સુખોઈ એરક્રાફ્ટમાંથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ, અવાજથી 3 ગણી ઝડપે લક્ષ્યવેધ કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-29 20:38:31

ભારતીય એરફોર્સે ગુરવારે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલના નવા રેન્જ વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું હતું. IAFએ બંગાળની ખાડીમાં એક Su-30 MKI એરક્રાફ્ટ પરથી એક જહાજના ટારગેટ અચુક નિશાન સાધીને નષ્ટ કર્યું હતું. IAFએ ટ્વીટ કરીને કરીને માહિતી આપી હતી.   


બ્રહ્મોસ સુપરસોનિક કેટલી મહત્વની?


દેશની અત્યાધુનિક અને સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ એરોસ્પેસનું નિર્માણ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે.  સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ સબમરિનો, યુધ્ધ જહાજો, એરક્રાફ્ટ કે જમીન પરના પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. આ બ્રહ્મોસ મિસાઈલ 2.8 મેક અથવા અવાજની ગતિથી લગભગ ત્રણ ગણી વધુ ઝડપથી નિશાનને ભેદી શકે છે. આ મિસાઈલ ભારતીય એરફોર્સને સ્ટ્રેટેજીકલી વધુ મજબુત બનાવશે અને ભવિષ્યમાં યુધ્ધના મેદાન પર દુશ્મનને હરાવવામાં મોટું યોગદાન આપશે. ભારતીય વાયુસેનાએ ગુરુવારે જે આ બ્રહ્મોસ એર લોંચ મિસાઈલના અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું, તે 400 કિમીની રેન્જમાં કોઈપણ લક્ષ્યને નષ્ટ કરવામાં સક્ષમ છે. સંરક્ષણ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મિસાઇલનું પરીક્ષણ સુખોઇ Su-30 MKI ફાઇટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."