બ્રેકિંગ! ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના CM કેજરીવાલની રિવ્યૂ પિટિશન ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-09 15:32:51

દિલ્હીના CM કેજરીવાલની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. એક તરફ ઈડીએ સમન્સ પાઠવ્યા છે, તો આજે નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમની રિવ્યૂ પિટિશન ફગાવી દેતા જ જબરદસ્ત ફટકો પડ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગી હતી. બાદમાં ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. જેને લઈને અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. જેમાં આજે હાઈકોર્ટે આજે કેજરીવાલની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી છે. આથી અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ યથાવત રહેશે. કોર્ટેના ધ્યાને વડાપ્રધાનની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર છે તેમ ધ્યાને મૂકાતા અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પણ અરજી ફગાવતા કેજરીવાલ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે તેવું માનવામાં આવી રહ્યું છે.


રિવ્યુ પિટિશન પર થઈ હતી સુનાવણી


દિલ્હીના CM કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે સુનાવણી માટે સ્વીકારી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ રિવ્યુ પિટિશન પર સુનાવણી કર્યા બાદ 29 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. રિવ્યુ પિટિશન પર નિર્ણય આવ્યા બાદ કેજરીવાલના વકીલોએ કહ્યું કે તેઓ ઓર્ડરની કોપી જોયા બાદ આગળનો નિર્ણય લેશે. જસ્ટિસ બીરેન વૈષ્ણવે અરવિંદ કેજરીવાલની સમીક્ષા અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો.


શું છે સમગ્ર મામલો?


વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ 2016માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. 


PM મોદીએ પોલિટિકલ સાયન્સમાં મેળવી છે ડિગ્રી


ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ નરેન્દ્ર મોદીએ 1981થી 1982 દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું. જેમાં વેબસાઈટ પર જાહેર થયેલા રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ પાર્ટ-1 અને પાર્ટ-2 એમ બંને પરીક્ષામાં કુલ 800માંથી 499 માર્કસ મેળવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેડ મેળવ્યો હતો. તમે નહીં માનો પણ મોદી પીએમની પરીક્ષામાં જેમ ફસ્ટક્લાસમાં પાસ થયા છે તેમ એમએની પરીક્ષામાં પણ ફ્સટક્લાસમાં પાસ થયા હતા. વેબસાઈટ પર જાહેર રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ એક્સટર્નલ પરીક્ષામાં કુલ 499 માર્ક્સ મેળવ્યા હતા.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી