Breaking News : ED સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય Arvind Kejriwal, EDએ પાઠવેલી નોટિસ વિશે કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-11-02 13:35:34

કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટેનું સમન્સ પાઠવ્યું હતું. આજે તેઓ પૂછપરછ માટે હાજર રહેવાના હતા. આમ આદમી પાર્ટીને ડર લાગતો હતો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર નથી થવાના. એવી પણ માહિતી સામે આવી છે કે તે ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ જઈ શકે છે. 

સમન્સને લઈ કેજરીવાલે કહી આ વાત 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે 11 વાગ્યે ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવાના હતા. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે તે પૂછપરછ માટે હાજર નહીં થાય પરંતુ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. આની પહેલા અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો કે બીજેપીના કહેવાથી તેમને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે તે ન જઈ શકે તે માટે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. 



બીજેપીના ઈશારે નોટિસ મોકલવામાં આવી છે - કેજરીવાલ 

ઈડીના સમન્સ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સમન્સ ગેરકાયદેસર છે અને રાજનીતિથી પ્રેરિત છે.નોટિસ બીજેપીના ઈશારા પર મોકલવામાં આવી છે. નોટિસ એ માટે મોકલવામાં આવી છે કે ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું. ઈડીએ આ નોટિસ તરત પાછી લઈ લેવી જોઈએ. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના નેતાને આશંકા હતી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે આની પહેલા પણ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી હતી. તે ઈડી દ્વારા નહીં પરંતુ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે