Breaking:બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન, ભારત સરકારે કરી મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-23 21:04:48

બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ જાહેરાત ભારત સરકાર દ્વારા મોડી સાંજે કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે 24 જાન્યુઆરીના રોજ કર્પૂરી ઠાકુરની 100મી જયંતી છે. જ્યંતીના એક દિવસ પહેલા જ સરકાર દ્વારા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 


કોણ હતા કર્પૂરી ઠાકુર?


કર્પૂરી ઠાકુર મહાન સમાજવાદી નેતા હતા, તેમની લોકપ્રિયતાના કારણે બિહારમાં જનનાયક કહેવામાં આવતા હતા. તેમનો જન્મ બિહારના સમસ્તીપુર જિલ્લાના પિતૌઝિયા ગામમાં થયો હતો. પટણાથી વર્ષ 1940માં તેમણે મેટ્રિક પાસ કર્યા બાદ સ્વતંત્રતા આંદોલનમાં ઝંપલાવ્યું હતું. તેમણે સમાજવાદી નેતા નરેન્દ્ર દેવને પોતાના આદર્શ બનાવી તેમના માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું હતું. તેમણે વર્ષ 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. જેના કારણે તેમને ઘણા મહિના સુધી જેલમાં જ રહેવું પડ્યું હતું. તેમની સરકારે સમાજના વંચિત અને શોષિત સમાજના લોકોના ઉત્થાન માટે તેમણે કરેલા અથાક પ્રયત્નોને લોકો આજે પણ બિરદાવે છે. તેઓ બિહારમાં ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકે જાણીતા હતા. તેમના શાસનકાળમાં અમલી બનેલી ભૂમિ સુધારણા યોજના અને શિક્ષણ સુધારણા યોજનાની વ્યાપક અસર દેશભરમાં થઈ હતી.


કેવી રહી રાજકીય સફર


કર્પુરી ઠાકુર 1952માં તાજપુર વિધાનસભા મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. 1967ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં, કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી, જેના પરિણામે બિહારમાં પહેલીવાર બિન-કોંગ્રેસી પાર્ટીની સરકાર બની. મહામાયા પ્રસાદ સિંહા મુખ્યમંત્રી બન્યા. અને કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યમંત્રી બન્યા અને તેમને શિક્ષણ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુરે શિક્ષણ મંત્રી રહીને વિદ્યાર્થીઓની ફી નાબૂદ કરી હતી અને અંગ્રેજીની આવશ્યકતા પણ નાબૂદ કરી હતી. થોડા સમય પછી બિહારની રાજનીતિએ એવો વળાંક લીધો કે કર્પૂરી ઠાકુર મુખ્યમંત્રી બન્યા. આ સમયગાળા દરમિયાન તેઓ છ મહિના સુધી સત્તામાં રહ્યા. તેમણે એવા ક્ષેત્રો પરની મહેસૂલ નાબૂદ કરી જે ખેડૂતોને કોઈ નફો આપતી ન હતી, 5 એકરથી ઓછી જમીન ધરાવતી જમીન પરની આવક પણ મહેસૂલ નાબૂદ કરી હતી અને ઉર્દૂને રાજ્ય ભાષાનો દરજ્જો પણ આપ્યો હતો. આ પછી, તેમની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં સમાજવાદનો એક મોટો ચહેરો બની ગયા હતા. મંડલ ચળવળ અગાઉ જ જ્યારે તેઓ બિહારના મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે પછાત વર્ગોને 27 ટકા અનામત આપી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.