6 કલાક માટે કોર્પોરેશન સંચાલિત પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલનું કરી શકાશે બુકિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:29:43

સ્ટેન્ડિંગ કમિટીએ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલ માટે નિર્ણય લીધો છે. જે અંતર્ગત સાત ઝોનમાં આવેલા 60થી વધુ પાર્ટી પ્લોટને 2 શિફ્ટમાં વહેંચી દેવામાં આવ્યા છે. કોમ્યુનિટી હોલમાં બર્થ-ડે પાર્ટી, કિટી પાર્ટી જેવા પ્રસંગો કરી શકાશે. 6 કલાકના સમય માટે 50 ટકા ભાડું અને સો ટકા ડિપોઝીટ આપવાની રહેશે. નજીકના સિવિક સેન્ટર પર જઈ આનું બુકિંગ કરી શકાશે. પરંતુ આ સમય દરમિયાન જમણવાર યોજી શકાશે નહીં.

Ahmedabad Municipal Corporation restricts shop hours to 10pm in western  areas | Ahmedabad News - Times of India

પાર્ટ ટાઈમ માટે મેળવી શકાશે કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ 

બે શીફ્ટ થવાથી સવારે આઠથી બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજના 4 થી રાતના 10 વાગ્યા સુધી હોલ પાર્ટ ટાઈમ મેળવી શકાશે. આ નિર્ણય થવાથી ઓડીટોરીયમ હોલ, પિકનીક હાઉસ અને પાર્ટી પ્લોટ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ આખા દિવસને બદલે છ કલાક પણ વાપરી શકાશે. બર્થ-ડે પાર્ટી,કિટી પાર્ટી જેવા પ્રસંગ માટે જે હાલમાં હોલનું ભાડુ છે તેનાથી 50 ટકા ભાડુ લેવામાં આવશે. ઉપરાંત વહીવટી અને સફાઈ ચાર્જ જે હાલમાં છે તે જ પ્રમાણે વસુલવામાં આવશે. બે શીફ્ટ થવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"