Breaking News : Bharat Jodo Nyay Yatra ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસને મોટો ફટકો! આજે આ ધારાસભ્ય આપી શકે છે પદ પરથી રાજીનામું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-06 13:26:47

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. ગઈકાલે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા ત્યારે હવે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ એક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઈ શકે છે. એક તરફ ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે.. 


ભાજપમાં જોડાયા બાદ બદલાશે સૂર!

કોંગ્રેસને વધુ એક ફટકો આવનાર 24 કલાકમાં પડી શકે છે તેવી માહિતી સામે આવી છે. ગઈકાલે જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે અને ભાજપના ગુણગાન ગાયા છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે કારણ કે એવી માહિતી સામે આવી છે કે  માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. અરવિંદ લાડાણીને કોમનમેન તરીકે ઓળખવામાં આવે છે. ગમે ત્યારે તે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શકંર ચૌધરીને સોંપી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજીનામું આપ્યા બાદ તે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે ભાજપમાં તે શું કામ જોડાયા, તેમને શું આત્મજ્ઞાન થયું અને તે ભાજપમાં જોડાયા તે જાણવું રસપ્રદ રહેશે..!  



ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..