Breaking News : INDIA Allianceને મોટો ઝટકો, પંજાબમાં આ પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાની કરી જાહેરાત..!


  • Published By :
  • Published Date : 2024-02-10 16:42:03

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે. ભાજપને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી હતી. પરંતુ તે ગઠબંધનને ધીરે ધીરે ઝટકા લાગી રહ્યા છે. અનેક રાજ્યોમાં અલગ અલગ પાર્ટીઓએ સ્વતંત્ર પાર્ટી તરીકે લડવાનો નિર્ણય કર્યો છે. પંજાબ માટે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે... 

14 બેઠકો પર આપ ઉતારશે ઉમેદવાર! 

લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે ત્યારે આજે જાહેરાત કરવામાં આવી કે પંજાબમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરવામાં આવી કે આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી માટે પંજાબમાં 13 ઉમેદવારોને તેમજ ચંદીગઢ માટે 1 સીટ માટે પોતાનો ઉમેદવારને મેદાનમાં ઉતારશે. જાહેરાત કર્યા બાદ એવું સ્પષ્ટ થઈ ગયું છે કે પંજાબ તેમજ ચંડીગઢ લોકસભા પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારશે. એક વીડિયો શેર કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા. મહત્વનું છે કે આની પહેલા મમતા બેનર્જી, નીતિશ કુમાર સહિતના નેતાઓએ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.