6 કલાક માટે કોર્પોરેશન સંચાલિત પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલનું કરી શકાશે બુકિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:29:43

સ્ટેન્ડિંગ કમિટીએ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલ માટે નિર્ણય લીધો છે. જે અંતર્ગત સાત ઝોનમાં આવેલા 60થી વધુ પાર્ટી પ્લોટને 2 શિફ્ટમાં વહેંચી દેવામાં આવ્યા છે. કોમ્યુનિટી હોલમાં બર્થ-ડે પાર્ટી, કિટી પાર્ટી જેવા પ્રસંગો કરી શકાશે. 6 કલાકના સમય માટે 50 ટકા ભાડું અને સો ટકા ડિપોઝીટ આપવાની રહેશે. નજીકના સિવિક સેન્ટર પર જઈ આનું બુકિંગ કરી શકાશે. પરંતુ આ સમય દરમિયાન જમણવાર યોજી શકાશે નહીં.

Ahmedabad Municipal Corporation restricts shop hours to 10pm in western  areas | Ahmedabad News - Times of India

પાર્ટ ટાઈમ માટે મેળવી શકાશે કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ 

બે શીફ્ટ થવાથી સવારે આઠથી બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજના 4 થી રાતના 10 વાગ્યા સુધી હોલ પાર્ટ ટાઈમ મેળવી શકાશે. આ નિર્ણય થવાથી ઓડીટોરીયમ હોલ, પિકનીક હાઉસ અને પાર્ટી પ્લોટ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ આખા દિવસને બદલે છ કલાક પણ વાપરી શકાશે. બર્થ-ડે પાર્ટી,કિટી પાર્ટી જેવા પ્રસંગ માટે જે હાલમાં હોલનું ભાડુ છે તેનાથી 50 ટકા ભાડુ લેવામાં આવશે. ઉપરાંત વહીવટી અને સફાઈ ચાર્જ જે હાલમાં છે તે જ પ્રમાણે વસુલવામાં આવશે. બે શીફ્ટ થવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે