Breaking News : Haryanaના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આપી દીધું રાજીનામુંં, નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી...


  • Published By :
  • Published Date : 2024-03-12 14:22:01

લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને જનનાયક પાર્ટી વચ્ચે થયેલું ગઠબંધન તૂટી ગયું છે અને તેને કારણે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય દળની બેઠક મળી હતી અને તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આખી કેબિનેટે રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. ગઠબંધન તૂટવા પાછળનું કારણ જો ગણીએ તો સૂત્રોએ જણાવ્યું કે દુષ્યંત ચૌટાલાની પાર્ટી લોકસભા ચૂંટણીમાં 2 સીટોની માંગ કરી રહી હતી. ભાજપ નેતૃત્વ એક બેઠકની ઓફર સ્વીકારવા તૈયાર હતું. પરંતુ દુષ્યંત 2 સીટો પર અડગ હતો. જ્યારે ભાજપનું રાજ્ય નેતૃત્વ 10 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, કારણ કે તેની પાસે તમામ બેઠકો પર સાંસદો છે. આવી સ્થિતિમાં બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું છે. અને હરિયાણાને નવા મુખ્યમંત્રી મળ્યા છે. નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે. 

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આપી દીધું પોતાના પદ ઉપરથી રાજીનામું

હરિયાણામાં બહુ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. એક તરફ લોકસભાને લઈ રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. અનેક રાજ્યોમાં ગઠબંધન થકી સરકાર બનાવવામાં આવી હતી પરંતુ જ્યારે કોઈ વખત મતભેદ થાય તે બાદ ગઠબંધનમાં દરાર આવી જતી હોય છે. ત્યારે હરિયાણામાં ભાજપ અને જનનાયક પાર્ટી વચ્ચે થયેલું ગઠબંધન તૂટી ગયું છે અને જેને કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરે રાજીનામું આપી દીધું છે રાજ્યપાલને. આખી કેબિનેટે રાજીનામું આપી દીધું છે.   


રાજીનામું આપતા પહેલા થઈ હતી બેઠક!

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજીનામુ આપી દીધું છે , હરિયાણામાં મોટી રાજકીય ઉથલપાથલ બહાર આવી છે . આપને જણાવી દઈએ કે આ રાજ્યમાં કુલ ૯૦ વિધાનસભાની સીટો છે અને ૨૦૧૯ વિધાનસભાની ચૂંટણીઓમાં હરિયાણામાં ત્રિશંકુ પરિણામો આવ્યા હતા જેમાં BJP ને ૪૦ , કોંગ્રેસ ને ૩૧ અને જનનાયક જનતા પાર્ટી કે જે દુષ્યંત ચૌટાલાની છે તેને ૧૦ સીટો મળી હતી આ પછી BJP અને JJP એ મળી સરકાર બનાવી હતી. આપને જણાવી દઈએ કે રાજીનામુ આપતા પેહલા  BJP એ અને JJP એ તેમના પોતપોતાના MLAની  અલગ અલગ મિટિંગ રાખી હતી . અંદરના સૂત્રોથી  માહિતી મળી રહી છે તે મુજબ ખટ્ટર સરકાર JJPના MLA વગરજ કેબિનેટ reshuffle કરવા માંગતા હતા , અને આની માટે BJP કેટલાક અપક્ષ MLAનો સહારો લેવાની હતી . 


શા માટે હરિયાણામાં થઈ રાજકીય ખેંચતાણ? 

હવે આવનારા દિવસોમાં લોકસભાના elections જાહેર થયી શકે છે , ત્યારે BJP અને JJP વચ્ચે સેટ શરીંગ પર વાતચીત અટકી ગયી હતી કારણકે હરિયાણાની કુલ ૧૦ લોકસભાની બેઠકો પૈકી JJP ૨ સીટો માંગી રહી હતી . આ બે સીટો છે હિસાર અને ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા બેઠકો . પણ BJPનું પ્રાંતીય સંગઠન બધીજ ૧૦ બેઠકો પર લડવા માંગતું હતું. હાલમાં હરિયાણા સરકારમાં JJP ના ત્રણ મંત્રીઓ હતા , જે છે દુષ્યંત ચૌટાલા , અનુપ DHANAK , દેવેન્દ્રસિંહ બબલી. JJPના સ્થાપક અને ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલા સોમવારે BJP અઘ્યક્ષ JP નડ્ડાને  મળ્યા હતા , ત્યાં તેમને ચોખ્ખો MSG આપી દેવાયો હતો કે , BJP એક પણ બેઠક JJPને આગામી લોકસભા લડવા નહીં આપે . આના થોડાક કલાકો પછી દુષ્યંત ચૌટાલા એ PM મોદી સાથે એક મંચ પર હાજરી આપી હતી . પરંતુ આજે મંગળવારની સવારની અમિત શાહ સાથેની મિટિંગ તેમની નહોતી થયી શકી . હવે આવતી કાલે હિસારમાં JJP એ મિટિંગ રાખી છે ત્યાં તેઓ શક્તિ પ્રદર્શન કરશે અને પોતાના લોકસભાના ઉમેદવારોની પેનલ પણ તૈયાર કરી દીધી છે . આ પેહલી વખત નથી કે BJP અને JJP નું ગઠબંધન તણાવમાં આવ્યું છે ૨૦૨૦ માં કિસાન આંદોલન વખતે આ હરિયાણા સરકાર મુશ્કેલી માં આવી ગયી હતી , આમ તો હરિયાણા વિધાનસભાના એલેકશન્સ તરતજ લોકસભા પત્યા પછી ઓક્ટોબરમાં આવશે જોકે  હરિયાણામાં શું થશે એતો ભવિષ્યના ગર્ભમા છે .



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.