UPમાં થયું બૂથ કેપ્ચરિંગ? Social Media પર વીડિયો થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ 8 વખત કરે છે મતદાન, જાણો આ મામલે શું લેવાયા પગલા?


  • Published By :
  • Published Date : 2024-05-20 16:57:20

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થયું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું પરંતુ તેના પછી એક વીડિયો દાહોદથી સામે આવ્યો જેમાં એક વ્યક્તિએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું.. મતદાતાની બદલીમાં તેણે જાતે મતદાન કર્યું. ફરીથી આ જગ્યા પર મતદાન થયું. ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

8 વખત એક વ્યક્તિ કરે છે મતદાન 

સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા વીડિયો, કરવામાં આવતા લાઈવ અનેક વખત રાઝ ખોલી દેતા હોય છે.. દાહોદમાં પણ જ્યારે બોગસ મતદાન થયું હતું ત્યારે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા લાઈવે આ વાત તંત્ર સમક્ષ રજૂ કર્યું હતું. ઈલેક્શન કમિશનની કામગીરી પર જાણે થપ્પડ વાગ્યો હોય તેવું હતું. ત્યારે વધુ એક બોગસ મતદાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ઉત્તર પ્રદેશનો છે. ગઈકાલથી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો આ યુવાન પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે.


આ વીડિયો વાયરલ થયા બાદ ઉઠ્યા અનેક સવાલ 

ઇલેક્શન કમિશનના મોઢા પર આ થપ્પડ છે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર કથિત વીડિયો શેર કરીને સવાલો ઉભા કર્યા છે. જે બાદ ચૂંટણી પંચે આ મામલાની નોંધ લીધી હતી અને કાર્યવાહી માટે સૂચના આપી હતી. ઇટાહ જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ કહ્યું કે વીડિયોમાં અનેક વખત મતદાન કરતા જોવા મળેલા યુવકની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. 



આ મામલે થઈ એફઆઈઆર અને થઈ તે વ્યક્તિની ધરપકડ  

આ સાથે, મતદાન પક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ છે અનિલ નિહ જે ખીરિયા પમારાન ગામનો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ વીડિયો પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે "જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે, તો તેણે કંઈક પગલાં લેવા જોઈએ, નહીં તો..." તેમણે એમ પણ કહ્યું, "ભાજપની બૂથ સમિતિ વાસ્તવમાં લૂંટ સમિતિ છે." મહત્વનું છે કે જ્યારે આ પ્રકારના વીડિયો સામે આવે છે ત્યારે અનેક સવાલો ઉઠતા હોય છે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.