Breaking News : Congressમાં ફરી ભંગાણ, Loksabhaના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાએ આપ્યું પક્ષમાંથી રાજીનામું, નિર્ણય પાછળ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-03-22 13:36:43

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એક બાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે વધુ એક નેતાએ પક્ષને છોડી દીધો છે. અને જે નેતાએ પક્ષને છોડ્યો છે તેમને લોકસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે ઘોષિત થયેલા રોહન ગુપ્તાની. રોહન ગુપ્તાએ થોડા દિવસ પહેલા ઉમેદવારી પરત ખેંચી લીધી હતી કારણ કે તેમના પિતાની તબિયત ખરાબ હતી. ત્યારે હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પત્રમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે તેમાં તેઓ આત્મસન્માન જાળવવા માટે પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે.   

પિતાની તબિયત ખરાબ હોવાને કારણે પરત ખેંચી હતી ઉમેદવારી

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે વધુ એક યાદી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી અને 11 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી. એક તરફ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી તો બીજી તરફ ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. ત્યારે આજે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપી છે. 


રાજીનામામાં રોહન ગુપ્તાએ ઠાલવી વ્યથા

પક્ષમાંથી તો રાજીનામું આપ્યું પરંતુ તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે મને જણાવતા ઘણું દુખ થાય છે કે, છેલ્લા બે વર્ષથી કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સીનિયર લીડર દ્વારા સતત મારા પર ચારિત્ર્ય અંગેના આક્ષેપ કરવામાં આવતા હતા. જે વ્યક્તિએ છેલ્લાં બે વર્ષથી મારું અપમાન કર્યું છે, જે વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસમાં આ કામ કરતાં હટ્યો નથી, મને ખાતરી છે કે તે ભવિષ્યમાં આવું કરવાથી દૂર નહીં રહે અને તેને કોઈ રોકી શકશે નહીં. પરંતુ હવે હું મારા આત્મસન્માન પર વધુ હુમલો સહન કરવા તૈયાર નથી. તૂટેલા હૃદય સાથે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે જે મારા આત્મસન્માનને બચાવવા માટે ખૂબ જ મુશ્કેલ પરંતુ જરૂરી છે. હવે મારી નૈતિકતા મને પાર્ટીમાં ચાલુ રહેવા દેતી નથી. 


શું રોહન ગુપ્તા જોડાશે ભાજપમાં? 

રોહન ગુપ્તાએ પહેલા ઉમેદવારી પરત ખેંચી અને તે બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જે લોકો પક્ષમાંથી રાજીનામું આપે છે તે ભાજપમાં જોડાઈ જતા હોય છે. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે તે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. રોહન ગુપ્તાના રાજીનામા બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી.        

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .