Breaking News : Gujarat Governmentએ સરકારી કર્મચારીઓને આપી ગિફ્ટ!, કર્મચારીઓના હિતમાં લીધા આ નિર્ણય, જાણો


  • Published By :
  • Published Date : 2024-02-29 15:50:58

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે સાંભળ્યા બાદ કર્મચારીઓ આનંદિત થઈ જશે! રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ વધારો જુલાઈ 2023થી કરવામાં આવ્યો છે અને ચાર ટકાનો કરાયો છે. ઉપરાંત રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને  લાભ આપવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત ત્રીજા નિર્ણયની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.


આટલા લાખ કર્મચારીઓને આ નિર્ણયથી થશે ફાયદો!

સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યા છે. ભથ્થામાં થયેલા વધારાની અમલી જુલાઈ 2023થી આપવાની ઘોષણા કરવામાં આવી છે. જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે ના માત્ર સરકારી કર્મચારીઓને લાભ કરશે પરંતુ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓને પણ કરશે.નિવૃત્ત કર્મચારીઓને પણ આનો લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 


તફાવતની રકમ પગાર સાથે ચૂકવવામાં આવશે.. 

મળતી માહિતી અનુસાર જુલાઈ 2023થી આ યોજનાની અમલી થશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેને કારણે ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ ચૂકવવામાં આવશે. તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તફાવતની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તેની વાત કરીએ તો જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવતની રકમ માર્ચ-2024ના પગાર સાથે આપવામાં આવશે. તે સિવાય ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની તફાવતની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ મે-2024ના પગારમાં એડ કરવામાં આવશે.પગાર સાથે કર્મચારીઓને આ તફાવતની રકમ ચૂકવવામાં આવશે. એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે-રાજ્ય સરકાર 14 ટકા આપશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.