Breaking News : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત AAPને મોટો ફટકો! આ ધારાસભ્ય ગમે ત્યારે આપી શકે છે રાજીનામું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 10:35:52

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદથી રાજીનામું આપી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે ગમે ત્યારે પાર્ટી સાથે છેડો પણ ફાડી શકે છે. હાલ આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. એવી પણ અટકળો સામે આવી છે કે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. વિધાનસભામાં જ્યારે રાજીનામું આપવા પહોંચ્યા હતા ત્યારે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી દેશની સેવા માટે યોગ્ય પ્લેટફોર્મ ન હતું!  


ભુુપત ભાયાણી કરશે ઘરવાપસી? 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટો મળી હતી. આપના પાંચ ધારાસભ્યો હતા પરંતુ હવે આ આંકડો ચાર પર પહોંચી જાય તેવી અટકળો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું ગમે ત્યારે આપી શકે છે. જો ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તો આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી શકે છે. મહત્વનું છે કે આની સીધી અસર લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવા માટે ભુપત ભાયાણી વિધાનસભા પહોંચી ગયા છે અને અધ્યક્ષને ગમે ત્યારે રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. 

ભૂપત ભાયાણીએ કહ્યું- ભાજપ મારું ગોત્ર છે, લોકોની સલાહ પછી નિર્ણય કરીશ -  Gujarat Election Result 2022 Will Decide After Consulting People Aap Mla Bhupat  Bhayani On Joining Bjp | ગુજરાત ...



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .