Breaking News : Delhi CM Arvind Kejriwalને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ તારીખ સુધી આપ્યા વચગાળાના જામીન


  • Published By :
  • Published Date : 2024-05-10 15:28:23

લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ મામલે છેલ્લા અનેક મહિનાઓથી જેલવાસ ભોગવી રહ્યા છે.. કથિત દારૂ કૌભાંડ કેસમાં તેમની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી હતી.. અરવિંદ કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પકડારી હતી. ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ ત્યાંથી રાહત ના મળતા તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ કેસની સુનાવણી થોડા દિવસોથી ચાલી રહી હતી. ત્યારે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.  

ઈડીએ કરી હતી અરવિંદ કેજરીવાલની ધરપકડ 

ઈડીએ પૂછપરછ માટે અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું. પરંતુ તે પૂછપરછ માટે હાજર રહ્યા ના હતા. પૂછપરછ કરવા માટે ઈડી તેમના ઘરે પહોંચી ગઈ હતી. અનેક કલાકો સુધી તેમની પૂછપરછ થઈ અને અંતે તેમની ધરપકડ કરી લેવામાં આવી... તે હાલ જેલવાસો ભોગવી રહ્યા છે. વચગાળાના જામીન માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે તેમની અરજીનો સ્વીકાર કર્યો હતો અને આ મામલે સુનાવણી કરી હતી.


1લી જૂન સુધીના કેજરીવાલને મળ્યા વચ્ચગાળાના જામીન

સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.. અરવિંદ કેજરીવાલ તેમજ આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચ્ચગાળાના જામીન આપ્યા છે.. પહેલી જૂન સુધી માટે અરવિંદ કેજરીવાલના જામીનને મંજૂર કર્યા છે.. બીજી તારીખે કેજરીવાલને આત્મસમર્પણ કરવાનું રહેશે. અનેક શરતોને આધીન તેમને આ વચ્ચગાળાના જામીન આપવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે..      



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.