Breaking News : રાજકોટની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું થયું હાર્ટ એટેકને કારણે નિધન, ગઈકાલે છાતીમાં થયો હતો દુખાવો


  • Published By :
  • Published Date : 2023-06-28 12:47:56

થોડા સમય પહેલા ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે હવે રાજકોટમાં આવી ઘટના બની છે. રાજકોટમાં કોલેજમાં ભણતા એક વિદ્યાર્થીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિ નામનો વિદ્યાર્થી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જ્યારે કોલેજથી વિદ્યાર્થી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન તેને છાતીમાં દુખાવો થયો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ તેનું નિધન થઈ ગયું હતું. ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.    


કોલેજના અંતિમ વર્ષમાં કરતો હતો અભ્યાસ 

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. પહેલા આપણે એવું માનતા હતા કે હાર્ટ એટેક વૃદ્ધોને આવે. પરંતુ હવે તો જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. યુવાનોમાં તેમજ વિદ્યાર્થીઓ હૃદય હુમલાનો શિકાર બની રહ્યા છે. થોડા દિવસ પહેલા ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું ત્યારે ફરી એક વખત વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સુરતના રહેવાસી અને રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ટર કોર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કલ્પેશ પ્રજાપતિ કરી રહ્યો હતો. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા

ગઈકાલે સાંજે કોલેજથી છૂટ્યો તે વખતે તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સારવાર મળે તે પહેલા જ આશાવાદી યુવાને દમ તોડી દીધો હતો. જ્યારે કલ્પેશને છાતીમાં દુખાવો થયો ત્યારે પોતાના મિત્રને ફોન કરી જાણ કરી. 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની સાઈડઈફેટ જોવા મળી રહી છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમણે વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હોય તેવી વાત સામે આવી હતી.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.