Breaking News : રાજકોટના નાના મોવા રોડ પર આવેલા ગેમઝોનમાં લાગી ભયંકર આગ, અનેક બાળકો ફસાયા હોવાની આશંકા...


  • Published By :
  • Published Date : 2024-05-25 18:42:09


આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.. આગમાં અનેક જિંદગીઓ હોમાઈ છે... ત્યારે રાજકોટથી એક સમાચાર સામે આવ્યા છે.. રાજકોટના નાનામૌવા રોડ ઉપર સયાજી હોટલની પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ લાગી છે જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.. આગને કાબુમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. એવી પણ માહિતી સામે આવી છે કે આ ઘટનામાં એક બાળકનું મોત પણ નિપજ્યું છે... આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ટીમો ત્યાં પહોંચી ગઈ છે.. 

News18 Gujarati

News18 Gujarati

બે બાળકોના મોત થયા હોવાની આશંકા

ગરમીને કારણે અનેક જગ્યાઓથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે.. થોડા દિવસોથી આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.. આગમાં અનેક જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ છે.. રાજકોટના નાનામૌવા રોડ ઉપર સયાજી હોટલની પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે જેમાં બે માસુમ બાળકોના મોત થઈ ગયા છે તેવી વાત સામે આવી છે.. અનેક લોકો હજી પણ ગેમિંગ ઝોનમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા તેવી માહિતી સામે આવી છે..  આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું..   

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati


રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .