Breaking News : Andhrapradeshના પૂર્વ મુખ્યમંત્રી Chandrababu Naiduની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-09 12:33:49

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ શનિવાર સવારે સીઆઈડી દ્વારા કરવામાં આવી છે. સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસમાં પૂર્વ સીએમની ધરપકડ કરવામાં આવી છે. બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરી ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સીઆઈડી દ્વારા તેમની ધરપકડ શનિવાર સવારે કરવામાં આવી છે. તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.  

250 કરોડના કૌભાંડ કેસમાં કરાઈ કાર્યવાહી!

અનેક વખત આપણે ભ્રષ્ટાચાર થયા હોવાના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અનેક વખત ભ્રષ્ટાચારીઓમાં અનેક મોટી હસ્તીઓના નામનો સમાવેશ થતો હોય છે. ત્યારે આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની  ધરપકડ સીઆઈડી દ્વારા કરવામાં આવી છે. સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસમાં ભ્રષ્ટચારના આરોપો અંતર્ગત તેમની ધરપકડ કરાઈ છે. 2021માં ચંદ્રબાબુ નાયડુ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આંધ્ર પ્રદેશ પોલીસે પૂર્વ સીએમના પુત્રને પણ હિરાસતમાં લીધા છે. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પર સ્કિલ ડેવલપમેંટ કૌભાંડના 250 કરોડની ગડબડી કર્યા હોવાનો આરોપ છે. આ કેસના મુખ્ય આરોપી તેમને ગણાવવામાં આવ્યા છે. TDP અધ્યક્ષની ધરપકડ થતાં જ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી દીધું હતું. 

કયા કૌભાંડને લઈ કરાઈ પૂર્વ સીએમની ધરપકડ?
 

સ્કિલ ડેવલપમેન્ટ  કૌભાંડ અંતર્ગત પૂર્વ સીએમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે યોજનાની વાત કરીએ તો યુવાનોમાં સ્કીલ જાગૃત કરવા માટે સરકારે યોજના શરૂ કરી હતી. યોજના અંતર્ગત હૈદરાબાદ અને તેની આસપાસ રહેતા વિસ્તારોમાં સ્થિત ઔદ્યૌગિક કંપનીમાં કામ કરવા માટે યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ યોજનાની જવાબદારી એક કંપનીને સોંપવામાં આવી હતી. યોજના હેઠળ, છ ક્લસ્ટર બનાવવામાં આવ્યા હતા અને તેના પર કુલ 3300 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. જેમાં દરેક ક્લસ્ટર પાછળ 560 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. 


કેબિનેટને તત્કાલીન ચંદ્રાબાબુ નાયડુ સરકારે માહિતી આપી હતી કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર કુલ ખર્ચના 10 ટકા ખર્ચ કરશે એટલે કે 370 કરોડ રૂપિયા ખર્ચશે. જ્યારે બાકીનો ખર્ચો એટલે કે 90 ટકા ખર્ચ કૌશલ્ય વિકાસ તાલીમ કંપની સિમેન્સ દ્વારા કરવામાં આવશે. એવો આરોપ છે કે ચંદ્રબાબુ નાયડુ સરકારે યોજના હેઠળ ખર્ચ કરવા માટેના 371 કરોડ રૂપિયા શેલ કંપનીઓને ટ્રાન્સફર કર્યા હતા. પૂર્વ સીએમ પર એવો પણ આરોપ છે કે શેલ કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરવા સંબંધિત દસ્તાવેજો પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .