Breaking News : Rajkot અગ્નિકાંડ બાદ સરકારે લીધો મહત્વનો નિર્ણય, રાજકોટ પોલીસ કમિશનરની કરાઈ બદલી


  • Published By :
  • Published Date : 2024-05-27 19:12:35

રાજકોટ અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા છે. પોલીસની કામગીરી પર સવાલ અનેક ઉઠ્યા છે ત્યારે એક મોટી અપડેટ સામે આવી છે કે રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ વડા તરીકે બ્રિજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે.. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરી દેવામાં આવી છે.


સૌથી મોટા સમાચાર, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ પોલીસ કમિશનરની બદલી



પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ!

શનિવાર સાજે બનેલી આગની ઘટનામાં અનેક પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા છે.. 28 જેટલા લોકોના મોત આ કરૂણાંતિકામાં થયા છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે.. પોલીસ કમિશનર પણ જાણે સવાલોના ઘેરામાં હતા... આ બધા વચ્ચે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.. રાજકોટમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડી રહ્યો છે.. માત્ર અમુક પરિવારોને જ તેમના સ્વજનોનો મૃતદેહ મળ્યો છે. 




રાજકોટ પોલીસ કમિશનરની કરાઈ બદલી 

રાજકોટના પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.. ના માત્ર પોલીસ કમિશનરની પરંતુ બીજા અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે.  રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરાઇ છે.  રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશકુમાર ઝાની નિમણૂંક કરાઇ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરાઇ છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે