Breaking News : Congressમાં ફરી ભંગાણ, Loksabhaના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાએ આપ્યું પક્ષમાંથી રાજીનામું, નિર્ણય પાછળ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-03-22 13:36:43

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એક બાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે વધુ એક નેતાએ પક્ષને છોડી દીધો છે. અને જે નેતાએ પક્ષને છોડ્યો છે તેમને લોકસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે ઘોષિત થયેલા રોહન ગુપ્તાની. રોહન ગુપ્તાએ થોડા દિવસ પહેલા ઉમેદવારી પરત ખેંચી લીધી હતી કારણ કે તેમના પિતાની તબિયત ખરાબ હતી. ત્યારે હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પત્રમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે તેમાં તેઓ આત્મસન્માન જાળવવા માટે પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે.   

પિતાની તબિયત ખરાબ હોવાને કારણે પરત ખેંચી હતી ઉમેદવારી

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે વધુ એક યાદી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી અને 11 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી. એક તરફ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી તો બીજી તરફ ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. ત્યારે આજે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપી છે. 


રાજીનામામાં રોહન ગુપ્તાએ ઠાલવી વ્યથા

પક્ષમાંથી તો રાજીનામું આપ્યું પરંતુ તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે મને જણાવતા ઘણું દુખ થાય છે કે, છેલ્લા બે વર્ષથી કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સીનિયર લીડર દ્વારા સતત મારા પર ચારિત્ર્ય અંગેના આક્ષેપ કરવામાં આવતા હતા. જે વ્યક્તિએ છેલ્લાં બે વર્ષથી મારું અપમાન કર્યું છે, જે વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસમાં આ કામ કરતાં હટ્યો નથી, મને ખાતરી છે કે તે ભવિષ્યમાં આવું કરવાથી દૂર નહીં રહે અને તેને કોઈ રોકી શકશે નહીં. પરંતુ હવે હું મારા આત્મસન્માન પર વધુ હુમલો સહન કરવા તૈયાર નથી. તૂટેલા હૃદય સાથે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે જે મારા આત્મસન્માનને બચાવવા માટે ખૂબ જ મુશ્કેલ પરંતુ જરૂરી છે. હવે મારી નૈતિકતા મને પાર્ટીમાં ચાલુ રહેવા દેતી નથી. 


શું રોહન ગુપ્તા જોડાશે ભાજપમાં? 

રોહન ગુપ્તાએ પહેલા ઉમેદવારી પરત ખેંચી અને તે બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જે લોકો પક્ષમાંથી રાજીનામું આપે છે તે ભાજપમાં જોડાઈ જતા હોય છે. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે તે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. રોહન ગુપ્તાના રાજીનામા બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી.        

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"