Breaking News : Gujaratની પાંચ વિધાનસભાની પેટાચૂંટણી માટે BJPએ ઉમેદવારો જાહેર કર્યા, જાણો કયા આયાતી નેતાને બનાવાયા ઉમેદવાર?


  • Published By :
  • Published Date : 2024-03-26 13:31:57

ગુજરાતની રાજનીતિ અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ બેઠકોની વાત કરીએ તો વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયામાં પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમને જ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. 

ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે યોજાઈ પેટા ચૂંટણી 

ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીમાં ભરતી મેળો જોવા મળતો હોય છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓની અંતરાત્મા જાગી જાય છે, અને પછી અંતરાત્માનો અવાજ સાંભળી તેઓ ભાજપમાં આવી જતા હોય છે!  જે પક્ષની નીતિઓ પર પહેલા વિરોધ કર્યો તે પક્ષની નીતિના ગુણગાન ગાતા જોવા દેખાય છે. ગુજરાતમાં પણ અનેક વખત ભરતી મેળો જોવા મળતો હોય છે. તાજેતરમાં અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધુ છે. જેમાં માણાવદર, વિજાપુર, પોરબંદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. 



આમને ભાજપે બનાવ્યા પેટા ચૂંટણી માટે ઉમેદવાર 

જો ઉમેદવારોના નામની વાત કરીએ તો વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકીટ આપવામાં આવી છે, જ્યારે અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા સીટ માટે પેટા ચૂંટણી લડશે. તો અરવિંદ લાડાણીને માણાવદર વિધાનસીટની પેટા ચૂંટણી માટે ઉમેદવાર બનાવાયા છે. જ્યારે ખંભાતના ઉમેદવાર તરીકે ચિરાગ પટેલની પસંદગી કરવામાં આવી છે. વાઘોડિયા પેટા ચૂંટણી માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકીટ આપવામાં આવી છે. મહત્વનું છે કે જેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે તે પહેલેથી જ ધારાસભ્ય પદ પર હતા.          


વિસાવદરમાં પેટા ચૂંટણી નહીં યોજાય કારણ કે... 

ઉલ્લેખનિય છે કે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ સૌથી પહેલા રાજીનામું આપી દીધું હતું. આ બેઠક પર પેટા ચૂંટણી નથી યોજાવાની કારણ કે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ભૂપત ભાયાણીની જીતને પડકારવામાં આવી હતી, એનો ચુકાદો હજી સુધી આવ્યો નથી જેને કારણે ત્યાં હમણાં પેટા ચૂંટણીનથી થવાની. 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પણ છે અને આ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે.   

     


અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.