બ્રેકિંગ! ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના CM કેજરીવાલની રિવ્યૂ પિટિશન ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-09 15:32:51

દિલ્હીના CM કેજરીવાલની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. એક તરફ ઈડીએ સમન્સ પાઠવ્યા છે, તો આજે નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમની રિવ્યૂ પિટિશન ફગાવી દેતા જ જબરદસ્ત ફટકો પડ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગી હતી. બાદમાં ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. જેને લઈને અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. જેમાં આજે હાઈકોર્ટે આજે કેજરીવાલની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી છે. આથી અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ યથાવત રહેશે. કોર્ટેના ધ્યાને વડાપ્રધાનની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર છે તેમ ધ્યાને મૂકાતા અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પણ અરજી ફગાવતા કેજરીવાલ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે તેવું માનવામાં આવી રહ્યું છે.


રિવ્યુ પિટિશન પર થઈ હતી સુનાવણી


દિલ્હીના CM કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે સુનાવણી માટે સ્વીકારી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ રિવ્યુ પિટિશન પર સુનાવણી કર્યા બાદ 29 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. રિવ્યુ પિટિશન પર નિર્ણય આવ્યા બાદ કેજરીવાલના વકીલોએ કહ્યું કે તેઓ ઓર્ડરની કોપી જોયા બાદ આગળનો નિર્ણય લેશે. જસ્ટિસ બીરેન વૈષ્ણવે અરવિંદ કેજરીવાલની સમીક્ષા અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો.


શું છે સમગ્ર મામલો?


વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ 2016માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. 


PM મોદીએ પોલિટિકલ સાયન્સમાં મેળવી છે ડિગ્રી


ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ નરેન્દ્ર મોદીએ 1981થી 1982 દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું. જેમાં વેબસાઈટ પર જાહેર થયેલા રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ પાર્ટ-1 અને પાર્ટ-2 એમ બંને પરીક્ષામાં કુલ 800માંથી 499 માર્કસ મેળવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેડ મેળવ્યો હતો. તમે નહીં માનો પણ મોદી પીએમની પરીક્ષામાં જેમ ફસ્ટક્લાસમાં પાસ થયા છે તેમ એમએની પરીક્ષામાં પણ ફ્સટક્લાસમાં પાસ થયા હતા. વેબસાઈટ પર જાહેર રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ એક્સટર્નલ પરીક્ષામાં કુલ 499 માર્ક્સ મેળવ્યા હતા.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.