Breaking News : ફાઈનલ થઈ ગયું કે Lok sabha Election માટે BJP આમને નહીં આપે ટિકીટ! જાણો બીજેપીએ કોના પત્તા કાપ્યા?


  • Published By :
  • Published Date : 2024-02-29 09:06:45

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 26 બેઠકો માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ તેજ બની છે. પાર્લામેન્ટરી બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે. ભાજપ માટે એવું માનવામાં આવે છે કે નવા ચહેરાને ઉમેદવારી કરવાની તક આપે છે. જૂના ઉમેદવારોને રિપીટ નથી કરવામાં આવતા સામાન્ય રીતે. કોને ઉમેદવાર બનાવવામાં આવશે, કોના નામની જાહેરાત કરવામાં આવશે તેનું અનુમાન લગાવું કદાચ અશક્ય છે. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક પર ઉમેદવાર ફાઈનલ છે તેવું માનવામાં આવી રહ્યું છે બાકીની 25 બેઠકો માટે મનોમંથન પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવી વાત સામે આવી છે કે વર્તમાન ધારાસભ્યોને ટિકીટ નહીં આપવામાં આવે. જે ધારાસભ્યો છે તેમના નામ પર બીજેપીના હાઈકમાન્ડે કાતર ફેરવી શકે છે તેવી માહિતી સામે છે.



ગાંધીનગર સિવાયની બેઠકો માટે થવાની છે ચર્ચા!

દેશમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખો માટેની રાહ જોવાઈ રહી છે. રાજકીય પાર્ટી ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરી રહી છે. કોઈ પણ ચૂંટણી કેમ ના હોય ભાજપ સમજી વિચારીને બધી ગણતરી કરીને ઉમેદવારના નામની ઘોષણા કરે છે.ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પાર્લામેન્ટરી બેઠક મળવાની છે અને ઉમેદવારોના નામ અંગેની ચર્ચા થઈ રહી છે. એવી માહિતી મળી રહી છે કે ગાંધીનગર બેઠક માટે ઉમેદવાર ફાઈનલ થઈ ગયા છે અને તે છે અમિત શાહ. બાકીની તમામ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અનેક બેઠકો માટે અનેક નામોની ચર્ચા થઈ રહી છે. 



ઉમેદવારના રેસમાં કોના નામ આગળ ચાલી રહ્યા છે? 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર તેમજ અમરેલી બેઠક માટે મનસુખ માંડવિયાના નામની ચર્ચા થઈ રહી છે. ભારતીબેન શિયાળ અને નારણ કાછડીયાને તક નહીં આપવામાં આવે તો મનસુખ માંડવિયાનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. મનસુખ માંડવિયા ઉમેદવાર બની શકે છે, મહત્વનું છે કે રાજ્યસભા સાંસદ તરીકે તેમની ટર્મ પૂરી થઈ ગઈ અને તેમને રિપીટ પણ નથી કરવામાં આવ્યા તો લાગતું હતું કે તેમને લોકસભાના ઉમેદવાર બનાવાઈ શકાય છે. તે ઉપરાંત મહેસાણા બેઠક પર નીતિન પટેલ તેમજ રજની પટેલના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 



ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવા પ્રબળ દાવેદાર!

એક તરફ એવું માનવામાં આવી રહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક માટે નવો ચહેરો ઉતારી શકે છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવા પ્રબળ દાવેદાર છે. ઉમેદવારોના નામ પર દિલ્હીમાં ચર્ચાઓ થઈ રહી છે. 26માંથી 25 બેઠકોના ઉમેદવારોના નામને લઈ દિલ્હીમાં ચર્ચા થશે. આ બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે જ્યારે ગુજરાતથી પણ મુખ્યમંત્રી, સી.આર.પાટીલ દિલ્હીમાં છે તેવી માહિતી સામે આવી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.