બ્રેકિંગ: મહુઆ મોઈત્રાનું સભ્ય પદ રદ્દ, લોકસભામાં ચર્ચા બાદ એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજુર, વિપક્ષનું વોકઆઉટ


  • Published By :
  • Published Date : 2023-12-08 16:07:48

તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની સાંસદ મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. લોકસભામાં કેશ ફોર ક્વેરી મામલે એથિક્સ કમિટીની રિપોર્ટ રજુ કરવામાં આવી ત્યાર બાદ તેના પર ચર્ચા અને મતદાન થયું હતું.  વિપક્ષી સાંસદોએ આ દરમિયાન વોકઆઉટ કર્યું હતું, ત્યાર બાદ રિપોર્ટ મંજુર થઈ ગઈ હતી. એથિક્સ કમિટીએ તેની રિપોર્ટ પર મહુઆ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. રિપોર્ટ પર ચર્ચા દરમિયાન ટીએમસી, કોંગ્રેસ અને વિપક્ષી સાંસદોએ મહુઆ મોઈત્રાને બોલવાની એક તક આપવાની માગ કરી હતી. જો  કે બીજેપી સાંસદોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. સ્પિકરે પણ વિપક્ષની માગ ફગાવી દીધી હતી.  


BJP સાંસદ નિશિકાંત દુબેએ લગાવ્યો હતો આરોપ


મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ જવા માટે જે વ્યક્તિને જવાબદાર ઠરાવવામાં આવે છે તેમનું નામ નિશિકાંત દુબે છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા પર સૌપ્રથમ આરોપ લગાવ્યો હતો. નિશિકાંતે મહુઆ પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દુબેએ સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંતનો પત્ર બતાવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાંચની લેવડદેવડ મહુઆ અને હીરાનંદાની વચ્ચે થઈ હતી. દુબેએ આરોપ લગાવ્યો ત્યાર બાદ મહુઆએ બિજેપી સાંસદ નિશિકાંત દુબે અને જય અનંતને કાનુની નોટિસ ફટકારી હતી. મહુઆએ આ તમામ આરોપ પાયાવિહોણા ગણાવ્યા હતા.  

શા માટે ગયું સભ્યપદ?


ઉલ્લેખનિય છે કે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર લોકસભાની વેબસાઈટનું લોગ-ઈન અને પાસવર્ડ વિદેશમાં રહેતા એક ભારતીય બિઝનેશમેન સાથે શેઅર કરવાનો આરોપ છે. બિજેપી સાંસદ નિશિકાંત દુબેના ખુલાસા બાદ ઘેરાયેલી મહુઆએ તેને મીડિયા સામે પણ સ્વિકાર્યો હતો. તેમની દલીલ છે કે લોગ-ઈન ડીટેલ તો સાંસદો કોઈની પણ સાથે શેર  કરે જ છે. જો કે મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરૂધ્ધ એજન્ડા ચલાવવા માટે હરિફ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સાંઠગાઠનો આરોપ છે. હીરાનંદાનીએ તે પણ કહ્યું કે તેમણે અદાણી સામે સંસદમાં સવાલ ઉઠાવવા માટે મહુઆ મોઈત્રાને પૈસા અને મોંઘી ગિફ્ટ આપી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.