બ્રેકિંગ! ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના CM કેજરીવાલની રિવ્યૂ પિટિશન ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-09 15:32:51

દિલ્હીના CM કેજરીવાલની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. એક તરફ ઈડીએ સમન્સ પાઠવ્યા છે, તો આજે નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમની રિવ્યૂ પિટિશન ફગાવી દેતા જ જબરદસ્ત ફટકો પડ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગી હતી. બાદમાં ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. જેને લઈને અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. જેમાં આજે હાઈકોર્ટે આજે કેજરીવાલની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી છે. આથી અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ યથાવત રહેશે. કોર્ટેના ધ્યાને વડાપ્રધાનની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર છે તેમ ધ્યાને મૂકાતા અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પણ અરજી ફગાવતા કેજરીવાલ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે તેવું માનવામાં આવી રહ્યું છે.


રિવ્યુ પિટિશન પર થઈ હતી સુનાવણી


દિલ્હીના CM કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે સુનાવણી માટે સ્વીકારી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ રિવ્યુ પિટિશન પર સુનાવણી કર્યા બાદ 29 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. રિવ્યુ પિટિશન પર નિર્ણય આવ્યા બાદ કેજરીવાલના વકીલોએ કહ્યું કે તેઓ ઓર્ડરની કોપી જોયા બાદ આગળનો નિર્ણય લેશે. જસ્ટિસ બીરેન વૈષ્ણવે અરવિંદ કેજરીવાલની સમીક્ષા અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો.


શું છે સમગ્ર મામલો?


વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ 2016માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. 


PM મોદીએ પોલિટિકલ સાયન્સમાં મેળવી છે ડિગ્રી


ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ નરેન્દ્ર મોદીએ 1981થી 1982 દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું. જેમાં વેબસાઈટ પર જાહેર થયેલા રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ પાર્ટ-1 અને પાર્ટ-2 એમ બંને પરીક્ષામાં કુલ 800માંથી 499 માર્કસ મેળવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેડ મેળવ્યો હતો. તમે નહીં માનો પણ મોદી પીએમની પરીક્ષામાં જેમ ફસ્ટક્લાસમાં પાસ થયા છે તેમ એમએની પરીક્ષામાં પણ ફ્સટક્લાસમાં પાસ થયા હતા. વેબસાઈટ પર જાહેર રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ એક્સટર્નલ પરીક્ષામાં કુલ 499 માર્ક્સ મેળવ્યા હતા.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.