સરહદી વિસ્તારનો ખેડૂત પાણીમાં તરતો પાક વીણવા મજબૂર


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 17:09:06

સરહદી વિસ્તારના વાવ થરાદ અને સૂઇગામ તાલુકામાં લાંબા સમયની રાહ જોયા બાદ આવેલ વરસાદે ખેડૂતોને નુકશાનના ઘેરામાં લાવી દીધા છે બાજરી અને જુવારના કાપણી કરેલ પાક ઉપર વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં જગતનો તાત ચાલુ વરસાદે પણ પાણીમા તરી રહેલ પાકને વીણવા મજબૂર

બનાસકાંઠા જિલ્લામાં વાવ ,થરાદ સૂઇગામ જેવા અનેક તાલુકાના ગામડાઓમાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં ગાજ વીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે જેને લઇ ખેડૂતો અને પશુપાલકો સહિત જિલ્લા વાસીઓમા ખુશી જોવા મળી  પરંતુ ચોમાસુ પાક તૈયાર થઈ ગયા ઉપર વરસાદ વરસતા ધરતીપુત્રોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કાપણી કરેલા બાજરીના પાક ઉપર વરસાદ પડતાં બાજરી અને ઘાસચારો નષ્ટ થવાની શક્યતા વચ્ચે કુદરત સામે લાચાર બનેલા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.જિલ્લામાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદે વિરામ લઇ લીધો હતો જેના કારણે પાકને પૂરતું પાણી નહિ મળતા પાક મુરઝાઈ ગયો હતો જેને કારણે ખેડૂતોએ પાકની કાપણી કરવાનું ચાલુ કર્યું હતું અને કાપણી કર્યા બાદ વરસાદનું આગમન થતાં ઘાસચારો અને બાજરીના પાકને મોટું નુકસાન પહોચ્યું છે.જેને લઇ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.