Breaking News : Gujarat Governmentએ સરકારી કર્મચારીઓને આપી ગિફ્ટ!, કર્મચારીઓના હિતમાં લીધા આ નિર્ણય, જાણો


  • Published By :
  • Published Date : 2024-02-29 15:50:58

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે સાંભળ્યા બાદ કર્મચારીઓ આનંદિત થઈ જશે! રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ વધારો જુલાઈ 2023થી કરવામાં આવ્યો છે અને ચાર ટકાનો કરાયો છે. ઉપરાંત રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને  લાભ આપવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત ત્રીજા નિર્ણયની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.


આટલા લાખ કર્મચારીઓને આ નિર્ણયથી થશે ફાયદો!

સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યા છે. ભથ્થામાં થયેલા વધારાની અમલી જુલાઈ 2023થી આપવાની ઘોષણા કરવામાં આવી છે. જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે ના માત્ર સરકારી કર્મચારીઓને લાભ કરશે પરંતુ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓને પણ કરશે.નિવૃત્ત કર્મચારીઓને પણ આનો લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 


તફાવતની રકમ પગાર સાથે ચૂકવવામાં આવશે.. 

મળતી માહિતી અનુસાર જુલાઈ 2023થી આ યોજનાની અમલી થશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેને કારણે ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ ચૂકવવામાં આવશે. તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તફાવતની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તેની વાત કરીએ તો જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવતની રકમ માર્ચ-2024ના પગાર સાથે આપવામાં આવશે. તે સિવાય ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની તફાવતની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ મે-2024ના પગારમાં એડ કરવામાં આવશે.પગાર સાથે કર્મચારીઓને આ તફાવતની રકમ ચૂકવવામાં આવશે. એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે-રાજ્ય સરકાર 14 ટકા આપશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.