ગુજરાતમાં ફરી પડશે હાડ થીજાવતી ઠંડી, આ તારીખોમાં થશે કાતિલ ઠંડીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-22 11:40:04

રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ આગામી દિવસોમાં થવાનો છે. ઉત્તરભારતના રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે. ઠંડો પવન ફૂંકાવાને કારણે 2થી 3 ડિગ્રી તાપમાન ગગડી શકે છે. ઉપરાંત 25 જાન્યુઆરી બાદ હવામાન વિભાગ દ્વારા તાપમાન નીચે રહેવાની આગાહી કરવામાં આવી છે.

From January 23, mercury in the state will rise sharply, cold, temperatures below 11 degrees in nine cities of the state. Gujarat Weather Upadate: 23 જાન્યુઆરીથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં વધશે, ઠંડી,  રાજ્યના નવ શહેરોમાં 11 ડિગ્રીથી નીચે તાપમાન


આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો થશે અહેસાસ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે એક-બે દિવસ પહેલા ઠંડીથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરી એક વખત ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં રાત્રિના સમયે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે પણ તાપમાન નીચે નોંધાતા ઠંડીનો અહેસાસ થાય છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેને પગલે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.   


હાડ થીજવતી ઠંડીનો થશે અહેસાસ 

જો તાપમાનની વાત કરીએ તો રાજ્યના નવ જેટલા શહેરોનું તાપમાન 11 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમદાવાદમાં 10.8, ગાંધીનગરમાં 9.8, ભાવનગરમાં 14.2 ડિગ્રી, વેરાવળમાં 15.2 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયપં હતું. ત્યારે આગામી સમયમાં ફરી એક વખત હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.