Madhya Pradesh Congressમાં ભંગાણ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કેસરિયો કર્યો ધારણ, Rahul Gandhiને લઈ શિવરાજસિંહ ચૌહાણે કહી વાત...


  • Published By :
  • Published Date : 2024-03-09 15:08:37

લોકસભા ચૂંટણીને લઈ ધીમે ધીમે માહોલ બની રહ્યો છે. એક તરફ ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે તો બીજી તરફ ચૂંટણીને લઈ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા અનેક રાજ્યોમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ નેતાઓ દ્વારા એવા નિવેદન આપવામાં આવશે જેને લઈ ચર્ચાઓ થશે. ત્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધીને લઈ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મહાત્મા ગાંધીના સૂચન મુજબ કોંગ્રેસને સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યા પછી જ રાહુલ ગાંધી શ્વાસ લેશે. કોંગ્રેસના તમામ સારા નેતાઓ પાર્ટીના નેતૃત્વથી કંટાળી ગયા છે જે દિશાહીન છે...કોંગ્રેસ લુપ્ત થવાના આરે છે."


કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે પાર્ટી છોડીને

કોંગ્રેસની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે. ગુજરાતમાં તો આના અનેક ઉદાહરણો સામે છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે એ ભલે ગુજરાત હોય કે પછી મધ્યપ્રદેશ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. કોંગ્રેસના નેતૃત્વ પર અનેક વખત સવાલો થતા રહે છે. કોંગ્રેસનો સાથ છોડીને જઈ રહેલા નેતાઓને પણ કોંગ્રેસના નેતાઓ નથી પૂછતા કે પાર્ટી છોડવા પાછળનું કારણ શું છે? ગુજરાતમાં કોંગ્રેસનો સાથ છોડીને જઈ રહેલા નેતાઓનું કહેવું છે કે પાર્ટીમાં નેતૃત્વની કમી છે.



મધ્યપ્રદેશ કોંગ્રેસમાં જોવા મળ્યું ભંગાણા 

ગુજરાતમાંથી અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને જતા રહ્યા ત્યારે હવે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશના કોંગ્રેસના દિગ્ગજ સુરેશ પચૌરી ભાજપમાં જોડાવવા જઇ રહ્યાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુરેશ પચૌરી ભાજપમાં જોડાઇ રહ્યાં છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ સાથ છોડીને જઈ રહ્યા છે તો બીજી તરફ ભાજપનું સંગઠન મજબૂત બની રહ્યું છે. રાહુલ ગાંધીને લઈ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે. 


શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર!

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ‘મેં પહેલેથી જ કહ્યું હતું કે, આઝાદી પછી મહાત્મા ગાંધીએ કોંગ્રેસને વિખેરી નાખવાનું કહ્યું હતું. અને નવા રાજકીય પક્ષની રચના કરવાનું કહ્યું હતું, પરંતુ જવાહરલાલ નેહરુએ સત્તાના સ્વાર્થને કારણે કોંગ્રેસને વિસર્જિત ન થવા દીધી અને આંદોલનનો ફાયદો ઉઠાવ્યો… પરંતુ રાહુલ ગાંધી મહાત્મા ગાંધીજીના સૂચન મુજબ કોંગ્રેસને સંપૂર્ણપણે નષ્ટ કર્યા પછી જ રાહતનો શ્વાસ લેશે. કોંગ્રેસના તમામ સારા નેતાઓ પાર્ટીના દિશાહીન નેતૃત્વથી કંટાળી ગયા છે. કોંગ્રેસ હવે લુપ્ત થવાના આરે છે. મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આવા શાબ્દિક પ્રહારો એકબીજા પર એક બીજાની પાર્ટી પર કરવામાં આવશે. જોવું રહ્યું કે ચૂંટણી પહેલા કેવા નવા ખેલ જોવા મળે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.