Breaking News : Bharat Jodo Nyay Yatra ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસને મોટો ફટકો! આજે આ ધારાસભ્ય આપી શકે છે પદ પરથી રાજીનામું...


  • Published By :
  • Published Date : 2024-03-06 13:26:47

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. ગઈકાલે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા ત્યારે હવે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ એક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઈ શકે છે. એક તરફ ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે.. 


ભાજપમાં જોડાયા બાદ બદલાશે સૂર!

કોંગ્રેસને વધુ એક ફટકો આવનાર 24 કલાકમાં પડી શકે છે તેવી માહિતી સામે આવી છે. ગઈકાલે જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે અને ભાજપના ગુણગાન ગાયા છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે કારણ કે એવી માહિતી સામે આવી છે કે  માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. અરવિંદ લાડાણીને કોમનમેન તરીકે ઓળખવામાં આવે છે. ગમે ત્યારે તે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શકંર ચૌધરીને સોંપી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજીનામું આપ્યા બાદ તે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે ભાજપમાં તે શું કામ જોડાયા, તેમને શું આત્મજ્ઞાન થયું અને તે ભાજપમાં જોડાયા તે જાણવું રસપ્રદ રહેશે..!  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે