Breaking News : લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારના નામની કરી જાહેરાત, જાણો કઈ બેઠક માટે અને કોના નામની કરાઈ જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-02-14 08:33:16

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે... ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીને લઈ એક્ટિવ દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ વધુ એક નામની જાહેરાત કરી છે. ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત ભાવનગર લોકસભા બેઠક માટે કરવામાં આવી છે. મહત્વનું છે કે આની પહેલા આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી હતી.  


ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે ઉમેશ મકવાણા!

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવા બાદ ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ઉમેશ મકવાણા હાલ બોટાદના ધારાસભ્ય છે અને હવે તે ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર પણ. 


ચૈતર વસાવા બાદ વધુ એક ઉમેદવારના નામની કરાઈ જાહેરાત!

મહત્વનું છે કે ચૈતર જસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. જનસભાને અરવિંદ કેજરીવાલે સંબોધી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી ત્યારે આજે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સીટ પરથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર ઉમેશ મકવાણાના બનાવવામાં આવ્યા છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.