ભુજમાં જન્મેલો પ્રેરક બન્યો પ્રિન્સ! દિલમાં કાણું હોવાને કારણે ત્યજેલા બાળકની ચમકી કિસ્મત, બાળકને મળ્યા નવા માતા-પિતા


  • Published By :
  • Published Date : 2023-04-07 09:31:31

સૌથી નિસ્વાર્થ અને સૌથી ઘનિષ્ટ સંબંધ કોઈ હોય તો બાળકનો તેના માતા પિતા સાથેનો હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બાળકને માતા પિતા દ્વારા ત્યજી દેવામાં આવતા હોય છે. ત્યારે એક કિસ્સો ભુજથી સામે આવ્યો છે જેમાં બાળકનાં દિલમાં કાણું હોવાને કારણે તેના માતા પિતાએ બાળકને ત્યજી દીધો હતો. પરંતુ બાળક નસીબદાર હતો. અમેરિકામાં રહેતા દંપત્તિએ બાળકને દત્તક લીધો હતો. કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


પ્રેરકને અમેરિકામાં રહેતા દંપત્તિએ દત્તક લીધો  

નાની ઉંમરે અથવા તો જન્મતાની સાથે જ અનેક બાળકો ગંભીર બિમારીનો શિકાર બની જતા હોય છે. માતા પિતા માટે બાળક તેમની જાન હોય છે પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ગંભીર બિમારી હોવાને કારણે બાળકને માતા પિતા ત્યજી દેતા હોય છે. ત્યારે બે વર્ષ પહેલા ભુજની હોસ્પિટલમાં જન્મેલા બાળકને તેના માતા પિતાએ તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો કારણ કે બાળકને જન્મથી જ હરણિયાની ગાંઠ હતી અને દિલમાં કાણુ હતું. બાળકની સારવાર કરવામાં આવી હતી અને બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ થઈ ગયો હતો. ત્યજેલા બાળકની સંભાળ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા રાખવામાં આવી હતી. 


પ્રેરકનો ઉછેર હવે અમેરિકામાં થશે 

કચ્છના યશોદા ધામમાં રહેતા આ બાળકનો સ્વીકાર અમેરિકામાં રહેતા દંપત્તિએ કર્યો હતો. પ્રેરક હવે અમેરિકા જશે. જે દંપત્તિ પ્રેરકના નંદ અને યશોદા બન્યા છે તે મૂળ ભારતના અને વર્ષોથી અમેરિકામાં નાસાના એન્જિનિયર નવીન વેત્યા અને તેમના પત્ની સિંધુ લક્કુરે છે. ત્યજેલા પ્રેરકનું નસીબ ચમક્યું અને તેનો ઉછેર મહિલા કલ્યાણ કેન્દ્રમાં નહીં પરંતુ અમેરિકામાં થશે. પ્રેરકને નવા માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. બાળકને માતા-પિતા મળતા મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક તરફ ખુશી પણ છે તો બીજી તરફ પ્રેરકના જવાનું દુખ પણ છે.         



  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.