Breaking News : રાજકોટની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું થયું હાર્ટ એટેકને કારણે નિધન, ગઈકાલે છાતીમાં થયો હતો દુખાવો


  • Published By :
  • Published Date : 2023-06-28 12:47:56

થોડા સમય પહેલા ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે હવે રાજકોટમાં આવી ઘટના બની છે. રાજકોટમાં કોલેજમાં ભણતા એક વિદ્યાર્થીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિ નામનો વિદ્યાર્થી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જ્યારે કોલેજથી વિદ્યાર્થી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન તેને છાતીમાં દુખાવો થયો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ તેનું નિધન થઈ ગયું હતું. ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.    


કોલેજના અંતિમ વર્ષમાં કરતો હતો અભ્યાસ 

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. પહેલા આપણે એવું માનતા હતા કે હાર્ટ એટેક વૃદ્ધોને આવે. પરંતુ હવે તો જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. યુવાનોમાં તેમજ વિદ્યાર્થીઓ હૃદય હુમલાનો શિકાર બની રહ્યા છે. થોડા દિવસ પહેલા ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું ત્યારે ફરી એક વખત વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સુરતના રહેવાસી અને રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ટર કોર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કલ્પેશ પ્રજાપતિ કરી રહ્યો હતો. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા

ગઈકાલે સાંજે કોલેજથી છૂટ્યો તે વખતે તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સારવાર મળે તે પહેલા જ આશાવાદી યુવાને દમ તોડી દીધો હતો. જ્યારે કલ્પેશને છાતીમાં દુખાવો થયો ત્યારે પોતાના મિત્રને ફોન કરી જાણ કરી. 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની સાઈડઈફેટ જોવા મળી રહી છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમણે વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હોય તેવી વાત સામે આવી હતી.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.