બ્રેકિંગ: મહુઆ મોઈત્રાનું સભ્ય પદ રદ્દ, લોકસભામાં ચર્ચા બાદ એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજુર, વિપક્ષનું વોકઆઉટ


  • Published By :
  • Published Date : 2023-12-08 16:07:48

તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની સાંસદ મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. લોકસભામાં કેશ ફોર ક્વેરી મામલે એથિક્સ કમિટીની રિપોર્ટ રજુ કરવામાં આવી ત્યાર બાદ તેના પર ચર્ચા અને મતદાન થયું હતું.  વિપક્ષી સાંસદોએ આ દરમિયાન વોકઆઉટ કર્યું હતું, ત્યાર બાદ રિપોર્ટ મંજુર થઈ ગઈ હતી. એથિક્સ કમિટીએ તેની રિપોર્ટ પર મહુઆ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. રિપોર્ટ પર ચર્ચા દરમિયાન ટીએમસી, કોંગ્રેસ અને વિપક્ષી સાંસદોએ મહુઆ મોઈત્રાને બોલવાની એક તક આપવાની માગ કરી હતી. જો  કે બીજેપી સાંસદોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. સ્પિકરે પણ વિપક્ષની માગ ફગાવી દીધી હતી.  


BJP સાંસદ નિશિકાંત દુબેએ લગાવ્યો હતો આરોપ


મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ જવા માટે જે વ્યક્તિને જવાબદાર ઠરાવવામાં આવે છે તેમનું નામ નિશિકાંત દુબે છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા પર સૌપ્રથમ આરોપ લગાવ્યો હતો. નિશિકાંતે મહુઆ પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દુબેએ સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંતનો પત્ર બતાવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાંચની લેવડદેવડ મહુઆ અને હીરાનંદાની વચ્ચે થઈ હતી. દુબેએ આરોપ લગાવ્યો ત્યાર બાદ મહુઆએ બિજેપી સાંસદ નિશિકાંત દુબે અને જય અનંતને કાનુની નોટિસ ફટકારી હતી. મહુઆએ આ તમામ આરોપ પાયાવિહોણા ગણાવ્યા હતા.  

શા માટે ગયું સભ્યપદ?


ઉલ્લેખનિય છે કે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર લોકસભાની વેબસાઈટનું લોગ-ઈન અને પાસવર્ડ વિદેશમાં રહેતા એક ભારતીય બિઝનેશમેન સાથે શેઅર કરવાનો આરોપ છે. બિજેપી સાંસદ નિશિકાંત દુબેના ખુલાસા બાદ ઘેરાયેલી મહુઆએ તેને મીડિયા સામે પણ સ્વિકાર્યો હતો. તેમની દલીલ છે કે લોગ-ઈન ડીટેલ તો સાંસદો કોઈની પણ સાથે શેર  કરે જ છે. જો કે મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરૂધ્ધ એજન્ડા ચલાવવા માટે હરિફ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સાંઠગાઠનો આરોપ છે. હીરાનંદાનીએ તે પણ કહ્યું કે તેમણે અદાણી સામે સંસદમાં સવાલ ઉઠાવવા માટે મહુઆ મોઈત્રાને પૈસા અને મોંઘી ગિફ્ટ આપી છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.