Botadના ધારાસભ્ય Umesh Makwanaનો અનોખો પત્ર ચર્ચાનો વિષય બન્યો,લખ્યું કે મારી સંપત્તિની તપાસ કરાવો!


  • Published By :
  • Published Date : 2023-12-11 14:41:37

જ્યારે કોઈ નકલી વસ્તુનું કૌભાંડ પકડાય છે ત્યારે અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે મંત્રી, અધિકારીઓની મીલીભગત હશે. અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે ચૂંટણી પહેલા ધારાસભ્ય પાસે આટલી મિલકત હતી અને ચૂંટણી બાદ રકમમાં મસમોટો ફેરફાર થઈ જતો હોય છે. સામાન્ય રીતે આપણે જોયું, સાંભળ્યું હશે કે ધારાસભ્યો, અધિકારીઓ તપાસથી ડરતા હોય છે પરંતુ આજે એક એવા ધારાસભ્યની વાત કરવી છે જેમણે સામે ચાલીને તેમની પર તપાસ કરાવવામાં આવે તેવી માગ કરી છે.  એવા કોઈ ધારાસભ્ય કે નેતા એવા જોયા છે જે પોતે જ કહે કે મારા પર તપાસ બેસાડો મારી આવક અને સંપત્તિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવો.. જી હા ગુજરાતના એક ધારાસભ્યએ આવી માંગ કરી લેટર લખ્યો છે. 

બોટાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર!

આપણી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર એક મોટી બિમારી બની રહી છે. ભ્રષ્ટાચારનો કિડો દરેક વ્યવસાયમાં, સંસ્થાઓમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. કોઈ વખત એ ભ્રષ્ટાચારની પોલ ખુલે છે તો કોઈ વખત ભ્રષ્ટાચાર સામે પણ નથી આવતો. ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી. વર્ષોથી ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક ભાગ થઈ ગયો છે અને આ વાત આપણે સૌ કોઈ જાણીયે છીએ. આમ છતાં ભ્રષ્ટાચારના વધતા જતા સડાને અંકુશમાં રાખવા ACB, CBI સહિતની એજન્સીઓ કાર્યરત છે. Gujarat બોટાદ વિધાનસભા  બેઠકના MLA ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


તેમની સંપત્તિની તપાસ કરાવવા ધારાસભ્યએ કરી માગ 

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધી એક પત્ર લખ્યો છે જેની ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્યએ પોતે માગ કરી છે કે પોતાની આવક અને સંપત્તિની એસીબી, ઇડી અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે. અને સાથોસાથ ગુજરાતના તમામ ધારાસભ્ય, સાંસદસભ્યો, મંત્રીઓ, આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની આવક અને સંપત્તિની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. વધુમાં તપાસનો અહેવાલ જનતા સમક્ષ ઓનલાઇન મુકવામાં માગ કરી હતી. કદાચ આ આવા પહેલા ધારાસભ્ય છે. જેઓ પોતે પોતાની આવક અને સંપત્તિની તપાસની માગ કરી હોય.


આઈપીએસ-ધારાસભ્ય પાસેથી રાખી આશા

ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે એક વર્ષમાં મેળવેલો પગાર, અન્ય કમાણી અને મારી મિલકત જાહેર કરીશ. હું બાકી ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો અને ખાસ કરીને IAS – IPS અધિકારી પાસે આવી જ અપેક્ષા રાખું છું. મહત્વનું છે કે ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા પત્રને લઈ ચર્ચાઓ થઈ રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.