6 કલાક માટે કોર્પોરેશન સંચાલિત પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલનું કરી શકાશે બુકિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:29:43

સ્ટેન્ડિંગ કમિટીએ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલ માટે નિર્ણય લીધો છે. જે અંતર્ગત સાત ઝોનમાં આવેલા 60થી વધુ પાર્ટી પ્લોટને 2 શિફ્ટમાં વહેંચી દેવામાં આવ્યા છે. કોમ્યુનિટી હોલમાં બર્થ-ડે પાર્ટી, કિટી પાર્ટી જેવા પ્રસંગો કરી શકાશે. 6 કલાકના સમય માટે 50 ટકા ભાડું અને સો ટકા ડિપોઝીટ આપવાની રહેશે. નજીકના સિવિક સેન્ટર પર જઈ આનું બુકિંગ કરી શકાશે. પરંતુ આ સમય દરમિયાન જમણવાર યોજી શકાશે નહીં.

Ahmedabad Municipal Corporation restricts shop hours to 10pm in western  areas | Ahmedabad News - Times of India

પાર્ટ ટાઈમ માટે મેળવી શકાશે કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ 

બે શીફ્ટ થવાથી સવારે આઠથી બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજના 4 થી રાતના 10 વાગ્યા સુધી હોલ પાર્ટ ટાઈમ મેળવી શકાશે. આ નિર્ણય થવાથી ઓડીટોરીયમ હોલ, પિકનીક હાઉસ અને પાર્ટી પ્લોટ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ આખા દિવસને બદલે છ કલાક પણ વાપરી શકાશે. બર્થ-ડે પાર્ટી,કિટી પાર્ટી જેવા પ્રસંગ માટે જે હાલમાં હોલનું ભાડુ છે તેનાથી 50 ટકા ભાડુ લેવામાં આવશે. ઉપરાંત વહીવટી અને સફાઈ ચાર્જ જે હાલમાં છે તે જ પ્રમાણે વસુલવામાં આવશે. બે શીફ્ટ થવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.