Breaking News : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત AAPને મોટો ફટકો! આ ધારાસભ્ય ગમે ત્યારે આપી શકે છે રાજીનામું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 10:35:52

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદથી રાજીનામું આપી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે ગમે ત્યારે પાર્ટી સાથે છેડો પણ ફાડી શકે છે. હાલ આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. એવી પણ અટકળો સામે આવી છે કે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. વિધાનસભામાં જ્યારે રાજીનામું આપવા પહોંચ્યા હતા ત્યારે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી દેશની સેવા માટે યોગ્ય પ્લેટફોર્મ ન હતું!  


ભુુપત ભાયાણી કરશે ઘરવાપસી? 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટો મળી હતી. આપના પાંચ ધારાસભ્યો હતા પરંતુ હવે આ આંકડો ચાર પર પહોંચી જાય તેવી અટકળો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું ગમે ત્યારે આપી શકે છે. જો ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તો આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી શકે છે. મહત્વનું છે કે આની સીધી અસર લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવા માટે ભુપત ભાયાણી વિધાનસભા પહોંચી ગયા છે અને અધ્યક્ષને ગમે ત્યારે રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. 

ભૂપત ભાયાણીએ કહ્યું- ભાજપ મારું ગોત્ર છે, લોકોની સલાહ પછી નિર્ણય કરીશ -  Gujarat Election Result 2022 Will Decide After Consulting People Aap Mla Bhupat  Bhayani On Joining Bjp | ગુજરાત ...



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.