Breaking News : જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં થયું અંધાધૂધ ફાયરિંગ, ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-07-31 11:25:55

મહારાષ્ટ્રના પાલઘર નજીક જયપુર-મુંબઈ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનમાં અંધાધૂધ ફાયરિંગ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ફાયરિંગ આરપીએફ જવાન દ્વારા કરવામાં આવ્યું છે અને મૃતકોમાં આરપીએફ ASI જવાન તેમજ 3 યાત્રિકો સામેલ છે. ફાયરિંગ કરી આરપીએફ જવાન ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો. મળતી માહિતી અનુસાર જવાનને કસ્ટડિમાં લઈ લેવાયો  છે. કયા કારણોસર આ અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું જેનું કારણ હાલ સામે નથી આવ્યું.   

રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાન દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ 

અંધાધૂધ ફાયરિંગ થવાની ઘટના મુખ્યત્વે આપણે વિદેશમાં બનતી હોવાનું સાંભળીએ છીએ. ત્યાંથી આ પ્રકારના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ આ વખતે ભારતમાં ફાયરિંગ થયું હોય તેવી માહિતી સામે આવી છે. આ ફાયરિંગ ટ્રેનમાં કરવામાં આવ્યું છે અને કોઈ સામાન્ય માણસે નહીં પરંતુ રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફ જવાન દ્વારા કરવામાં આવ્યું છે. આરપીએફ જવાને પોતાના જ સિનિયર પર ગોળીબારી કરી છે અને તેમાં તેમનું મૃત્યુ થયું છે સાથે અન્ચ ત્રણ મુસાાફરોના પણ મોત અંધાધૂધ ફાયરિંગમાં થયા છે. મળતી માહિતી અનુસાર ટ્રેનના બી-5 કોચમાં સવારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. જે આરપીએફ જવાન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે તેમનું નામ ચેતન છે. ગોળીબારી કરનાર આરપીએફ જવાનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહી હતી.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.