Breaking News : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત AAPને મોટો ફટકો! આ ધારાસભ્ય ગમે ત્યારે આપી શકે છે રાજીનામું, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-13 10:35:52

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદથી રાજીનામું આપી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે ગમે ત્યારે પાર્ટી સાથે છેડો પણ ફાડી શકે છે. હાલ આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. એવી પણ અટકળો સામે આવી છે કે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. વિધાનસભામાં જ્યારે રાજીનામું આપવા પહોંચ્યા હતા ત્યારે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી દેશની સેવા માટે યોગ્ય પ્લેટફોર્મ ન હતું!  


ભુુપત ભાયાણી કરશે ઘરવાપસી? 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટો મળી હતી. આપના પાંચ ધારાસભ્યો હતા પરંતુ હવે આ આંકડો ચાર પર પહોંચી જાય તેવી અટકળો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું ગમે ત્યારે આપી શકે છે. જો ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તો આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી શકે છે. મહત્વનું છે કે આની સીધી અસર લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવા માટે ભુપત ભાયાણી વિધાનસભા પહોંચી ગયા છે અને અધ્યક્ષને ગમે ત્યારે રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. 

ભૂપત ભાયાણીએ કહ્યું- ભાજપ મારું ગોત્ર છે, લોકોની સલાહ પછી નિર્ણય કરીશ -  Gujarat Election Result 2022 Will Decide After Consulting People Aap Mla Bhupat  Bhayani On Joining Bjp | ગુજરાત ...



થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર અનેક જગ્યાઓ પર પહોંચી ગયો છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

બાળકોને જોઈ અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવે છે... માતાની મમતા યાદ આવે છે અને બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવે છે..

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.