Breaking News : ED સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય Arvind Kejriwal, EDએ પાઠવેલી નોટિસ વિશે કહી આ વાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-02 13:35:34

કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટેનું સમન્સ પાઠવ્યું હતું. આજે તેઓ પૂછપરછ માટે હાજર રહેવાના હતા. આમ આદમી પાર્ટીને ડર લાગતો હતો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર નથી થવાના. એવી પણ માહિતી સામે આવી છે કે તે ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ જઈ શકે છે. 

સમન્સને લઈ કેજરીવાલે કહી આ વાત 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે 11 વાગ્યે ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવાના હતા. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે તે પૂછપરછ માટે હાજર નહીં થાય પરંતુ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. આની પહેલા અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો કે બીજેપીના કહેવાથી તેમને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે તે ન જઈ શકે તે માટે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. 



બીજેપીના ઈશારે નોટિસ મોકલવામાં આવી છે - કેજરીવાલ 

ઈડીના સમન્સ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સમન્સ ગેરકાયદેસર છે અને રાજનીતિથી પ્રેરિત છે.નોટિસ બીજેપીના ઈશારા પર મોકલવામાં આવી છે. નોટિસ એ માટે મોકલવામાં આવી છે કે ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું. ઈડીએ આ નોટિસ તરત પાછી લઈ લેવી જોઈએ. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના નેતાને આશંકા હતી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે આની પહેલા પણ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી હતી. તે ઈડી દ્વારા નહીં પરંતુ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી.   



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.