Breaking News : બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત


  • Published By :
  • Published Date : 2024-06-04 15:23:16

લોકસભા બેઠકના પરિણામો આજે આવવાના હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 25 બેઠકો પર જીત હાંસલ કરી છે. પરંતુ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠાની બેઠક પર રસાકસી જોવા મળી હતી. પહેલા ચંદનજી ઠાકોર આગળ હતા પરંતુ ધીરે ધીરે ભરતસિંહ ડાભી આગળ નીકળી ગયા. ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે રસાકસીનો જંગ હતો. પરંતુ અંતે ગેનીબેન ઠાકોર જીતી ગયા.. એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.. જીત બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા.

ગેનીબેન ઠાકોરની જીત

ગુજરાતના પરિણામ પર સૌ કોઈની નજર હતી.. ગુજરાતમાં પાંચ લાખની લીડ સાથે ભાજપ જીતશે તેવો આશાવાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા રાખવામાં આવ્યો હતો. પરંતુ અનેક બેઠકો એવી હતી કે જ્યાં ઓછી લીડની જીત હાંસલ કરી. ગાંધીનગરમાં અમિત શાહ સારી લીડથી જીત્યા છે.. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ હતો. થોડી થોડી લીડથી બંને ઉમેદવારો આગળ આવ્યા હતા. અંતે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. 


આ બેઠક ખૂબ રસપ્રદ હતી કારણ કે... 

મહત્વનું છે કે આ બેઠક લોકસભા ચૂંટણી વખતથી ચર્ચામાં હતી. આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી હતી.. આ બેઠક પર સૌ કોઈની નજર હતી કે કોણ આ બેઠકને જીતશે.. એવી રસાકસી હતી કે ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ જાય તેવી. કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ નિકળતા તો કોઈ વખત રેખાબેન ચૌધરી આગળ નિકળતા.. અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને જીતની શુભેચ્છા પાઠવી છે.       



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"