ભુજમાં જન્મેલો પ્રેરક બન્યો પ્રિન્સ! દિલમાં કાણું હોવાને કારણે ત્યજેલા બાળકની ચમકી કિસ્મત, બાળકને મળ્યા નવા માતા-પિતા


  • Published By :
  • Published Date : 2023-04-07 09:31:31

સૌથી નિસ્વાર્થ અને સૌથી ઘનિષ્ટ સંબંધ કોઈ હોય તો બાળકનો તેના માતા પિતા સાથેનો હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બાળકને માતા પિતા દ્વારા ત્યજી દેવામાં આવતા હોય છે. ત્યારે એક કિસ્સો ભુજથી સામે આવ્યો છે જેમાં બાળકનાં દિલમાં કાણું હોવાને કારણે તેના માતા પિતાએ બાળકને ત્યજી દીધો હતો. પરંતુ બાળક નસીબદાર હતો. અમેરિકામાં રહેતા દંપત્તિએ બાળકને દત્તક લીધો હતો. કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


પ્રેરકને અમેરિકામાં રહેતા દંપત્તિએ દત્તક લીધો  

નાની ઉંમરે અથવા તો જન્મતાની સાથે જ અનેક બાળકો ગંભીર બિમારીનો શિકાર બની જતા હોય છે. માતા પિતા માટે બાળક તેમની જાન હોય છે પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ગંભીર બિમારી હોવાને કારણે બાળકને માતા પિતા ત્યજી દેતા હોય છે. ત્યારે બે વર્ષ પહેલા ભુજની હોસ્પિટલમાં જન્મેલા બાળકને તેના માતા પિતાએ તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો કારણ કે બાળકને જન્મથી જ હરણિયાની ગાંઠ હતી અને દિલમાં કાણુ હતું. બાળકની સારવાર કરવામાં આવી હતી અને બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ થઈ ગયો હતો. ત્યજેલા બાળકની સંભાળ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા રાખવામાં આવી હતી. 


પ્રેરકનો ઉછેર હવે અમેરિકામાં થશે 

કચ્છના યશોદા ધામમાં રહેતા આ બાળકનો સ્વીકાર અમેરિકામાં રહેતા દંપત્તિએ કર્યો હતો. પ્રેરક હવે અમેરિકા જશે. જે દંપત્તિ પ્રેરકના નંદ અને યશોદા બન્યા છે તે મૂળ ભારતના અને વર્ષોથી અમેરિકામાં નાસાના એન્જિનિયર નવીન વેત્યા અને તેમના પત્ની સિંધુ લક્કુરે છે. ત્યજેલા પ્રેરકનું નસીબ ચમક્યું અને તેનો ઉછેર મહિલા કલ્યાણ કેન્દ્રમાં નહીં પરંતુ અમેરિકામાં થશે. પ્રેરકને નવા માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. બાળકને માતા-પિતા મળતા મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક તરફ ખુશી પણ છે તો બીજી તરફ પ્રેરકના જવાનું દુખ પણ છે.         



  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે