Breaking News : Andhrapradeshના પૂર્વ મુખ્યમંત્રી Chandrababu Naiduની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-09 12:33:49

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ શનિવાર સવારે સીઆઈડી દ્વારા કરવામાં આવી છે. સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસમાં પૂર્વ સીએમની ધરપકડ કરવામાં આવી છે. બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરી ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સીઆઈડી દ્વારા તેમની ધરપકડ શનિવાર સવારે કરવામાં આવી છે. તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.  

250 કરોડના કૌભાંડ કેસમાં કરાઈ કાર્યવાહી!

અનેક વખત આપણે ભ્રષ્ટાચાર થયા હોવાના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અનેક વખત ભ્રષ્ટાચારીઓમાં અનેક મોટી હસ્તીઓના નામનો સમાવેશ થતો હોય છે. ત્યારે આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની  ધરપકડ સીઆઈડી દ્વારા કરવામાં આવી છે. સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસમાં ભ્રષ્ટચારના આરોપો અંતર્ગત તેમની ધરપકડ કરાઈ છે. 2021માં ચંદ્રબાબુ નાયડુ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આંધ્ર પ્રદેશ પોલીસે પૂર્વ સીએમના પુત્રને પણ હિરાસતમાં લીધા છે. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પર સ્કિલ ડેવલપમેંટ કૌભાંડના 250 કરોડની ગડબડી કર્યા હોવાનો આરોપ છે. આ કેસના મુખ્ય આરોપી તેમને ગણાવવામાં આવ્યા છે. TDP અધ્યક્ષની ધરપકડ થતાં જ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી દીધું હતું. 

કયા કૌભાંડને લઈ કરાઈ પૂર્વ સીએમની ધરપકડ?
 

સ્કિલ ડેવલપમેન્ટ  કૌભાંડ અંતર્ગત પૂર્વ સીએમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે યોજનાની વાત કરીએ તો યુવાનોમાં સ્કીલ જાગૃત કરવા માટે સરકારે યોજના શરૂ કરી હતી. યોજના અંતર્ગત હૈદરાબાદ અને તેની આસપાસ રહેતા વિસ્તારોમાં સ્થિત ઔદ્યૌગિક કંપનીમાં કામ કરવા માટે યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ યોજનાની જવાબદારી એક કંપનીને સોંપવામાં આવી હતી. યોજના હેઠળ, છ ક્લસ્ટર બનાવવામાં આવ્યા હતા અને તેના પર કુલ 3300 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. જેમાં દરેક ક્લસ્ટર પાછળ 560 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. 


કેબિનેટને તત્કાલીન ચંદ્રાબાબુ નાયડુ સરકારે માહિતી આપી હતી કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર કુલ ખર્ચના 10 ટકા ખર્ચ કરશે એટલે કે 370 કરોડ રૂપિયા ખર્ચશે. જ્યારે બાકીનો ખર્ચો એટલે કે 90 ટકા ખર્ચ કૌશલ્ય વિકાસ તાલીમ કંપની સિમેન્સ દ્વારા કરવામાં આવશે. એવો આરોપ છે કે ચંદ્રબાબુ નાયડુ સરકારે યોજના હેઠળ ખર્ચ કરવા માટેના 371 કરોડ રૂપિયા શેલ કંપનીઓને ટ્રાન્સફર કર્યા હતા. પૂર્વ સીએમ પર એવો પણ આરોપ છે કે શેલ કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરવા સંબંધિત દસ્તાવેજો પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.