Breaking News : Congressમાં ફરી ભંગાણ, Loksabhaના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાએ આપ્યું પક્ષમાંથી રાજીનામું, નિર્ણય પાછળ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-03-22 13:36:43

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એક બાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે વધુ એક નેતાએ પક્ષને છોડી દીધો છે. અને જે નેતાએ પક્ષને છોડ્યો છે તેમને લોકસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે ઘોષિત થયેલા રોહન ગુપ્તાની. રોહન ગુપ્તાએ થોડા દિવસ પહેલા ઉમેદવારી પરત ખેંચી લીધી હતી કારણ કે તેમના પિતાની તબિયત ખરાબ હતી. ત્યારે હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પત્રમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે તેમાં તેઓ આત્મસન્માન જાળવવા માટે પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે.   

પિતાની તબિયત ખરાબ હોવાને કારણે પરત ખેંચી હતી ઉમેદવારી

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે વધુ એક યાદી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી અને 11 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી. એક તરફ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી તો બીજી તરફ ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. ત્યારે આજે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપી છે. 


રાજીનામામાં રોહન ગુપ્તાએ ઠાલવી વ્યથા

પક્ષમાંથી તો રાજીનામું આપ્યું પરંતુ તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે મને જણાવતા ઘણું દુખ થાય છે કે, છેલ્લા બે વર્ષથી કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સીનિયર લીડર દ્વારા સતત મારા પર ચારિત્ર્ય અંગેના આક્ષેપ કરવામાં આવતા હતા. જે વ્યક્તિએ છેલ્લાં બે વર્ષથી મારું અપમાન કર્યું છે, જે વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસમાં આ કામ કરતાં હટ્યો નથી, મને ખાતરી છે કે તે ભવિષ્યમાં આવું કરવાથી દૂર નહીં રહે અને તેને કોઈ રોકી શકશે નહીં. પરંતુ હવે હું મારા આત્મસન્માન પર વધુ હુમલો સહન કરવા તૈયાર નથી. તૂટેલા હૃદય સાથે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે જે મારા આત્મસન્માનને બચાવવા માટે ખૂબ જ મુશ્કેલ પરંતુ જરૂરી છે. હવે મારી નૈતિકતા મને પાર્ટીમાં ચાલુ રહેવા દેતી નથી. 


શું રોહન ગુપ્તા જોડાશે ભાજપમાં? 

રોહન ગુપ્તાએ પહેલા ઉમેદવારી પરત ખેંચી અને તે બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જે લોકો પક્ષમાંથી રાજીનામું આપે છે તે ભાજપમાં જોડાઈ જતા હોય છે. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે તે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. રોહન ગુપ્તાના રાજીનામા બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી.        

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.