Breaking News : Gujarat Governmentએ સરકારી કર્મચારીઓને આપી ગિફ્ટ!, કર્મચારીઓના હિતમાં લીધા આ નિર્ણય, જાણો


  • Published By :
  • Published Date : 2024-02-29 15:50:58

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે સાંભળ્યા બાદ કર્મચારીઓ આનંદિત થઈ જશે! રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ વધારો જુલાઈ 2023થી કરવામાં આવ્યો છે અને ચાર ટકાનો કરાયો છે. ઉપરાંત રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને  લાભ આપવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત ત્રીજા નિર્ણયની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.


આટલા લાખ કર્મચારીઓને આ નિર્ણયથી થશે ફાયદો!

સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યા છે. ભથ્થામાં થયેલા વધારાની અમલી જુલાઈ 2023થી આપવાની ઘોષણા કરવામાં આવી છે. જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે ના માત્ર સરકારી કર્મચારીઓને લાભ કરશે પરંતુ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓને પણ કરશે.નિવૃત્ત કર્મચારીઓને પણ આનો લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 


તફાવતની રકમ પગાર સાથે ચૂકવવામાં આવશે.. 

મળતી માહિતી અનુસાર જુલાઈ 2023થી આ યોજનાની અમલી થશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેને કારણે ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ ચૂકવવામાં આવશે. તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તફાવતની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તેની વાત કરીએ તો જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવતની રકમ માર્ચ-2024ના પગાર સાથે આપવામાં આવશે. તે સિવાય ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની તફાવતની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ મે-2024ના પગારમાં એડ કરવામાં આવશે.પગાર સાથે કર્મચારીઓને આ તફાવતની રકમ ચૂકવવામાં આવશે. એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે-રાજ્ય સરકાર 14 ટકા આપશે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.