Madhya Pradesh Congressમાં ભંગાણ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કેસરિયો કર્યો ધારણ, Rahul Gandhiને લઈ શિવરાજસિંહ ચૌહાણે કહી વાત...


  • Published By :
  • Published Date : 2024-03-09 15:08:37

લોકસભા ચૂંટણીને લઈ ધીમે ધીમે માહોલ બની રહ્યો છે. એક તરફ ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે તો બીજી તરફ ચૂંટણીને લઈ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા અનેક રાજ્યોમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ નેતાઓ દ્વારા એવા નિવેદન આપવામાં આવશે જેને લઈ ચર્ચાઓ થશે. ત્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધીને લઈ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મહાત્મા ગાંધીના સૂચન મુજબ કોંગ્રેસને સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યા પછી જ રાહુલ ગાંધી શ્વાસ લેશે. કોંગ્રેસના તમામ સારા નેતાઓ પાર્ટીના નેતૃત્વથી કંટાળી ગયા છે જે દિશાહીન છે...કોંગ્રેસ લુપ્ત થવાના આરે છે."


કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે પાર્ટી છોડીને

કોંગ્રેસની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે. ગુજરાતમાં તો આના અનેક ઉદાહરણો સામે છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે એ ભલે ગુજરાત હોય કે પછી મધ્યપ્રદેશ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. કોંગ્રેસના નેતૃત્વ પર અનેક વખત સવાલો થતા રહે છે. કોંગ્રેસનો સાથ છોડીને જઈ રહેલા નેતાઓને પણ કોંગ્રેસના નેતાઓ નથી પૂછતા કે પાર્ટી છોડવા પાછળનું કારણ શું છે? ગુજરાતમાં કોંગ્રેસનો સાથ છોડીને જઈ રહેલા નેતાઓનું કહેવું છે કે પાર્ટીમાં નેતૃત્વની કમી છે.



મધ્યપ્રદેશ કોંગ્રેસમાં જોવા મળ્યું ભંગાણા 

ગુજરાતમાંથી અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને જતા રહ્યા ત્યારે હવે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશના કોંગ્રેસના દિગ્ગજ સુરેશ પચૌરી ભાજપમાં જોડાવવા જઇ રહ્યાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુરેશ પચૌરી ભાજપમાં જોડાઇ રહ્યાં છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ સાથ છોડીને જઈ રહ્યા છે તો બીજી તરફ ભાજપનું સંગઠન મજબૂત બની રહ્યું છે. રાહુલ ગાંધીને લઈ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે. 


શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર!

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ‘મેં પહેલેથી જ કહ્યું હતું કે, આઝાદી પછી મહાત્મા ગાંધીએ કોંગ્રેસને વિખેરી નાખવાનું કહ્યું હતું. અને નવા રાજકીય પક્ષની રચના કરવાનું કહ્યું હતું, પરંતુ જવાહરલાલ નેહરુએ સત્તાના સ્વાર્થને કારણે કોંગ્રેસને વિસર્જિત ન થવા દીધી અને આંદોલનનો ફાયદો ઉઠાવ્યો… પરંતુ રાહુલ ગાંધી મહાત્મા ગાંધીજીના સૂચન મુજબ કોંગ્રેસને સંપૂર્ણપણે નષ્ટ કર્યા પછી જ રાહતનો શ્વાસ લેશે. કોંગ્રેસના તમામ સારા નેતાઓ પાર્ટીના દિશાહીન નેતૃત્વથી કંટાળી ગયા છે. કોંગ્રેસ હવે લુપ્ત થવાના આરે છે. મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આવા શાબ્દિક પ્રહારો એકબીજા પર એક બીજાની પાર્ટી પર કરવામાં આવશે. જોવું રહ્યું કે ચૂંટણી પહેલા કેવા નવા ખેલ જોવા મળે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.