Botadના ધારાસભ્ય Umesh Makwanaનો અનોખો પત્ર ચર્ચાનો વિષય બન્યો,લખ્યું કે મારી સંપત્તિની તપાસ કરાવો!


  • Published By :
  • Published Date : 2023-12-11 14:41:37

જ્યારે કોઈ નકલી વસ્તુનું કૌભાંડ પકડાય છે ત્યારે અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે મંત્રી, અધિકારીઓની મીલીભગત હશે. અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે ચૂંટણી પહેલા ધારાસભ્ય પાસે આટલી મિલકત હતી અને ચૂંટણી બાદ રકમમાં મસમોટો ફેરફાર થઈ જતો હોય છે. સામાન્ય રીતે આપણે જોયું, સાંભળ્યું હશે કે ધારાસભ્યો, અધિકારીઓ તપાસથી ડરતા હોય છે પરંતુ આજે એક એવા ધારાસભ્યની વાત કરવી છે જેમણે સામે ચાલીને તેમની પર તપાસ કરાવવામાં આવે તેવી માગ કરી છે.  એવા કોઈ ધારાસભ્ય કે નેતા એવા જોયા છે જે પોતે જ કહે કે મારા પર તપાસ બેસાડો મારી આવક અને સંપત્તિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવો.. જી હા ગુજરાતના એક ધારાસભ્યએ આવી માંગ કરી લેટર લખ્યો છે. 

બોટાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર!

આપણી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર એક મોટી બિમારી બની રહી છે. ભ્રષ્ટાચારનો કિડો દરેક વ્યવસાયમાં, સંસ્થાઓમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. કોઈ વખત એ ભ્રષ્ટાચારની પોલ ખુલે છે તો કોઈ વખત ભ્રષ્ટાચાર સામે પણ નથી આવતો. ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી. વર્ષોથી ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક ભાગ થઈ ગયો છે અને આ વાત આપણે સૌ કોઈ જાણીયે છીએ. આમ છતાં ભ્રષ્ટાચારના વધતા જતા સડાને અંકુશમાં રાખવા ACB, CBI સહિતની એજન્સીઓ કાર્યરત છે. Gujarat બોટાદ વિધાનસભા  બેઠકના MLA ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


તેમની સંપત્તિની તપાસ કરાવવા ધારાસભ્યએ કરી માગ 

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધી એક પત્ર લખ્યો છે જેની ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્યએ પોતે માગ કરી છે કે પોતાની આવક અને સંપત્તિની એસીબી, ઇડી અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે. અને સાથોસાથ ગુજરાતના તમામ ધારાસભ્ય, સાંસદસભ્યો, મંત્રીઓ, આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની આવક અને સંપત્તિની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. વધુમાં તપાસનો અહેવાલ જનતા સમક્ષ ઓનલાઇન મુકવામાં માગ કરી હતી. કદાચ આ આવા પહેલા ધારાસભ્ય છે. જેઓ પોતે પોતાની આવક અને સંપત્તિની તપાસની માગ કરી હોય.


આઈપીએસ-ધારાસભ્ય પાસેથી રાખી આશા

ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે એક વર્ષમાં મેળવેલો પગાર, અન્ય કમાણી અને મારી મિલકત જાહેર કરીશ. હું બાકી ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો અને ખાસ કરીને IAS – IPS અધિકારી પાસે આવી જ અપેક્ષા રાખું છું. મહત્વનું છે કે ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા પત્રને લઈ ચર્ચાઓ થઈ રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.