Breaking News : બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત


  • Published By :
  • Published Date : 2024-06-04 15:23:16

લોકસભા બેઠકના પરિણામો આજે આવવાના હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 25 બેઠકો પર જીત હાંસલ કરી છે. પરંતુ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠાની બેઠક પર રસાકસી જોવા મળી હતી. પહેલા ચંદનજી ઠાકોર આગળ હતા પરંતુ ધીરે ધીરે ભરતસિંહ ડાભી આગળ નીકળી ગયા. ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે રસાકસીનો જંગ હતો. પરંતુ અંતે ગેનીબેન ઠાકોર જીતી ગયા.. એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.. જીત બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા.

ગેનીબેન ઠાકોરની જીત

ગુજરાતના પરિણામ પર સૌ કોઈની નજર હતી.. ગુજરાતમાં પાંચ લાખની લીડ સાથે ભાજપ જીતશે તેવો આશાવાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા રાખવામાં આવ્યો હતો. પરંતુ અનેક બેઠકો એવી હતી કે જ્યાં ઓછી લીડની જીત હાંસલ કરી. ગાંધીનગરમાં અમિત શાહ સારી લીડથી જીત્યા છે.. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ હતો. થોડી થોડી લીડથી બંને ઉમેદવારો આગળ આવ્યા હતા. અંતે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. 


આ બેઠક ખૂબ રસપ્રદ હતી કારણ કે... 

મહત્વનું છે કે આ બેઠક લોકસભા ચૂંટણી વખતથી ચર્ચામાં હતી. આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી હતી.. આ બેઠક પર સૌ કોઈની નજર હતી કે કોણ આ બેઠકને જીતશે.. એવી રસાકસી હતી કે ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ જાય તેવી. કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ નિકળતા તો કોઈ વખત રેખાબેન ચૌધરી આગળ નિકળતા.. અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને જીતની શુભેચ્છા પાઠવી છે.       



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.