Breaking News : રાજકોટની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું થયું હાર્ટ એટેકને કારણે નિધન, ગઈકાલે છાતીમાં થયો હતો દુખાવો


  • Published By :
  • Published Date : 2023-06-28 12:47:56

થોડા સમય પહેલા ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે હવે રાજકોટમાં આવી ઘટના બની છે. રાજકોટમાં કોલેજમાં ભણતા એક વિદ્યાર્થીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિ નામનો વિદ્યાર્થી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જ્યારે કોલેજથી વિદ્યાર્થી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન તેને છાતીમાં દુખાવો થયો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ તેનું નિધન થઈ ગયું હતું. ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.    


કોલેજના અંતિમ વર્ષમાં કરતો હતો અભ્યાસ 

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. પહેલા આપણે એવું માનતા હતા કે હાર્ટ એટેક વૃદ્ધોને આવે. પરંતુ હવે તો જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. યુવાનોમાં તેમજ વિદ્યાર્થીઓ હૃદય હુમલાનો શિકાર બની રહ્યા છે. થોડા દિવસ પહેલા ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું ત્યારે ફરી એક વખત વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સુરતના રહેવાસી અને રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ટર કોર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કલ્પેશ પ્રજાપતિ કરી રહ્યો હતો. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા

ગઈકાલે સાંજે કોલેજથી છૂટ્યો તે વખતે તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સારવાર મળે તે પહેલા જ આશાવાદી યુવાને દમ તોડી દીધો હતો. જ્યારે કલ્પેશને છાતીમાં દુખાવો થયો ત્યારે પોતાના મિત્રને ફોન કરી જાણ કરી. 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની સાઈડઈફેટ જોવા મળી રહી છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમણે વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હોય તેવી વાત સામે આવી હતી.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.