Breaking News : INDIA Allianceને મોટો ઝટકો, પંજાબમાં આ પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાની કરી જાહેરાત..!


  • Published By :
  • Published Date : 2024-02-10 16:42:03

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે. ભાજપને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી હતી. પરંતુ તે ગઠબંધનને ધીરે ધીરે ઝટકા લાગી રહ્યા છે. અનેક રાજ્યોમાં અલગ અલગ પાર્ટીઓએ સ્વતંત્ર પાર્ટી તરીકે લડવાનો નિર્ણય કર્યો છે. પંજાબ માટે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે... 

14 બેઠકો પર આપ ઉતારશે ઉમેદવાર! 

લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે ત્યારે આજે જાહેરાત કરવામાં આવી કે પંજાબમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરવામાં આવી કે આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી માટે પંજાબમાં 13 ઉમેદવારોને તેમજ ચંદીગઢ માટે 1 સીટ માટે પોતાનો ઉમેદવારને મેદાનમાં ઉતારશે. જાહેરાત કર્યા બાદ એવું સ્પષ્ટ થઈ ગયું છે કે પંજાબ તેમજ ચંડીગઢ લોકસભા પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારશે. એક વીડિયો શેર કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા. મહત્વનું છે કે આની પહેલા મમતા બેનર્જી, નીતિશ કુમાર સહિતના નેતાઓએ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.