Breaking News : રાજકોટના નાના મોવા રોડ પર આવેલા ગેમઝોનમાં લાગી ભયંકર આગ, અનેક બાળકો ફસાયા હોવાની આશંકા...


  • Published By :
  • Published Date : 2024-05-25 18:42:09


આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.. આગમાં અનેક જિંદગીઓ હોમાઈ છે... ત્યારે રાજકોટથી એક સમાચાર સામે આવ્યા છે.. રાજકોટના નાનામૌવા રોડ ઉપર સયાજી હોટલની પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ લાગી છે જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.. આગને કાબુમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. એવી પણ માહિતી સામે આવી છે કે આ ઘટનામાં એક બાળકનું મોત પણ નિપજ્યું છે... આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ટીમો ત્યાં પહોંચી ગઈ છે.. 

News18 Gujarati

News18 Gujarati

બે બાળકોના મોત થયા હોવાની આશંકા

ગરમીને કારણે અનેક જગ્યાઓથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે.. થોડા દિવસોથી આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.. આગમાં અનેક જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ છે.. રાજકોટના નાનામૌવા રોડ ઉપર સયાજી હોટલની પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે જેમાં બે માસુમ બાળકોના મોત થઈ ગયા છે તેવી વાત સામે આવી છે.. અનેક લોકો હજી પણ ગેમિંગ ઝોનમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા તેવી માહિતી સામે આવી છે..  આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું..   

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati


ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે