સુખોઈ એરક્રાફ્ટમાંથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ, અવાજથી 3 ગણી ઝડપે લક્ષ્યવેધ કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-29 20:38:31

ભારતીય એરફોર્સે ગુરવારે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલના નવા રેન્જ વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું હતું. IAFએ બંગાળની ખાડીમાં એક Su-30 MKI એરક્રાફ્ટ પરથી એક જહાજના ટારગેટ અચુક નિશાન સાધીને નષ્ટ કર્યું હતું. IAFએ ટ્વીટ કરીને કરીને માહિતી આપી હતી.   


બ્રહ્મોસ સુપરસોનિક કેટલી મહત્વની?


દેશની અત્યાધુનિક અને સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ એરોસ્પેસનું નિર્માણ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે.  સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ સબમરિનો, યુધ્ધ જહાજો, એરક્રાફ્ટ કે જમીન પરના પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. આ બ્રહ્મોસ મિસાઈલ 2.8 મેક અથવા અવાજની ગતિથી લગભગ ત્રણ ગણી વધુ ઝડપથી નિશાનને ભેદી શકે છે. આ મિસાઈલ ભારતીય એરફોર્સને સ્ટ્રેટેજીકલી વધુ મજબુત બનાવશે અને ભવિષ્યમાં યુધ્ધના મેદાન પર દુશ્મનને હરાવવામાં મોટું યોગદાન આપશે. ભારતીય વાયુસેનાએ ગુરુવારે જે આ બ્રહ્મોસ એર લોંચ મિસાઈલના અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું, તે 400 કિમીની રેન્જમાં કોઈપણ લક્ષ્યને નષ્ટ કરવામાં સક્ષમ છે. સંરક્ષણ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મિસાઇલનું પરીક્ષણ સુખોઇ Su-30 MKI ફાઇટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.