Breaking News : Congressમાં ફરી ભંગાણ, Loksabhaના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાએ આપ્યું પક્ષમાંથી રાજીનામું, નિર્ણય પાછળ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-03-22 13:36:43

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એક બાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે વધુ એક નેતાએ પક્ષને છોડી દીધો છે. અને જે નેતાએ પક્ષને છોડ્યો છે તેમને લોકસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે ઘોષિત થયેલા રોહન ગુપ્તાની. રોહન ગુપ્તાએ થોડા દિવસ પહેલા ઉમેદવારી પરત ખેંચી લીધી હતી કારણ કે તેમના પિતાની તબિયત ખરાબ હતી. ત્યારે હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પત્રમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે તેમાં તેઓ આત્મસન્માન જાળવવા માટે પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે.   

પિતાની તબિયત ખરાબ હોવાને કારણે પરત ખેંચી હતી ઉમેદવારી

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે વધુ એક યાદી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી અને 11 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી. એક તરફ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી તો બીજી તરફ ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. ત્યારે આજે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપી છે. 


રાજીનામામાં રોહન ગુપ્તાએ ઠાલવી વ્યથા

પક્ષમાંથી તો રાજીનામું આપ્યું પરંતુ તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે મને જણાવતા ઘણું દુખ થાય છે કે, છેલ્લા બે વર્ષથી કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સીનિયર લીડર દ્વારા સતત મારા પર ચારિત્ર્ય અંગેના આક્ષેપ કરવામાં આવતા હતા. જે વ્યક્તિએ છેલ્લાં બે વર્ષથી મારું અપમાન કર્યું છે, જે વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસમાં આ કામ કરતાં હટ્યો નથી, મને ખાતરી છે કે તે ભવિષ્યમાં આવું કરવાથી દૂર નહીં રહે અને તેને કોઈ રોકી શકશે નહીં. પરંતુ હવે હું મારા આત્મસન્માન પર વધુ હુમલો સહન કરવા તૈયાર નથી. તૂટેલા હૃદય સાથે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે જે મારા આત્મસન્માનને બચાવવા માટે ખૂબ જ મુશ્કેલ પરંતુ જરૂરી છે. હવે મારી નૈતિકતા મને પાર્ટીમાં ચાલુ રહેવા દેતી નથી. 


શું રોહન ગુપ્તા જોડાશે ભાજપમાં? 

રોહન ગુપ્તાએ પહેલા ઉમેદવારી પરત ખેંચી અને તે બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જે લોકો પક્ષમાંથી રાજીનામું આપે છે તે ભાજપમાં જોડાઈ જતા હોય છે. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે તે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. રોહન ગુપ્તાના રાજીનામા બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી.        

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.