?


દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી હતી. કંગન રનૌતે લખ્યું કે "મારું હૃદય કેટલાક દિવસોથી ખૂબ જ વ્યાકુળ હતું, મને દ્વારકાધીશના દર્શન કરવાનું મન થયું, શ્રી કૃષ્ણની આ દિવ્ય નગરી દ્વારકામાં આવતાની સાથે જ અહીંની ધૂળના દર્શન કરીને એવું લાગ્યું કે જાણે મારી બધી ચિંતાઓ તૂટીને મારા ચરણોમાં આવી પડી છે. મારું મન સ્થિર થઈ ગયું અને મને અનંત આનંદની અનુભૂતી થઈ. હે દ્વારકાધીશ આ જ પ્રકારે તમારી કૃપા વરસાવતા રહેજો. હરે કૃષ્ણ!"


કંગના કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે?


કંગના રનૌત ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાને ઉતરે તેવી સંભાવના છે. જેનું કારણ કંગના બીજેપીની વિચારધારાની ખૂબ નજીક છે. કંગના રનૌત ઘણીવાર જાહેર મંચ પર ભાજપને સમર્થન કર્યું છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં કંગના રનૌતની ફિલ્મ તેજસ અભિનેત્રીની હાજરીમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત યુપીના તમામ મોટા નેતાઓએ જોઈ હતી. એવી અટકળો છે કે કંગના રનૌત ભાજપમાંથી ટિકિટ માંગી શકે છે. ભાજપના નેતાઓ સાથેની તેની મુલાકાત અને હિંદુત્વ અંગે કંગનાના નિવેદનો તેને ભાજપની નજીક લાવે છે.






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.