Breaking News : Gujarat Governmentએ સરકારી કર્મચારીઓને આપી ગિફ્ટ!, કર્મચારીઓના હિતમાં લીધા આ નિર્ણય, જાણો


  • Published By :
  • Published Date : 2024-02-29 15:50:58

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે સાંભળ્યા બાદ કર્મચારીઓ આનંદિત થઈ જશે! રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ વધારો જુલાઈ 2023થી કરવામાં આવ્યો છે અને ચાર ટકાનો કરાયો છે. ઉપરાંત રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને  લાભ આપવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત ત્રીજા નિર્ણયની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.


આટલા લાખ કર્મચારીઓને આ નિર્ણયથી થશે ફાયદો!

સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યા છે. ભથ્થામાં થયેલા વધારાની અમલી જુલાઈ 2023થી આપવાની ઘોષણા કરવામાં આવી છે. જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે ના માત્ર સરકારી કર્મચારીઓને લાભ કરશે પરંતુ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓને પણ કરશે.નિવૃત્ત કર્મચારીઓને પણ આનો લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 


તફાવતની રકમ પગાર સાથે ચૂકવવામાં આવશે.. 

મળતી માહિતી અનુસાર જુલાઈ 2023થી આ યોજનાની અમલી થશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેને કારણે ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ ચૂકવવામાં આવશે. તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તફાવતની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તેની વાત કરીએ તો જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવતની રકમ માર્ચ-2024ના પગાર સાથે આપવામાં આવશે. તે સિવાય ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની તફાવતની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ મે-2024ના પગારમાં એડ કરવામાં આવશે.પગાર સાથે કર્મચારીઓને આ તફાવતની રકમ ચૂકવવામાં આવશે. એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે-રાજ્ય સરકાર 14 ટકા આપશે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."