Breaking:બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન, ભારત સરકારે કરી મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-23 21:04:48

બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ જાહેરાત ભારત સરકાર દ્વારા મોડી સાંજે કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે 24 જાન્યુઆરીના રોજ કર્પૂરી ઠાકુરની 100મી જયંતી છે. જ્યંતીના એક દિવસ પહેલા જ સરકાર દ્વારા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 


કોણ હતા કર્પૂરી ઠાકુર?


કર્પૂરી ઠાકુર મહાન સમાજવાદી નેતા હતા, તેમની લોકપ્રિયતાના કારણે બિહારમાં જનનાયક કહેવામાં આવતા હતા. તેમનો જન્મ બિહારના સમસ્તીપુર જિલ્લાના પિતૌઝિયા ગામમાં થયો હતો. પટણાથી વર્ષ 1940માં તેમણે મેટ્રિક પાસ કર્યા બાદ સ્વતંત્રતા આંદોલનમાં ઝંપલાવ્યું હતું. તેમણે સમાજવાદી નેતા નરેન્દ્ર દેવને પોતાના આદર્શ બનાવી તેમના માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું હતું. તેમણે વર્ષ 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. જેના કારણે તેમને ઘણા મહિના સુધી જેલમાં જ રહેવું પડ્યું હતું. તેમની સરકારે સમાજના વંચિત અને શોષિત સમાજના લોકોના ઉત્થાન માટે તેમણે કરેલા અથાક પ્રયત્નોને લોકો આજે પણ બિરદાવે છે. તેઓ બિહારમાં ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકે જાણીતા હતા. તેમના શાસનકાળમાં અમલી બનેલી ભૂમિ સુધારણા યોજના અને શિક્ષણ સુધારણા યોજનાની વ્યાપક અસર દેશભરમાં થઈ હતી.


કેવી રહી રાજકીય સફર


કર્પુરી ઠાકુર 1952માં તાજપુર વિધાનસભા મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. 1967ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં, કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી, જેના પરિણામે બિહારમાં પહેલીવાર બિન-કોંગ્રેસી પાર્ટીની સરકાર બની. મહામાયા પ્રસાદ સિંહા મુખ્યમંત્રી બન્યા. અને કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યમંત્રી બન્યા અને તેમને શિક્ષણ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુરે શિક્ષણ મંત્રી રહીને વિદ્યાર્થીઓની ફી નાબૂદ કરી હતી અને અંગ્રેજીની આવશ્યકતા પણ નાબૂદ કરી હતી. થોડા સમય પછી બિહારની રાજનીતિએ એવો વળાંક લીધો કે કર્પૂરી ઠાકુર મુખ્યમંત્રી બન્યા. આ સમયગાળા દરમિયાન તેઓ છ મહિના સુધી સત્તામાં રહ્યા. તેમણે એવા ક્ષેત્રો પરની મહેસૂલ નાબૂદ કરી જે ખેડૂતોને કોઈ નફો આપતી ન હતી, 5 એકરથી ઓછી જમીન ધરાવતી જમીન પરની આવક પણ મહેસૂલ નાબૂદ કરી હતી અને ઉર્દૂને રાજ્ય ભાષાનો દરજ્જો પણ આપ્યો હતો. આ પછી, તેમની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં સમાજવાદનો એક મોટો ચહેરો બની ગયા હતા. મંડલ ચળવળ અગાઉ જ જ્યારે તેઓ બિહારના મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે પછાત વર્ગોને 27 ટકા અનામત આપી હતી.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.