સરહદી વિસ્તારનો ખેડૂત પાણીમાં તરતો પાક વીણવા મજબૂર


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 17:09:06

સરહદી વિસ્તારના વાવ થરાદ અને સૂઇગામ તાલુકામાં લાંબા સમયની રાહ જોયા બાદ આવેલ વરસાદે ખેડૂતોને નુકશાનના ઘેરામાં લાવી દીધા છે બાજરી અને જુવારના કાપણી કરેલ પાક ઉપર વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં જગતનો તાત ચાલુ વરસાદે પણ પાણીમા તરી રહેલ પાકને વીણવા મજબૂર

બનાસકાંઠા જિલ્લામાં વાવ ,થરાદ સૂઇગામ જેવા અનેક તાલુકાના ગામડાઓમાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં ગાજ વીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે જેને લઇ ખેડૂતો અને પશુપાલકો સહિત જિલ્લા વાસીઓમા ખુશી જોવા મળી  પરંતુ ચોમાસુ પાક તૈયાર થઈ ગયા ઉપર વરસાદ વરસતા ધરતીપુત્રોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કાપણી કરેલા બાજરીના પાક ઉપર વરસાદ પડતાં બાજરી અને ઘાસચારો નષ્ટ થવાની શક્યતા વચ્ચે કુદરત સામે લાચાર બનેલા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.જિલ્લામાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદે વિરામ લઇ લીધો હતો જેના કારણે પાકને પૂરતું પાણી નહિ મળતા પાક મુરઝાઈ ગયો હતો જેને કારણે ખેડૂતોએ પાકની કાપણી કરવાનું ચાલુ કર્યું હતું અને કાપણી કર્યા બાદ વરસાદનું આગમન થતાં ઘાસચારો અને બાજરીના પાકને મોટું નુકસાન પહોચ્યું છે.જેને લઇ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.