Breaking News : Kerelaમાં થયો મોટો ધડાકો, કન્વેન્શન સેન્ટરમાં થયો બ્લાસ્ટ એક વ્યક્તિનું મોત જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-29 14:35:07

કેરળમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કેરળના અર્નાકુલમમાં કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેંટરમાં બ્લાસ્ટ થયો છે અને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ત્યારે સર્જાઈ છે જ્યારે કન્વેંશન સેન્ટરમાં પ્રાાર્થના ચાલી રહી હતી. મળતી માહિતી અનુસાર ખ્રિસ્તી સમુદાયના લોકો સવારે 9.30 વાગ્યાની આસપાસ કલામાસેરી ખાતે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે 5 મિનિટની અંદર સતત ત્રણ ધડાકા થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી.




મુખ્યમંત્રીએ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું 

કેરળમાં આવેલા કોચ્ચિના કલામસ્સેરી વિસ્તારમાં રવિવાર સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર કન્વેન્શન સેન્ટરમાં ત્રણ જોરદાર વિસ્ફોટ થયા છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ ધમાકા થયાં છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો અંદાજીત 20 જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ કેરળના મુખ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે હાજર છે. NIA પણ પહોંચી ગઈ છે. બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી.

અમિત શાહે આ ઘટના અંગે જાણકારી મેળવી 

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે આ ઘટના અત્યંત દુર્ભાગ્ય પૂર્ણ ઘટના છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. ડીજીપી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટનાને અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ. તે ઉપરાંત આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી. ત્યાંની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી.  


એનઆઈએની ટીમ કરશે આ ઘટનાની તપાસ 

જે જગ્યા પર બ્લાસ્ટ થયો છે તે જગ્યા પર ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનનો આજે અંતિમ દિવસ હતો. છેલ્લા દિવસે આ બ્લાસ્ટ થયો છે. આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક નહીં પરંતુ ત્રણ બ્લાસ્ટ થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનાની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવશે. એનઆઈએની ફોરન્સીક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.