Breaking News : મિઝોરમમાં સર્જાઈ મોટી દુર્ઘટના, અંડર કન્સ્ટ્રક્શન રેલવે પુલ ધરાશાયી થતાં થયા આટલા શ્રમિકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-23 13:26:42

મિઝોરમમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં 17 શ્રમિકોના મોત થઈ ગયા છે. અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ તૂટી  પડ્યો છે અને દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના જ્યારે સર્જાઈ ત્યારે બ્રિજની કામગીરી કરવા માટે 30થી 40 જેટલા શ્રમિકો હાજર હતા. સવારે 10 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે.  

દુર્ઘટનામાં થયા 17 શ્રમિકોના મોત

અનેક વખત નિર્માણાધીન સાઈટ પર દુર્ઘટના સર્જાતી હોય છે. સ્લેબનો ભાગ ધરાશાયી થતાં અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના મિઝોરમમાં સર્જાઈ છે. પુલ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાતા અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને 17 જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. દુર્ઘટના સર્જાતા ત્વરીત રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનેક શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે. દુર્ઘટનાને લઈ પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.      


દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે! 

જે અકસ્માત સર્જાયો છે તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા થાંભલા વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો.  જે ગાર્ડર નીચે ધરાશાયી થયો તેની પર 30થી 40 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા. દુર્ઘટના સર્જાતા શ્રમિકો કાટમાળની નીચે દબાઈ ગયા અને 17 જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. જે પુલ ધરાશાયી થયો છે તેની ઉંચાઈ 104 મીટર માનવામાં આવી રહી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.