Breaking:બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન, ભારત સરકારે કરી મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-23 21:04:48

બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ જાહેરાત ભારત સરકાર દ્વારા મોડી સાંજે કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે 24 જાન્યુઆરીના રોજ કર્પૂરી ઠાકુરની 100મી જયંતી છે. જ્યંતીના એક દિવસ પહેલા જ સરકાર દ્વારા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 


કોણ હતા કર્પૂરી ઠાકુર?


કર્પૂરી ઠાકુર મહાન સમાજવાદી નેતા હતા, તેમની લોકપ્રિયતાના કારણે બિહારમાં જનનાયક કહેવામાં આવતા હતા. તેમનો જન્મ બિહારના સમસ્તીપુર જિલ્લાના પિતૌઝિયા ગામમાં થયો હતો. પટણાથી વર્ષ 1940માં તેમણે મેટ્રિક પાસ કર્યા બાદ સ્વતંત્રતા આંદોલનમાં ઝંપલાવ્યું હતું. તેમણે સમાજવાદી નેતા નરેન્દ્ર દેવને પોતાના આદર્શ બનાવી તેમના માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું હતું. તેમણે વર્ષ 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. જેના કારણે તેમને ઘણા મહિના સુધી જેલમાં જ રહેવું પડ્યું હતું. તેમની સરકારે સમાજના વંચિત અને શોષિત સમાજના લોકોના ઉત્થાન માટે તેમણે કરેલા અથાક પ્રયત્નોને લોકો આજે પણ બિરદાવે છે. તેઓ બિહારમાં ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકે જાણીતા હતા. તેમના શાસનકાળમાં અમલી બનેલી ભૂમિ સુધારણા યોજના અને શિક્ષણ સુધારણા યોજનાની વ્યાપક અસર દેશભરમાં થઈ હતી.


કેવી રહી રાજકીય સફર


કર્પુરી ઠાકુર 1952માં તાજપુર વિધાનસભા મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. 1967ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં, કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી, જેના પરિણામે બિહારમાં પહેલીવાર બિન-કોંગ્રેસી પાર્ટીની સરકાર બની. મહામાયા પ્રસાદ સિંહા મુખ્યમંત્રી બન્યા. અને કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યમંત્રી બન્યા અને તેમને શિક્ષણ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુરે શિક્ષણ મંત્રી રહીને વિદ્યાર્થીઓની ફી નાબૂદ કરી હતી અને અંગ્રેજીની આવશ્યકતા પણ નાબૂદ કરી હતી. થોડા સમય પછી બિહારની રાજનીતિએ એવો વળાંક લીધો કે કર્પૂરી ઠાકુર મુખ્યમંત્રી બન્યા. આ સમયગાળા દરમિયાન તેઓ છ મહિના સુધી સત્તામાં રહ્યા. તેમણે એવા ક્ષેત્રો પરની મહેસૂલ નાબૂદ કરી જે ખેડૂતોને કોઈ નફો આપતી ન હતી, 5 એકરથી ઓછી જમીન ધરાવતી જમીન પરની આવક પણ મહેસૂલ નાબૂદ કરી હતી અને ઉર્દૂને રાજ્ય ભાષાનો દરજ્જો પણ આપ્યો હતો. આ પછી, તેમની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં સમાજવાદનો એક મોટો ચહેરો બની ગયા હતા. મંડલ ચળવળ અગાઉ જ જ્યારે તેઓ બિહારના મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે પછાત વર્ગોને 27 ટકા અનામત આપી હતી.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.