સુખોઈ એરક્રાફ્ટમાંથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ, અવાજથી 3 ગણી ઝડપે લક્ષ્યવેધ કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-29 20:38:31

ભારતીય એરફોર્સે ગુરવારે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલના નવા રેન્જ વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું હતું. IAFએ બંગાળની ખાડીમાં એક Su-30 MKI એરક્રાફ્ટ પરથી એક જહાજના ટારગેટ અચુક નિશાન સાધીને નષ્ટ કર્યું હતું. IAFએ ટ્વીટ કરીને કરીને માહિતી આપી હતી.   


બ્રહ્મોસ સુપરસોનિક કેટલી મહત્વની?


દેશની અત્યાધુનિક અને સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ એરોસ્પેસનું નિર્માણ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે.  સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ સબમરિનો, યુધ્ધ જહાજો, એરક્રાફ્ટ કે જમીન પરના પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. આ બ્રહ્મોસ મિસાઈલ 2.8 મેક અથવા અવાજની ગતિથી લગભગ ત્રણ ગણી વધુ ઝડપથી નિશાનને ભેદી શકે છે. આ મિસાઈલ ભારતીય એરફોર્સને સ્ટ્રેટેજીકલી વધુ મજબુત બનાવશે અને ભવિષ્યમાં યુધ્ધના મેદાન પર દુશ્મનને હરાવવામાં મોટું યોગદાન આપશે. ભારતીય વાયુસેનાએ ગુરુવારે જે આ બ્રહ્મોસ એર લોંચ મિસાઈલના અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું, તે 400 કિમીની રેન્જમાં કોઈપણ લક્ષ્યને નષ્ટ કરવામાં સક્ષમ છે. સંરક્ષણ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મિસાઇલનું પરીક્ષણ સુખોઇ Su-30 MKI ફાઇટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે