સરહદી વિસ્તારનો ખેડૂત પાણીમાં તરતો પાક વીણવા મજબૂર


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 17:09:06

સરહદી વિસ્તારના વાવ થરાદ અને સૂઇગામ તાલુકામાં લાંબા સમયની રાહ જોયા બાદ આવેલ વરસાદે ખેડૂતોને નુકશાનના ઘેરામાં લાવી દીધા છે બાજરી અને જુવારના કાપણી કરેલ પાક ઉપર વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં જગતનો તાત ચાલુ વરસાદે પણ પાણીમા તરી રહેલ પાકને વીણવા મજબૂર

બનાસકાંઠા જિલ્લામાં વાવ ,થરાદ સૂઇગામ જેવા અનેક તાલુકાના ગામડાઓમાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં ગાજ વીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે જેને લઇ ખેડૂતો અને પશુપાલકો સહિત જિલ્લા વાસીઓમા ખુશી જોવા મળી  પરંતુ ચોમાસુ પાક તૈયાર થઈ ગયા ઉપર વરસાદ વરસતા ધરતીપુત્રોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કાપણી કરેલા બાજરીના પાક ઉપર વરસાદ પડતાં બાજરી અને ઘાસચારો નષ્ટ થવાની શક્યતા વચ્ચે કુદરત સામે લાચાર બનેલા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.જિલ્લામાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદે વિરામ લઇ લીધો હતો જેના કારણે પાકને પૂરતું પાણી નહિ મળતા પાક મુરઝાઈ ગયો હતો જેને કારણે ખેડૂતોએ પાકની કાપણી કરવાનું ચાલુ કર્યું હતું અને કાપણી કર્યા બાદ વરસાદનું આગમન થતાં ઘાસચારો અને બાજરીના પાકને મોટું નુકસાન પહોચ્યું છે.જેને લઇ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.