ભુજમાં જન્મેલો પ્રેરક બન્યો પ્રિન્સ! દિલમાં કાણું હોવાને કારણે ત્યજેલા બાળકની ચમકી કિસ્મત, બાળકને મળ્યા નવા માતા-પિતા


  • Published By :
  • Published Date : 2023-04-07 09:31:31

સૌથી નિસ્વાર્થ અને સૌથી ઘનિષ્ટ સંબંધ કોઈ હોય તો બાળકનો તેના માતા પિતા સાથેનો હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બાળકને માતા પિતા દ્વારા ત્યજી દેવામાં આવતા હોય છે. ત્યારે એક કિસ્સો ભુજથી સામે આવ્યો છે જેમાં બાળકનાં દિલમાં કાણું હોવાને કારણે તેના માતા પિતાએ બાળકને ત્યજી દીધો હતો. પરંતુ બાળક નસીબદાર હતો. અમેરિકામાં રહેતા દંપત્તિએ બાળકને દત્તક લીધો હતો. કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


પ્રેરકને અમેરિકામાં રહેતા દંપત્તિએ દત્તક લીધો  

નાની ઉંમરે અથવા તો જન્મતાની સાથે જ અનેક બાળકો ગંભીર બિમારીનો શિકાર બની જતા હોય છે. માતા પિતા માટે બાળક તેમની જાન હોય છે પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ગંભીર બિમારી હોવાને કારણે બાળકને માતા પિતા ત્યજી દેતા હોય છે. ત્યારે બે વર્ષ પહેલા ભુજની હોસ્પિટલમાં જન્મેલા બાળકને તેના માતા પિતાએ તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો કારણ કે બાળકને જન્મથી જ હરણિયાની ગાંઠ હતી અને દિલમાં કાણુ હતું. બાળકની સારવાર કરવામાં આવી હતી અને બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ થઈ ગયો હતો. ત્યજેલા બાળકની સંભાળ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા રાખવામાં આવી હતી. 


પ્રેરકનો ઉછેર હવે અમેરિકામાં થશે 

કચ્છના યશોદા ધામમાં રહેતા આ બાળકનો સ્વીકાર અમેરિકામાં રહેતા દંપત્તિએ કર્યો હતો. પ્રેરક હવે અમેરિકા જશે. જે દંપત્તિ પ્રેરકના નંદ અને યશોદા બન્યા છે તે મૂળ ભારતના અને વર્ષોથી અમેરિકામાં નાસાના એન્જિનિયર નવીન વેત્યા અને તેમના પત્ની સિંધુ લક્કુરે છે. ત્યજેલા પ્રેરકનું નસીબ ચમક્યું અને તેનો ઉછેર મહિલા કલ્યાણ કેન્દ્રમાં નહીં પરંતુ અમેરિકામાં થશે. પ્રેરકને નવા માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. બાળકને માતા-પિતા મળતા મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક તરફ ખુશી પણ છે તો બીજી તરફ પ્રેરકના જવાનું દુખ પણ છે.         



  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.