6 કલાક માટે કોર્પોરેશન સંચાલિત પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલનું કરી શકાશે બુકિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:29:43

સ્ટેન્ડિંગ કમિટીએ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલ માટે નિર્ણય લીધો છે. જે અંતર્ગત સાત ઝોનમાં આવેલા 60થી વધુ પાર્ટી પ્લોટને 2 શિફ્ટમાં વહેંચી દેવામાં આવ્યા છે. કોમ્યુનિટી હોલમાં બર્થ-ડે પાર્ટી, કિટી પાર્ટી જેવા પ્રસંગો કરી શકાશે. 6 કલાકના સમય માટે 50 ટકા ભાડું અને સો ટકા ડિપોઝીટ આપવાની રહેશે. નજીકના સિવિક સેન્ટર પર જઈ આનું બુકિંગ કરી શકાશે. પરંતુ આ સમય દરમિયાન જમણવાર યોજી શકાશે નહીં.

Ahmedabad Municipal Corporation restricts shop hours to 10pm in western  areas | Ahmedabad News - Times of India

પાર્ટ ટાઈમ માટે મેળવી શકાશે કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ 

બે શીફ્ટ થવાથી સવારે આઠથી બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજના 4 થી રાતના 10 વાગ્યા સુધી હોલ પાર્ટ ટાઈમ મેળવી શકાશે. આ નિર્ણય થવાથી ઓડીટોરીયમ હોલ, પિકનીક હાઉસ અને પાર્ટી પ્લોટ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ આખા દિવસને બદલે છ કલાક પણ વાપરી શકાશે. બર્થ-ડે પાર્ટી,કિટી પાર્ટી જેવા પ્રસંગ માટે જે હાલમાં હોલનું ભાડુ છે તેનાથી 50 ટકા ભાડુ લેવામાં આવશે. ઉપરાંત વહીવટી અને સફાઈ ચાર્જ જે હાલમાં છે તે જ પ્રમાણે વસુલવામાં આવશે. બે શીફ્ટ થવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.