Breaking News : જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં થયું અંધાધૂધ ફાયરિંગ, ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-07-31 11:25:55

મહારાષ્ટ્રના પાલઘર નજીક જયપુર-મુંબઈ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનમાં અંધાધૂધ ફાયરિંગ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ફાયરિંગ આરપીએફ જવાન દ્વારા કરવામાં આવ્યું છે અને મૃતકોમાં આરપીએફ ASI જવાન તેમજ 3 યાત્રિકો સામેલ છે. ફાયરિંગ કરી આરપીએફ જવાન ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો. મળતી માહિતી અનુસાર જવાનને કસ્ટડિમાં લઈ લેવાયો  છે. કયા કારણોસર આ અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું જેનું કારણ હાલ સામે નથી આવ્યું.   

રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાન દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ 

અંધાધૂધ ફાયરિંગ થવાની ઘટના મુખ્યત્વે આપણે વિદેશમાં બનતી હોવાનું સાંભળીએ છીએ. ત્યાંથી આ પ્રકારના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ આ વખતે ભારતમાં ફાયરિંગ થયું હોય તેવી માહિતી સામે આવી છે. આ ફાયરિંગ ટ્રેનમાં કરવામાં આવ્યું છે અને કોઈ સામાન્ય માણસે નહીં પરંતુ રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફ જવાન દ્વારા કરવામાં આવ્યું છે. આરપીએફ જવાને પોતાના જ સિનિયર પર ગોળીબારી કરી છે અને તેમાં તેમનું મૃત્યુ થયું છે સાથે અન્ચ ત્રણ મુસાાફરોના પણ મોત અંધાધૂધ ફાયરિંગમાં થયા છે. મળતી માહિતી અનુસાર ટ્રેનના બી-5 કોચમાં સવારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. જે આરપીએફ જવાન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે તેમનું નામ ચેતન છે. ગોળીબારી કરનાર આરપીએફ જવાનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહી હતી.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.