Breaking News : Bharat Jodo Nyay Yatra ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસને મોટો ફટકો! આજે આ ધારાસભ્ય આપી શકે છે પદ પરથી રાજીનામું...


  • Published By :
  • Published Date : 2024-03-06 13:26:47

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. ગઈકાલે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા ત્યારે હવે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ એક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઈ શકે છે. એક તરફ ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે.. 


ભાજપમાં જોડાયા બાદ બદલાશે સૂર!

કોંગ્રેસને વધુ એક ફટકો આવનાર 24 કલાકમાં પડી શકે છે તેવી માહિતી સામે આવી છે. ગઈકાલે જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે અને ભાજપના ગુણગાન ગાયા છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે કારણ કે એવી માહિતી સામે આવી છે કે  માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. અરવિંદ લાડાણીને કોમનમેન તરીકે ઓળખવામાં આવે છે. ગમે ત્યારે તે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શકંર ચૌધરીને સોંપી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજીનામું આપ્યા બાદ તે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે ભાજપમાં તે શું કામ જોડાયા, તેમને શું આત્મજ્ઞાન થયું અને તે ભાજપમાં જોડાયા તે જાણવું રસપ્રદ રહેશે..!  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.