Breaking News : રાજકોટના નાના મોવા રોડ પર આવેલા ગેમઝોનમાં લાગી ભયંકર આગ, અનેક બાળકો ફસાયા હોવાની આશંકા...


  • Published By :
  • Published Date : 2024-05-25 18:42:09


આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.. આગમાં અનેક જિંદગીઓ હોમાઈ છે... ત્યારે રાજકોટથી એક સમાચાર સામે આવ્યા છે.. રાજકોટના નાનામૌવા રોડ ઉપર સયાજી હોટલની પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ લાગી છે જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.. આગને કાબુમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. એવી પણ માહિતી સામે આવી છે કે આ ઘટનામાં એક બાળકનું મોત પણ નિપજ્યું છે... આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ટીમો ત્યાં પહોંચી ગઈ છે.. 

News18 Gujarati

News18 Gujarati

બે બાળકોના મોત થયા હોવાની આશંકા

ગરમીને કારણે અનેક જગ્યાઓથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે.. થોડા દિવસોથી આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.. આગમાં અનેક જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ છે.. રાજકોટના નાનામૌવા રોડ ઉપર સયાજી હોટલની પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે જેમાં બે માસુમ બાળકોના મોત થઈ ગયા છે તેવી વાત સામે આવી છે.. અનેક લોકો હજી પણ ગેમિંગ ઝોનમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા તેવી માહિતી સામે આવી છે..  આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું..   

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.