Mahisagarનું બોરવાઈ કે Panchmahalનો ઘોઘંબા તાલુકો। ગામડું શરૂ વિકાસ પૂરો, સવાલ થાય કે વિકાસ ક્યાં ગયો?


  • Published By :
  • Published Date : 2024-07-31 18:06:25

આપણે આઝાદ થયા એને વર્ષો થઈ ગયા.. પણ હજુય પ્રાથમિક સુવિધાઓથી તો આપણે વલખા જ મારી રહ્યાં છીએ.. રોજ કેટલાય દ્રશ્યો આવે અને આપણે નિસાસો નાંખીને બેસી જઈએ... આજે ફરી વાત કરવી છે એવા બાળકો વિશે જેમની પાસે સ્કુલ જવા માટે રસ્તો જ નથી... 

વરસાદને કારણે થઈ જાય છે કાદવ...  

મહીસાગર જિલ્લાના ખાનપુરની વાત કરવી છે... ખાનપુર તાલુકામાં આવેલા બોરવાઈ ગામના પગી ફળિયાના રહીશો માટે ચોમાસુ મુશ્કેલી લઈને આવે છે. બોરવાઈ ગામમાં અંદાજે 1.5 કિલોમીટરનો રસ્તો કાચો હોવાથી ચોમાસામાં કાદવ અને કીચડ થઈ જતા ગ્રામજનોને કાદવમાંથી પસાર થવાની નોબત આવી છે. દર ચોમાસામાં આ રસ્તો કાદવ કીચડથી ભરાય જાય છે કે ચાલવુ મુશ્કેલ બની જાય છે. વાહન પણ 1.5 કિલોમીટર બહાર મુકીને ગામમાં કીચડમાંથી આવવું પડે છે. કાચા રસ્તાના લીધે ગામમાં 108  કે અન્ય કોઈ મોટા વાહનો પણ આવી શકતા નથી. 



આઝાદી તો મળી ગઈ પરંતુ સમસ્યાઓથી આઝાદી ક્યારે મળશે?

જેથી દોઢ કિલોમીટર દુર દર્દીને પણ ઝોલામાં નાંખીને લઈ જવો પડે છે. ગામમાં દૂધ મંડળી તો આવી પણ દૂધ વાહન ગામમાં આવી શકતુ નથી. ગામલોકોએ પંચાયતથી લઈ ગાંધીનગર સુધી અનેક જગ્યાએ રજૂઆતો કરી પણ આજ દિવસ સુધી કોઈ સુવિધા મળી નથી.. એટલે જ ગામના લોકોનું કહેવું છે કે દેશ તો આઝાદ થઈ ગયો પણ અમને આજ સુધી આઝાદી મળી નથી. ગામલોકો આ રસ્તાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે... સૌથી મોટી વાત ચોમાસામાં કાદવ કીચડના કારણે બાળકોને શાળામાં મોકલી શકાતા નથી. જેથી તેમના અભ્યાસ પર અસર પડે છે. 



અધિકારીઓ હાથ અધ્ધર કરી દે છે અને...

ગ્રામજનો કહે છે કે અમને અમારો રસ્તો આપો અમારી સાથે ઓરમાયું વર્તન કેમ થઈ રહ્યું છે... જ્યારે ખાનપુર ટીડીઓનું કહેવું છે કે અમારા સુધી રજૂઆત આવી નથી.પણ બોરવાઈ ગામનો રસ્તો નહીં હોય તો જિલ્લા પંચાયત આર એન્ડ બીમાં રજૂઆત કરીને રસ્તા બનાવી આપીશું. એટલે આવું કહીને અધિકારીઓ હાથ અધ્ધર કરી દે પણ બાળકોને શાળાએ તો મોકલવા પડે ને, અભ્યાસ પર અસર પડે પણ રસ્તો નથી એટલે બાળકોએ શાળાએ જવાનું બંધ કર્યું, બિમાર વ્યક્તિને 1થી2 ફૂટ કાદવ ભરેલા રસ્તા પર ઉંચકીને લઈ જવાની નોબત આવી... 



વિદ્યાર્થીઓને ભણવા ના મોકલવાનો ગ્રામજનોએ લીધો નિર્ણય

સૌથી મોટી વાત હવે, ખાનપુર તાલુકાના બોરવાઇ ગામના પેટા ફળિયા પગી પશ્ચિમ ફળિયાના 20 જેટલા બાળકો આજથી અભ્યાસ કરવા જ નહીં જાય.... ગામમાં જવાનો 3 કિલોમીટરનો રસ્તો ન હોવાથી ગ્રામજનોએ આ નિર્ણય કર્યો છે.. ચોમાસાના ચાર મહિના દર વર્ષે આટલા કાદવમાંથી પસાર થવા લોકો મજબૂર બને છે. 2 ફૂટ જેટલા કાદવમાંથી પસાર થવું પડે છે... ગામમાં જવાનો બીજો કોઈ રસ્તો પણ ન હોવાથી લોકો પરેશાન થયા છે. રસ્તા માટે ગામલોકો હવે આંદોલનના માર્ગે છે. ગામની પ્રાથમિક શાળા અને ડીપી હાઈસ્કૂલમાં ભણતા બાળકોને અભ્યાસ માટે ન મોકલવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે... શાળાના આચાર્યોને પણ ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે... 


પાણીના પ્રવાહ વચ્ચે દર્દીને ઝોળીમાં લઈ જવા લોકો મજબૂર

આ તો વાત થઈ મહીસાગરની હવે વાત કરીએ પંચમહાલની તો ત્યાં પણ વિકસીત ગુજરાતના વરવા દ્રશ્યો સામે આવ્યા છે... ઘોઘંબાના ગમાણી ગામમાં કોઝ વે ન હોવાથી પાણીના પ્રવાહની વચ્ચે દર્દીને જોળીમાં લઈ જવા લોકો મજબૂર બન્યા છે.... આંતરિયાળ વિસ્તારોના બાળકોને વાલીઓ ખભા પર બેસાડીને લઈ જવા મજબૂર છે... શું કરે કેમ કે પરિસ્થિતિ બદલી નથી શકતા. અને સરકાર સુવિધા આપી નથી શકતી એટલે વિકસિત ગુજરાતના બણગા ફૂંકતા નેતાઓની વાતો સામે ગામના લોકો આ પ્રકારની વાસ્તવિક હકીકતો જોવા માટે મજબૂર બને છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.