UPમાં થયું બૂથ કેપ્ચરિંગ? Social Media પર વીડિયો થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ 8 વખત કરે છે મતદાન, જાણો આ મામલે શું લેવાયા પગલા?


  • Published By :
  • Published Date : 2024-05-20 16:57:20

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થયું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું પરંતુ તેના પછી એક વીડિયો દાહોદથી સામે આવ્યો જેમાં એક વ્યક્તિએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું.. મતદાતાની બદલીમાં તેણે જાતે મતદાન કર્યું. ફરીથી આ જગ્યા પર મતદાન થયું. ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

8 વખત એક વ્યક્તિ કરે છે મતદાન 

સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા વીડિયો, કરવામાં આવતા લાઈવ અનેક વખત રાઝ ખોલી દેતા હોય છે.. દાહોદમાં પણ જ્યારે બોગસ મતદાન થયું હતું ત્યારે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા લાઈવે આ વાત તંત્ર સમક્ષ રજૂ કર્યું હતું. ઈલેક્શન કમિશનની કામગીરી પર જાણે થપ્પડ વાગ્યો હોય તેવું હતું. ત્યારે વધુ એક બોગસ મતદાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ઉત્તર પ્રદેશનો છે. ગઈકાલથી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો આ યુવાન પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે.


આ વીડિયો વાયરલ થયા બાદ ઉઠ્યા અનેક સવાલ 

ઇલેક્શન કમિશનના મોઢા પર આ થપ્પડ છે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર કથિત વીડિયો શેર કરીને સવાલો ઉભા કર્યા છે. જે બાદ ચૂંટણી પંચે આ મામલાની નોંધ લીધી હતી અને કાર્યવાહી માટે સૂચના આપી હતી. ઇટાહ જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ કહ્યું કે વીડિયોમાં અનેક વખત મતદાન કરતા જોવા મળેલા યુવકની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. 



આ મામલે થઈ એફઆઈઆર અને થઈ તે વ્યક્તિની ધરપકડ  

આ સાથે, મતદાન પક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ છે અનિલ નિહ જે ખીરિયા પમારાન ગામનો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ વીડિયો પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે "જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે, તો તેણે કંઈક પગલાં લેવા જોઈએ, નહીં તો..." તેમણે એમ પણ કહ્યું, "ભાજપની બૂથ સમિતિ વાસ્તવમાં લૂંટ સમિતિ છે." મહત્વનું છે કે જ્યારે આ પ્રકારના વીડિયો સામે આવે છે ત્યારે અનેક સવાલો ઉઠતા હોય છે.. 



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.