Botadના ધારાસભ્ય Umesh Makwanaનો અનોખો પત્ર ચર્ચાનો વિષય બન્યો,લખ્યું કે મારી સંપત્તિની તપાસ કરાવો!


  • Published By :
  • Published Date : 2023-12-11 14:41:37

જ્યારે કોઈ નકલી વસ્તુનું કૌભાંડ પકડાય છે ત્યારે અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે મંત્રી, અધિકારીઓની મીલીભગત હશે. અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે ચૂંટણી પહેલા ધારાસભ્ય પાસે આટલી મિલકત હતી અને ચૂંટણી બાદ રકમમાં મસમોટો ફેરફાર થઈ જતો હોય છે. સામાન્ય રીતે આપણે જોયું, સાંભળ્યું હશે કે ધારાસભ્યો, અધિકારીઓ તપાસથી ડરતા હોય છે પરંતુ આજે એક એવા ધારાસભ્યની વાત કરવી છે જેમણે સામે ચાલીને તેમની પર તપાસ કરાવવામાં આવે તેવી માગ કરી છે.  એવા કોઈ ધારાસભ્ય કે નેતા એવા જોયા છે જે પોતે જ કહે કે મારા પર તપાસ બેસાડો મારી આવક અને સંપત્તિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવો.. જી હા ગુજરાતના એક ધારાસભ્યએ આવી માંગ કરી લેટર લખ્યો છે. 

બોટાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર!

આપણી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર એક મોટી બિમારી બની રહી છે. ભ્રષ્ટાચારનો કિડો દરેક વ્યવસાયમાં, સંસ્થાઓમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. કોઈ વખત એ ભ્રષ્ટાચારની પોલ ખુલે છે તો કોઈ વખત ભ્રષ્ટાચાર સામે પણ નથી આવતો. ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી. વર્ષોથી ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક ભાગ થઈ ગયો છે અને આ વાત આપણે સૌ કોઈ જાણીયે છીએ. આમ છતાં ભ્રષ્ટાચારના વધતા જતા સડાને અંકુશમાં રાખવા ACB, CBI સહિતની એજન્સીઓ કાર્યરત છે. Gujarat બોટાદ વિધાનસભા  બેઠકના MLA ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


તેમની સંપત્તિની તપાસ કરાવવા ધારાસભ્યએ કરી માગ 

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધી એક પત્ર લખ્યો છે જેની ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્યએ પોતે માગ કરી છે કે પોતાની આવક અને સંપત્તિની એસીબી, ઇડી અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે. અને સાથોસાથ ગુજરાતના તમામ ધારાસભ્ય, સાંસદસભ્યો, મંત્રીઓ, આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની આવક અને સંપત્તિની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. વધુમાં તપાસનો અહેવાલ જનતા સમક્ષ ઓનલાઇન મુકવામાં માગ કરી હતી. કદાચ આ આવા પહેલા ધારાસભ્ય છે. જેઓ પોતે પોતાની આવક અને સંપત્તિની તપાસની માગ કરી હોય.


આઈપીએસ-ધારાસભ્ય પાસેથી રાખી આશા

ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે એક વર્ષમાં મેળવેલો પગાર, અન્ય કમાણી અને મારી મિલકત જાહેર કરીશ. હું બાકી ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો અને ખાસ કરીને IAS – IPS અધિકારી પાસે આવી જ અપેક્ષા રાખું છું. મહત્વનું છે કે ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા પત્રને લઈ ચર્ચાઓ થઈ રહી છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.