Breaking News : Kerelaમાં થયો મોટો ધડાકો, કન્વેન્શન સેન્ટરમાં થયો બ્લાસ્ટ એક વ્યક્તિનું મોત જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-29 14:35:07

કેરળમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કેરળના અર્નાકુલમમાં કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેંટરમાં બ્લાસ્ટ થયો છે અને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ત્યારે સર્જાઈ છે જ્યારે કન્વેંશન સેન્ટરમાં પ્રાાર્થના ચાલી રહી હતી. મળતી માહિતી અનુસાર ખ્રિસ્તી સમુદાયના લોકો સવારે 9.30 વાગ્યાની આસપાસ કલામાસેરી ખાતે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે 5 મિનિટની અંદર સતત ત્રણ ધડાકા થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી.




મુખ્યમંત્રીએ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું 

કેરળમાં આવેલા કોચ્ચિના કલામસ્સેરી વિસ્તારમાં રવિવાર સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર કન્વેન્શન સેન્ટરમાં ત્રણ જોરદાર વિસ્ફોટ થયા છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ ધમાકા થયાં છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો અંદાજીત 20 જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ કેરળના મુખ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે હાજર છે. NIA પણ પહોંચી ગઈ છે. બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી.

અમિત શાહે આ ઘટના અંગે જાણકારી મેળવી 

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે આ ઘટના અત્યંત દુર્ભાગ્ય પૂર્ણ ઘટના છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. ડીજીપી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટનાને અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ. તે ઉપરાંત આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી. ત્યાંની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી.  


એનઆઈએની ટીમ કરશે આ ઘટનાની તપાસ 

જે જગ્યા પર બ્લાસ્ટ થયો છે તે જગ્યા પર ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનનો આજે અંતિમ દિવસ હતો. છેલ્લા દિવસે આ બ્લાસ્ટ થયો છે. આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક નહીં પરંતુ ત્રણ બ્લાસ્ટ થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનાની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવશે. એનઆઈએની ફોરન્સીક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.