બ્રેકિંગ: મહુઆ મોઈત્રાનું સભ્ય પદ રદ્દ, લોકસભામાં ચર્ચા બાદ એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજુર, વિપક્ષનું વોકઆઉટ


  • Published By :
  • Published Date : 2023-12-08 16:07:48

તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની સાંસદ મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. લોકસભામાં કેશ ફોર ક્વેરી મામલે એથિક્સ કમિટીની રિપોર્ટ રજુ કરવામાં આવી ત્યાર બાદ તેના પર ચર્ચા અને મતદાન થયું હતું.  વિપક્ષી સાંસદોએ આ દરમિયાન વોકઆઉટ કર્યું હતું, ત્યાર બાદ રિપોર્ટ મંજુર થઈ ગઈ હતી. એથિક્સ કમિટીએ તેની રિપોર્ટ પર મહુઆ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. રિપોર્ટ પર ચર્ચા દરમિયાન ટીએમસી, કોંગ્રેસ અને વિપક્ષી સાંસદોએ મહુઆ મોઈત્રાને બોલવાની એક તક આપવાની માગ કરી હતી. જો  કે બીજેપી સાંસદોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. સ્પિકરે પણ વિપક્ષની માગ ફગાવી દીધી હતી.  


BJP સાંસદ નિશિકાંત દુબેએ લગાવ્યો હતો આરોપ


મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ જવા માટે જે વ્યક્તિને જવાબદાર ઠરાવવામાં આવે છે તેમનું નામ નિશિકાંત દુબે છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા પર સૌપ્રથમ આરોપ લગાવ્યો હતો. નિશિકાંતે મહુઆ પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દુબેએ સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંતનો પત્ર બતાવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાંચની લેવડદેવડ મહુઆ અને હીરાનંદાની વચ્ચે થઈ હતી. દુબેએ આરોપ લગાવ્યો ત્યાર બાદ મહુઆએ બિજેપી સાંસદ નિશિકાંત દુબે અને જય અનંતને કાનુની નોટિસ ફટકારી હતી. મહુઆએ આ તમામ આરોપ પાયાવિહોણા ગણાવ્યા હતા.  

શા માટે ગયું સભ્યપદ?


ઉલ્લેખનિય છે કે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર લોકસભાની વેબસાઈટનું લોગ-ઈન અને પાસવર્ડ વિદેશમાં રહેતા એક ભારતીય બિઝનેશમેન સાથે શેઅર કરવાનો આરોપ છે. બિજેપી સાંસદ નિશિકાંત દુબેના ખુલાસા બાદ ઘેરાયેલી મહુઆએ તેને મીડિયા સામે પણ સ્વિકાર્યો હતો. તેમની દલીલ છે કે લોગ-ઈન ડીટેલ તો સાંસદો કોઈની પણ સાથે શેર  કરે જ છે. જો કે મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરૂધ્ધ એજન્ડા ચલાવવા માટે હરિફ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સાંઠગાઠનો આરોપ છે. હીરાનંદાનીએ તે પણ કહ્યું કે તેમણે અદાણી સામે સંસદમાં સવાલ ઉઠાવવા માટે મહુઆ મોઈત્રાને પૈસા અને મોંઘી ગિફ્ટ આપી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે