Breaking News : લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારના નામની કરી જાહેરાત, જાણો કઈ બેઠક માટે અને કોના નામની કરાઈ જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-02-14 08:33:16

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે... ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીને લઈ એક્ટિવ દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ વધુ એક નામની જાહેરાત કરી છે. ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત ભાવનગર લોકસભા બેઠક માટે કરવામાં આવી છે. મહત્વનું છે કે આની પહેલા આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી હતી.  


ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે ઉમેશ મકવાણા!

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવા બાદ ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ઉમેશ મકવાણા હાલ બોટાદના ધારાસભ્ય છે અને હવે તે ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર પણ. 


ચૈતર વસાવા બાદ વધુ એક ઉમેદવારના નામની કરાઈ જાહેરાત!

મહત્વનું છે કે ચૈતર જસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. જનસભાને અરવિંદ કેજરીવાલે સંબોધી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી ત્યારે આજે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સીટ પરથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર ઉમેશ મકવાણાના બનાવવામાં આવ્યા છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.