ગુજરાતમાં ફરી પડશે હાડ થીજાવતી ઠંડી, આ તારીખોમાં થશે કાતિલ ઠંડીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-22 11:40:04

રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ આગામી દિવસોમાં થવાનો છે. ઉત્તરભારતના રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે. ઠંડો પવન ફૂંકાવાને કારણે 2થી 3 ડિગ્રી તાપમાન ગગડી શકે છે. ઉપરાંત 25 જાન્યુઆરી બાદ હવામાન વિભાગ દ્વારા તાપમાન નીચે રહેવાની આગાહી કરવામાં આવી છે.

From January 23, mercury in the state will rise sharply, cold, temperatures below 11 degrees in nine cities of the state. Gujarat Weather Upadate: 23 જાન્યુઆરીથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં વધશે, ઠંડી,  રાજ્યના નવ શહેરોમાં 11 ડિગ્રીથી નીચે તાપમાન


આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો થશે અહેસાસ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે એક-બે દિવસ પહેલા ઠંડીથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરી એક વખત ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં રાત્રિના સમયે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે પણ તાપમાન નીચે નોંધાતા ઠંડીનો અહેસાસ થાય છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેને પગલે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.   


હાડ થીજવતી ઠંડીનો થશે અહેસાસ 

જો તાપમાનની વાત કરીએ તો રાજ્યના નવ જેટલા શહેરોનું તાપમાન 11 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમદાવાદમાં 10.8, ગાંધીનગરમાં 9.8, ભાવનગરમાં 14.2 ડિગ્રી, વેરાવળમાં 15.2 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયપં હતું. ત્યારે આગામી સમયમાં ફરી એક વખત હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.      




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.