બ્રેકિંગ: અમદાવાદમા વધુ એક હિટ એન્ડ રન, અજાણ્યા વાહન ચાલકે રોડ પર જતાં દંપતીને ટ્કકર મારતા મહિલાનું મોત


  • Published By :
  • Published Date : 2023-12-05 16:50:16

અમદાવાદ શહેરમાં રાહદારીઓ અને નાના વાહનચાલકો માટે રોડક્રોસ કરવા કે માર્ગ પર ચાલવું જોખમી બની રહ્યું છે. ગાડી અને મોટા ટ્રક ડ્રાઈવરો માતેલા સાંઢની જેમ બેફામ રસ્તા પર  વાહનો દોડાવી લોકોના જીવ લઈ રહ્યા છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકે રોડ પર જતાં  દંપતીને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે.  આ ભયાનક અકસ્માત અમદાવાદની નિરમા યુનિવર્સિટી પાછળ બની હતી. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


મહિલાનો પતિ ગંભીર રીતે ઘાયલ


આ અંગેની માહિતી અનુસાર અમદાવાદના એસજી હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ નજીક નિરમા યુનિવર્સિટીના વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે દંપત્તિને ટક્કર મારી ભાગી ગયો હતો.જે પછી ટુવ્હીલર પર સવાર દંપત્તિમાંથી મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે પુરુષને પણ સામાન્ય ઈજા પહોંચી છે. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અજાણ્યા કાર ચાલક ફરાર વ્યક્તિ વિરુદ્ધ તપાસ તેજ બનાવી છે.


હિટ એન્ડ રનની ઘટનાઓ વધી


ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. હજુ હમણા થોડાં દિવસ અગાઉ અમદાવાદના હાથીજણ પાસે આવેલા પુષ્પક સિટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ પર પૂરપાટ ઝડપે જતી આઈસરે બાઈક સાથે બે યુવકનો અડફેટે લીધા હતા. જેમાં મોહમ્મદ ખાન ઝાકીર પઠાણ નામના શખ્સનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે કિશનસિંહ વાઘેલા નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.                                                                                                                                      




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.