Breaking News : મિઝોરમમાં સર્જાઈ મોટી દુર્ઘટના, અંડર કન્સ્ટ્રક્શન રેલવે પુલ ધરાશાયી થતાં થયા આટલા શ્રમિકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-23 13:26:42

મિઝોરમમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં 17 શ્રમિકોના મોત થઈ ગયા છે. અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ તૂટી  પડ્યો છે અને દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના જ્યારે સર્જાઈ ત્યારે બ્રિજની કામગીરી કરવા માટે 30થી 40 જેટલા શ્રમિકો હાજર હતા. સવારે 10 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે.  

દુર્ઘટનામાં થયા 17 શ્રમિકોના મોત

અનેક વખત નિર્માણાધીન સાઈટ પર દુર્ઘટના સર્જાતી હોય છે. સ્લેબનો ભાગ ધરાશાયી થતાં અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના મિઝોરમમાં સર્જાઈ છે. પુલ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાતા અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને 17 જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. દુર્ઘટના સર્જાતા ત્વરીત રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનેક શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે. દુર્ઘટનાને લઈ પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.      


દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે! 

જે અકસ્માત સર્જાયો છે તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા થાંભલા વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો.  જે ગાર્ડર નીચે ધરાશાયી થયો તેની પર 30થી 40 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા. દુર્ઘટના સર્જાતા શ્રમિકો કાટમાળની નીચે દબાઈ ગયા અને 17 જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. જે પુલ ધરાશાયી થયો છે તેની ઉંચાઈ 104 મીટર માનવામાં આવી રહી છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .