BREAKING: ચૂંટણી પંચે શરદ પવારને આપ્યો મોટો ઝટકો, અજિત પવાર જૂથ અસલી NCP જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-06 20:33:42

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. પંચે અજિત પવારની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક NCP તરીકે જાહેર કર્યું છે. સુનાવણી બાદ ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આયોગે પોતાના નિર્ણયમાં અજિત પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને પ્રતીક આપ્યું છે. NCPમાં વિભાજન બાદ અજિત પવારે ચૂંટણી પંચમાં દાવો કર્યો હતો. આ પછી પંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પંચના નિર્ણય બાદ અજિત પવારની છાવણી અસલી NCP હશે. પંચનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે 15 ફેબ્રુઆરી સુધીમાં NCP ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો નિર્ણય આપવાનો છે.


અજિતને પાર્ટી અને ઘડિયાળનું પ્રતિક મળ્યા


ચૂંટણી પંચના નિર્ણય બાદ અજિત પવાર હવે પાર્ટીના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી શકશે. પંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે તમામ પુરાવાઓના આધારે અજીતના જૂથને વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માનવામાં આવે છે. ગયા વર્ષે 2 જુલાઈના રોજ, અજિત પવાર 40 ધારાસભ્યો સાથે ભાજપ અને શિવસેના (શિંદે)ના નેતૃત્વવાળી સરકારમાં જોડાયા હતા. આ પછી તેણે NCPમાં દાવો કર્યો. આ પછી ચૂંટણી પંચે સુનાવણી હાથ ધરી હતી. પંચે પાર્ટીના બંધારણ અને બહુમતીના આધારે પોતાનો નિર્ણય આપ્યો છે.

  

શરદ પવારે કરી હતી NCPની સ્થાપના 


શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈને 10 જૂન, 1999ના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. 24 વર્ષ જૂની પાર્ટીમાં ઘણા નેતાઓ આવ્યા અને પાર્ટી છોડીને જતા રહ્યા, પરંતુ શરદ પવારને પાર્ટીના મુખ્ય ચહેરા તરીકે યથાવત રહ્યા હતા. જો કે ગયા વર્ષે 2 જુલાઈએ સૌથી મોટા બળવાનો સામનો કરવો પડ્યો જ્યારે ભત્રીજો અજિત પવાર ભાજપ અને શિવસેના (શિંદે) સરકારમાં જોડાયા હતા. અજિત પવાર જૂથને વાસ્તવિક NCP જાહેર કર્યા પછી, શરદ પવાર સાથે હાજર નેતાઓએ અજિત જૂથના વ્હિપના આદેશનું પાલન કરવું પડશે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.