રાજ્યમાં બુટલેગરો બેફામ, સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પોલીસ કાફલા પર હુમલો, PSI ગંભીર રીતે ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-05 20:53:36

ગુજરાતમાં બુટલેગરોને જાણે કાયદાનો ભય જ રહ્યો નથી, બુટલેગરો એટલા બેફામ થયા છે કે પોલીસ પર પણ હુમલાઓ કરે છે. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામમાં પોલીસ પર હુમલાની ઘટના બની છે. ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનના PSI પર જીવલેણ હુમલો થતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનની ટીમ બુટલેગરને પકડવા ગઈ હતી તે દરમિયાન હુમલાની ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ધોળે દિવસે પોલીસ પર હુમલો થતાં ચકચાર મચી ગઈ છે.


તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

 

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જેનાબાદ ગામેથી જાલમસિંહ નામના આરોપીને પકડીને પોલીસનો કાફલો પરત ફરી રહ્યો હતો ત્યારે ઝીંઝુવાડા ગામના ચોકમાં આરોપીના સાગરીતે પોલીસ પર હુમલો કર્યો હતો. જાલમસિંહ નામના આરોપી સામે લૂંટ, દારૂ, મારામારી સહિતના  અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. દારૂના કેસમાં છેલ્લા ઘણા સમયથી આરોપી વોન્ટેડ હતો. ટોળાએ છરી સહિતના તીક્ષ્ણ હથિયાર વડે PSI કે.વી. ડાંગરને છાતીમાં છરીના ઘા માર્યાની માહિતી મળી રહી છે. PSIને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. PSI સાથે અન્ય એક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી. બીજી તરફ ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ પર આ રીતે ખુલ્લેઆમ હુમલો થતા DYSP, SOG અને LCB સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.


ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો રવાના


ઝીંઝુવાડા ગામમાં PSI સહિતના પોલીસ કાફલા પર હુમલો કરી આરોપીઓ પોતાની કાર લઈ નાસી છૂટતાં સુરેન્દ્રનગરની પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો રવાના થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. હાલ તો બુટલેગર પોલીસ પર હુમલો કરી ફરાર થઇ ગયો છે. બુટલેગરો અને બેફામ બનેલા અસામાજિક તત્વોને કારણે સામાન્ય નાગરિકો પણ પરેશાન છે હાલ પંથકમાં અજંપાભરી સ્થિતી પ્રવર્તી રહી છે.  



સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.