Breaking News : Delhi CM Arvind Kejriwalને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ તારીખ સુધી આપ્યા વચગાળાના જામીન


  • Published By :
  • Published Date : 2024-05-10 15:28:23

લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ મામલે છેલ્લા અનેક મહિનાઓથી જેલવાસ ભોગવી રહ્યા છે.. કથિત દારૂ કૌભાંડ કેસમાં તેમની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી હતી.. અરવિંદ કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પકડારી હતી. ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ ત્યાંથી રાહત ના મળતા તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ કેસની સુનાવણી થોડા દિવસોથી ચાલી રહી હતી. ત્યારે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.  

ઈડીએ કરી હતી અરવિંદ કેજરીવાલની ધરપકડ 

ઈડીએ પૂછપરછ માટે અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું. પરંતુ તે પૂછપરછ માટે હાજર રહ્યા ના હતા. પૂછપરછ કરવા માટે ઈડી તેમના ઘરે પહોંચી ગઈ હતી. અનેક કલાકો સુધી તેમની પૂછપરછ થઈ અને અંતે તેમની ધરપકડ કરી લેવામાં આવી... તે હાલ જેલવાસો ભોગવી રહ્યા છે. વચગાળાના જામીન માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે તેમની અરજીનો સ્વીકાર કર્યો હતો અને આ મામલે સુનાવણી કરી હતી.


1લી જૂન સુધીના કેજરીવાલને મળ્યા વચ્ચગાળાના જામીન

સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.. અરવિંદ કેજરીવાલ તેમજ આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચ્ચગાળાના જામીન આપ્યા છે.. પહેલી જૂન સુધી માટે અરવિંદ કેજરીવાલના જામીનને મંજૂર કર્યા છે.. બીજી તારીખે કેજરીવાલને આત્મસમર્પણ કરવાનું રહેશે. અનેક શરતોને આધીન તેમને આ વચ્ચગાળાના જામીન આપવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે..      



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.