બ્રેકિંગ: અમદાવાદમા વધુ એક હિટ એન્ડ રન, અજાણ્યા વાહન ચાલકે રોડ પર જતાં દંપતીને ટ્કકર મારતા મહિલાનું મોત


  • Published By :
  • Published Date : 2023-12-05 16:50:16

અમદાવાદ શહેરમાં રાહદારીઓ અને નાના વાહનચાલકો માટે રોડક્રોસ કરવા કે માર્ગ પર ચાલવું જોખમી બની રહ્યું છે. ગાડી અને મોટા ટ્રક ડ્રાઈવરો માતેલા સાંઢની જેમ બેફામ રસ્તા પર  વાહનો દોડાવી લોકોના જીવ લઈ રહ્યા છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકે રોડ પર જતાં  દંપતીને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે.  આ ભયાનક અકસ્માત અમદાવાદની નિરમા યુનિવર્સિટી પાછળ બની હતી. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


મહિલાનો પતિ ગંભીર રીતે ઘાયલ


આ અંગેની માહિતી અનુસાર અમદાવાદના એસજી હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ નજીક નિરમા યુનિવર્સિટીના વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે દંપત્તિને ટક્કર મારી ભાગી ગયો હતો.જે પછી ટુવ્હીલર પર સવાર દંપત્તિમાંથી મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે પુરુષને પણ સામાન્ય ઈજા પહોંચી છે. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અજાણ્યા કાર ચાલક ફરાર વ્યક્તિ વિરુદ્ધ તપાસ તેજ બનાવી છે.


હિટ એન્ડ રનની ઘટનાઓ વધી


ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. હજુ હમણા થોડાં દિવસ અગાઉ અમદાવાદના હાથીજણ પાસે આવેલા પુષ્પક સિટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ પર પૂરપાટ ઝડપે જતી આઈસરે બાઈક સાથે બે યુવકનો અડફેટે લીધા હતા. જેમાં મોહમ્મદ ખાન ઝાકીર પઠાણ નામના શખ્સનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે કિશનસિંહ વાઘેલા નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.                                                                                                                                      




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી