Breaking News : BJPએ રાજ્યસભાના ઉમેદવારોના નામની કરી જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-14 16:03:49

રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ટિકિટ આપવામાં આવી છે. માયા નરોલિયા અને એલ મુરુગનને એમપીમાંથી ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજ નામના બે અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.  જે.પી.નડ્ડા, જશવંતસિંહ પરમાર, ગોવિંદ ધોળકિયા તેમજ મયંક નાયકને ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

  

ગુજરાત રાજ્યસભા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ  

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ગઈકાલે ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.  જે.પી.નડ્ડા, જસવંતસિંહ પરમાર, ગોવિંદ ધોળકિયા તેમજ મયંક નાયકને ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પરષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયાને રિપીટ નથી કરવામાં આવ્યા. 



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો