UPમાં થયું બૂથ કેપ્ચરિંગ? Social Media પર વીડિયો થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ 8 વખત કરે છે મતદાન, જાણો આ મામલે શું લેવાયા પગલા?


  • Published By :
  • Published Date : 2024-05-20 16:57:20

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થયું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું પરંતુ તેના પછી એક વીડિયો દાહોદથી સામે આવ્યો જેમાં એક વ્યક્તિએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું.. મતદાતાની બદલીમાં તેણે જાતે મતદાન કર્યું. ફરીથી આ જગ્યા પર મતદાન થયું. ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

8 વખત એક વ્યક્તિ કરે છે મતદાન 

સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા વીડિયો, કરવામાં આવતા લાઈવ અનેક વખત રાઝ ખોલી દેતા હોય છે.. દાહોદમાં પણ જ્યારે બોગસ મતદાન થયું હતું ત્યારે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા લાઈવે આ વાત તંત્ર સમક્ષ રજૂ કર્યું હતું. ઈલેક્શન કમિશનની કામગીરી પર જાણે થપ્પડ વાગ્યો હોય તેવું હતું. ત્યારે વધુ એક બોગસ મતદાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ઉત્તર પ્રદેશનો છે. ગઈકાલથી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો આ યુવાન પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે.


આ વીડિયો વાયરલ થયા બાદ ઉઠ્યા અનેક સવાલ 

ઇલેક્શન કમિશનના મોઢા પર આ થપ્પડ છે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર કથિત વીડિયો શેર કરીને સવાલો ઉભા કર્યા છે. જે બાદ ચૂંટણી પંચે આ મામલાની નોંધ લીધી હતી અને કાર્યવાહી માટે સૂચના આપી હતી. ઇટાહ જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ કહ્યું કે વીડિયોમાં અનેક વખત મતદાન કરતા જોવા મળેલા યુવકની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. 



આ મામલે થઈ એફઆઈઆર અને થઈ તે વ્યક્તિની ધરપકડ  

આ સાથે, મતદાન પક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ છે અનિલ નિહ જે ખીરિયા પમારાન ગામનો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ વીડિયો પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે "જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે, તો તેણે કંઈક પગલાં લેવા જોઈએ, નહીં તો..." તેમણે એમ પણ કહ્યું, "ભાજપની બૂથ સમિતિ વાસ્તવમાં લૂંટ સમિતિ છે." મહત્વનું છે કે જ્યારે આ પ્રકારના વીડિયો સામે આવે છે ત્યારે અનેક સવાલો ઉઠતા હોય છે.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.