રાજ્યમાં બુટલેગરો બેફામ, સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પોલીસ કાફલા પર હુમલો, PSI ગંભીર રીતે ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-05 20:53:36

ગુજરાતમાં બુટલેગરોને જાણે કાયદાનો ભય જ રહ્યો નથી, બુટલેગરો એટલા બેફામ થયા છે કે પોલીસ પર પણ હુમલાઓ કરે છે. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામમાં પોલીસ પર હુમલાની ઘટના બની છે. ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનના PSI પર જીવલેણ હુમલો થતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનની ટીમ બુટલેગરને પકડવા ગઈ હતી તે દરમિયાન હુમલાની ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ધોળે દિવસે પોલીસ પર હુમલો થતાં ચકચાર મચી ગઈ છે.


તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

 

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જેનાબાદ ગામેથી જાલમસિંહ નામના આરોપીને પકડીને પોલીસનો કાફલો પરત ફરી રહ્યો હતો ત્યારે ઝીંઝુવાડા ગામના ચોકમાં આરોપીના સાગરીતે પોલીસ પર હુમલો કર્યો હતો. જાલમસિંહ નામના આરોપી સામે લૂંટ, દારૂ, મારામારી સહિતના  અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. દારૂના કેસમાં છેલ્લા ઘણા સમયથી આરોપી વોન્ટેડ હતો. ટોળાએ છરી સહિતના તીક્ષ્ણ હથિયાર વડે PSI કે.વી. ડાંગરને છાતીમાં છરીના ઘા માર્યાની માહિતી મળી રહી છે. PSIને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. PSI સાથે અન્ય એક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી. બીજી તરફ ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ પર આ રીતે ખુલ્લેઆમ હુમલો થતા DYSP, SOG અને LCB સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.


ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો રવાના


ઝીંઝુવાડા ગામમાં PSI સહિતના પોલીસ કાફલા પર હુમલો કરી આરોપીઓ પોતાની કાર લઈ નાસી છૂટતાં સુરેન્દ્રનગરની પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો રવાના થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. હાલ તો બુટલેગર પોલીસ પર હુમલો કરી ફરાર થઇ ગયો છે. બુટલેગરો અને બેફામ બનેલા અસામાજિક તત્વોને કારણે સામાન્ય નાગરિકો પણ પરેશાન છે હાલ પંથકમાં અજંપાભરી સ્થિતી પ્રવર્તી રહી છે.  



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.