Breaking News : રાજકોટના નાના મોવા રોડ પર આવેલા ગેમઝોનમાં લાગી ભયંકર આગ, અનેક બાળકો ફસાયા હોવાની આશંકા...


  • Published By :
  • Published Date : 2024-05-25 18:42:09


આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.. આગમાં અનેક જિંદગીઓ હોમાઈ છે... ત્યારે રાજકોટથી એક સમાચાર સામે આવ્યા છે.. રાજકોટના નાનામૌવા રોડ ઉપર સયાજી હોટલની પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ લાગી છે જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.. આગને કાબુમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. એવી પણ માહિતી સામે આવી છે કે આ ઘટનામાં એક બાળકનું મોત પણ નિપજ્યું છે... આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ટીમો ત્યાં પહોંચી ગઈ છે.. 

News18 Gujarati

News18 Gujarati

બે બાળકોના મોત થયા હોવાની આશંકા

ગરમીને કારણે અનેક જગ્યાઓથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે.. થોડા દિવસોથી આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.. આગમાં અનેક જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ છે.. રાજકોટના નાનામૌવા રોડ ઉપર સયાજી હોટલની પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે જેમાં બે માસુમ બાળકોના મોત થઈ ગયા છે તેવી વાત સામે આવી છે.. અનેક લોકો હજી પણ ગેમિંગ ઝોનમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા તેવી માહિતી સામે આવી છે..  આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું..   

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati


ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.