Breaking News : Haryanaના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આપી દીધું રાજીનામુંં, નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી...


  • Published By :
  • Published Date : 2024-03-12 14:22:01

લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને જનનાયક પાર્ટી વચ્ચે થયેલું ગઠબંધન તૂટી ગયું છે અને તેને કારણે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય દળની બેઠક મળી હતી અને તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આખી કેબિનેટે રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. ગઠબંધન તૂટવા પાછળનું કારણ જો ગણીએ તો સૂત્રોએ જણાવ્યું કે દુષ્યંત ચૌટાલાની પાર્ટી લોકસભા ચૂંટણીમાં 2 સીટોની માંગ કરી રહી હતી. ભાજપ નેતૃત્વ એક બેઠકની ઓફર સ્વીકારવા તૈયાર હતું. પરંતુ દુષ્યંત 2 સીટો પર અડગ હતો. જ્યારે ભાજપનું રાજ્ય નેતૃત્વ 10 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, કારણ કે તેની પાસે તમામ બેઠકો પર સાંસદો છે. આવી સ્થિતિમાં બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું છે. અને હરિયાણાને નવા મુખ્યમંત્રી મળ્યા છે. નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે. 

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આપી દીધું પોતાના પદ ઉપરથી રાજીનામું

હરિયાણામાં બહુ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. એક તરફ લોકસભાને લઈ રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. અનેક રાજ્યોમાં ગઠબંધન થકી સરકાર બનાવવામાં આવી હતી પરંતુ જ્યારે કોઈ વખત મતભેદ થાય તે બાદ ગઠબંધનમાં દરાર આવી જતી હોય છે. ત્યારે હરિયાણામાં ભાજપ અને જનનાયક પાર્ટી વચ્ચે થયેલું ગઠબંધન તૂટી ગયું છે અને જેને કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરે રાજીનામું આપી દીધું છે રાજ્યપાલને. આખી કેબિનેટે રાજીનામું આપી દીધું છે.   


રાજીનામું આપતા પહેલા થઈ હતી બેઠક!

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજીનામુ આપી દીધું છે , હરિયાણામાં મોટી રાજકીય ઉથલપાથલ બહાર આવી છે . આપને જણાવી દઈએ કે આ રાજ્યમાં કુલ ૯૦ વિધાનસભાની સીટો છે અને ૨૦૧૯ વિધાનસભાની ચૂંટણીઓમાં હરિયાણામાં ત્રિશંકુ પરિણામો આવ્યા હતા જેમાં BJP ને ૪૦ , કોંગ્રેસ ને ૩૧ અને જનનાયક જનતા પાર્ટી કે જે દુષ્યંત ચૌટાલાની છે તેને ૧૦ સીટો મળી હતી આ પછી BJP અને JJP એ મળી સરકાર બનાવી હતી. આપને જણાવી દઈએ કે રાજીનામુ આપતા પેહલા  BJP એ અને JJP એ તેમના પોતપોતાના MLAની  અલગ અલગ મિટિંગ રાખી હતી . અંદરના સૂત્રોથી  માહિતી મળી રહી છે તે મુજબ ખટ્ટર સરકાર JJPના MLA વગરજ કેબિનેટ reshuffle કરવા માંગતા હતા , અને આની માટે BJP કેટલાક અપક્ષ MLAનો સહારો લેવાની હતી . 


શા માટે હરિયાણામાં થઈ રાજકીય ખેંચતાણ? 

હવે આવનારા દિવસોમાં લોકસભાના elections જાહેર થયી શકે છે , ત્યારે BJP અને JJP વચ્ચે સેટ શરીંગ પર વાતચીત અટકી ગયી હતી કારણકે હરિયાણાની કુલ ૧૦ લોકસભાની બેઠકો પૈકી JJP ૨ સીટો માંગી રહી હતી . આ બે સીટો છે હિસાર અને ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા બેઠકો . પણ BJPનું પ્રાંતીય સંગઠન બધીજ ૧૦ બેઠકો પર લડવા માંગતું હતું. હાલમાં હરિયાણા સરકારમાં JJP ના ત્રણ મંત્રીઓ હતા , જે છે દુષ્યંત ચૌટાલા , અનુપ DHANAK , દેવેન્દ્રસિંહ બબલી. JJPના સ્થાપક અને ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલા સોમવારે BJP અઘ્યક્ષ JP નડ્ડાને  મળ્યા હતા , ત્યાં તેમને ચોખ્ખો MSG આપી દેવાયો હતો કે , BJP એક પણ બેઠક JJPને આગામી લોકસભા લડવા નહીં આપે . આના થોડાક કલાકો પછી દુષ્યંત ચૌટાલા એ PM મોદી સાથે એક મંચ પર હાજરી આપી હતી . પરંતુ આજે મંગળવારની સવારની અમિત શાહ સાથેની મિટિંગ તેમની નહોતી થયી શકી . હવે આવતી કાલે હિસારમાં JJP એ મિટિંગ રાખી છે ત્યાં તેઓ શક્તિ પ્રદર્શન કરશે અને પોતાના લોકસભાના ઉમેદવારોની પેનલ પણ તૈયાર કરી દીધી છે . આ પેહલી વખત નથી કે BJP અને JJP નું ગઠબંધન તણાવમાં આવ્યું છે ૨૦૨૦ માં કિસાન આંદોલન વખતે આ હરિયાણા સરકાર મુશ્કેલી માં આવી ગયી હતી , આમ તો હરિયાણા વિધાનસભાના એલેકશન્સ તરતજ લોકસભા પત્યા પછી ઓક્ટોબરમાં આવશે જોકે  હરિયાણામાં શું થશે એતો ભવિષ્યના ગર્ભમા છે .



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.