ગુજરાતમાં ફરી પડશે હાડ થીજાવતી ઠંડી, આ તારીખોમાં થશે કાતિલ ઠંડીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-22 11:40:04

રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ આગામી દિવસોમાં થવાનો છે. ઉત્તરભારતના રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે. ઠંડો પવન ફૂંકાવાને કારણે 2થી 3 ડિગ્રી તાપમાન ગગડી શકે છે. ઉપરાંત 25 જાન્યુઆરી બાદ હવામાન વિભાગ દ્વારા તાપમાન નીચે રહેવાની આગાહી કરવામાં આવી છે.

From January 23, mercury in the state will rise sharply, cold, temperatures below 11 degrees in nine cities of the state. Gujarat Weather Upadate: 23 જાન્યુઆરીથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં વધશે, ઠંડી,  રાજ્યના નવ શહેરોમાં 11 ડિગ્રીથી નીચે તાપમાન


આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો થશે અહેસાસ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે એક-બે દિવસ પહેલા ઠંડીથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરી એક વખત ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં રાત્રિના સમયે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે પણ તાપમાન નીચે નોંધાતા ઠંડીનો અહેસાસ થાય છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેને પગલે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.   


હાડ થીજવતી ઠંડીનો થશે અહેસાસ 

જો તાપમાનની વાત કરીએ તો રાજ્યના નવ જેટલા શહેરોનું તાપમાન 11 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમદાવાદમાં 10.8, ગાંધીનગરમાં 9.8, ભાવનગરમાં 14.2 ડિગ્રી, વેરાવળમાં 15.2 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયપં હતું. ત્યારે આગામી સમયમાં ફરી એક વખત હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.