બ્રેકિંગ: અમદાવાદમા વધુ એક હિટ એન્ડ રન, અજાણ્યા વાહન ચાલકે રોડ પર જતાં દંપતીને ટ્કકર મારતા મહિલાનું મોત


  • Published By :
  • Published Date : 2023-12-05 16:50:16

અમદાવાદ શહેરમાં રાહદારીઓ અને નાના વાહનચાલકો માટે રોડક્રોસ કરવા કે માર્ગ પર ચાલવું જોખમી બની રહ્યું છે. ગાડી અને મોટા ટ્રક ડ્રાઈવરો માતેલા સાંઢની જેમ બેફામ રસ્તા પર  વાહનો દોડાવી લોકોના જીવ લઈ રહ્યા છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકે રોડ પર જતાં  દંપતીને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે.  આ ભયાનક અકસ્માત અમદાવાદની નિરમા યુનિવર્સિટી પાછળ બની હતી. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


મહિલાનો પતિ ગંભીર રીતે ઘાયલ


આ અંગેની માહિતી અનુસાર અમદાવાદના એસજી હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ નજીક નિરમા યુનિવર્સિટીના વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે દંપત્તિને ટક્કર મારી ભાગી ગયો હતો.જે પછી ટુવ્હીલર પર સવાર દંપત્તિમાંથી મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે પુરુષને પણ સામાન્ય ઈજા પહોંચી છે. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અજાણ્યા કાર ચાલક ફરાર વ્યક્તિ વિરુદ્ધ તપાસ તેજ બનાવી છે.


હિટ એન્ડ રનની ઘટનાઓ વધી


ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. હજુ હમણા થોડાં દિવસ અગાઉ અમદાવાદના હાથીજણ પાસે આવેલા પુષ્પક સિટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ પર પૂરપાટ ઝડપે જતી આઈસરે બાઈક સાથે બે યુવકનો અડફેટે લીધા હતા. જેમાં મોહમ્મદ ખાન ઝાકીર પઠાણ નામના શખ્સનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે કિશનસિંહ વાઘેલા નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.                                                                                                                                      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.