ગુજરાતમાં ફરી પડશે હાડ થીજાવતી ઠંડી, આ તારીખોમાં થશે કાતિલ ઠંડીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-22 11:40:04

રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ આગામી દિવસોમાં થવાનો છે. ઉત્તરભારતના રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે. ઠંડો પવન ફૂંકાવાને કારણે 2થી 3 ડિગ્રી તાપમાન ગગડી શકે છે. ઉપરાંત 25 જાન્યુઆરી બાદ હવામાન વિભાગ દ્વારા તાપમાન નીચે રહેવાની આગાહી કરવામાં આવી છે.

From January 23, mercury in the state will rise sharply, cold, temperatures below 11 degrees in nine cities of the state. Gujarat Weather Upadate: 23 જાન્યુઆરીથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં વધશે, ઠંડી,  રાજ્યના નવ શહેરોમાં 11 ડિગ્રીથી નીચે તાપમાન


આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો થશે અહેસાસ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે એક-બે દિવસ પહેલા ઠંડીથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરી એક વખત ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં રાત્રિના સમયે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે પણ તાપમાન નીચે નોંધાતા ઠંડીનો અહેસાસ થાય છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેને પગલે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.   


હાડ થીજવતી ઠંડીનો થશે અહેસાસ 

જો તાપમાનની વાત કરીએ તો રાજ્યના નવ જેટલા શહેરોનું તાપમાન 11 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમદાવાદમાં 10.8, ગાંધીનગરમાં 9.8, ભાવનગરમાં 14.2 ડિગ્રી, વેરાવળમાં 15.2 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયપં હતું. ત્યારે આગામી સમયમાં ફરી એક વખત હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.