Breaking News : લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારના નામની કરી જાહેરાત, જાણો કઈ બેઠક માટે અને કોના નામની કરાઈ જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-02-14 08:33:16

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે... ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીને લઈ એક્ટિવ દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ વધુ એક નામની જાહેરાત કરી છે. ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત ભાવનગર લોકસભા બેઠક માટે કરવામાં આવી છે. મહત્વનું છે કે આની પહેલા આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી હતી.  


ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે ઉમેશ મકવાણા!

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવા બાદ ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ઉમેશ મકવાણા હાલ બોટાદના ધારાસભ્ય છે અને હવે તે ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર પણ. 


ચૈતર વસાવા બાદ વધુ એક ઉમેદવારના નામની કરાઈ જાહેરાત!

મહત્વનું છે કે ચૈતર જસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. જનસભાને અરવિંદ કેજરીવાલે સંબોધી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી ત્યારે આજે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સીટ પરથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર ઉમેશ મકવાણાના બનાવવામાં આવ્યા છે.     




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે