BREAKING: ચૂંટણી પંચે શરદ પવારને આપ્યો મોટો ઝટકો, અજિત પવાર જૂથ અસલી NCP જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-06 20:33:42

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. પંચે અજિત પવારની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક NCP તરીકે જાહેર કર્યું છે. સુનાવણી બાદ ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આયોગે પોતાના નિર્ણયમાં અજિત પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને પ્રતીક આપ્યું છે. NCPમાં વિભાજન બાદ અજિત પવારે ચૂંટણી પંચમાં દાવો કર્યો હતો. આ પછી પંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પંચના નિર્ણય બાદ અજિત પવારની છાવણી અસલી NCP હશે. પંચનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે 15 ફેબ્રુઆરી સુધીમાં NCP ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો નિર્ણય આપવાનો છે.


અજિતને પાર્ટી અને ઘડિયાળનું પ્રતિક મળ્યા


ચૂંટણી પંચના નિર્ણય બાદ અજિત પવાર હવે પાર્ટીના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી શકશે. પંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે તમામ પુરાવાઓના આધારે અજીતના જૂથને વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માનવામાં આવે છે. ગયા વર્ષે 2 જુલાઈના રોજ, અજિત પવાર 40 ધારાસભ્યો સાથે ભાજપ અને શિવસેના (શિંદે)ના નેતૃત્વવાળી સરકારમાં જોડાયા હતા. આ પછી તેણે NCPમાં દાવો કર્યો. આ પછી ચૂંટણી પંચે સુનાવણી હાથ ધરી હતી. પંચે પાર્ટીના બંધારણ અને બહુમતીના આધારે પોતાનો નિર્ણય આપ્યો છે.

  

શરદ પવારે કરી હતી NCPની સ્થાપના 


શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈને 10 જૂન, 1999ના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. 24 વર્ષ જૂની પાર્ટીમાં ઘણા નેતાઓ આવ્યા અને પાર્ટી છોડીને જતા રહ્યા, પરંતુ શરદ પવારને પાર્ટીના મુખ્ય ચહેરા તરીકે યથાવત રહ્યા હતા. જો કે ગયા વર્ષે 2 જુલાઈએ સૌથી મોટા બળવાનો સામનો કરવો પડ્યો જ્યારે ભત્રીજો અજિત પવાર ભાજપ અને શિવસેના (શિંદે) સરકારમાં જોડાયા હતા. અજિત પવાર જૂથને વાસ્તવિક NCP જાહેર કર્યા પછી, શરદ પવાર સાથે હાજર નેતાઓએ અજિત જૂથના વ્હિપના આદેશનું પાલન કરવું પડશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.