Breaking News : ફાઈનલ થઈ ગયું કે Lok sabha Election માટે BJP આમને નહીં આપે ટિકીટ! જાણો બીજેપીએ કોના પત્તા કાપ્યા?


  • Published By :
  • Published Date : 2024-02-29 09:06:45

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 26 બેઠકો માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ તેજ બની છે. પાર્લામેન્ટરી બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે. ભાજપ માટે એવું માનવામાં આવે છે કે નવા ચહેરાને ઉમેદવારી કરવાની તક આપે છે. જૂના ઉમેદવારોને રિપીટ નથી કરવામાં આવતા સામાન્ય રીતે. કોને ઉમેદવાર બનાવવામાં આવશે, કોના નામની જાહેરાત કરવામાં આવશે તેનું અનુમાન લગાવું કદાચ અશક્ય છે. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક પર ઉમેદવાર ફાઈનલ છે તેવું માનવામાં આવી રહ્યું છે બાકીની 25 બેઠકો માટે મનોમંથન પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવી વાત સામે આવી છે કે વર્તમાન ધારાસભ્યોને ટિકીટ નહીં આપવામાં આવે. જે ધારાસભ્યો છે તેમના નામ પર બીજેપીના હાઈકમાન્ડે કાતર ફેરવી શકે છે તેવી માહિતી સામે છે.



ગાંધીનગર સિવાયની બેઠકો માટે થવાની છે ચર્ચા!

દેશમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખો માટેની રાહ જોવાઈ રહી છે. રાજકીય પાર્ટી ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરી રહી છે. કોઈ પણ ચૂંટણી કેમ ના હોય ભાજપ સમજી વિચારીને બધી ગણતરી કરીને ઉમેદવારના નામની ઘોષણા કરે છે.ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પાર્લામેન્ટરી બેઠક મળવાની છે અને ઉમેદવારોના નામ અંગેની ચર્ચા થઈ રહી છે. એવી માહિતી મળી રહી છે કે ગાંધીનગર બેઠક માટે ઉમેદવાર ફાઈનલ થઈ ગયા છે અને તે છે અમિત શાહ. બાકીની તમામ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અનેક બેઠકો માટે અનેક નામોની ચર્ચા થઈ રહી છે. 



ઉમેદવારના રેસમાં કોના નામ આગળ ચાલી રહ્યા છે? 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર તેમજ અમરેલી બેઠક માટે મનસુખ માંડવિયાના નામની ચર્ચા થઈ રહી છે. ભારતીબેન શિયાળ અને નારણ કાછડીયાને તક નહીં આપવામાં આવે તો મનસુખ માંડવિયાનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. મનસુખ માંડવિયા ઉમેદવાર બની શકે છે, મહત્વનું છે કે રાજ્યસભા સાંસદ તરીકે તેમની ટર્મ પૂરી થઈ ગઈ અને તેમને રિપીટ પણ નથી કરવામાં આવ્યા તો લાગતું હતું કે તેમને લોકસભાના ઉમેદવાર બનાવાઈ શકાય છે. તે ઉપરાંત મહેસાણા બેઠક પર નીતિન પટેલ તેમજ રજની પટેલના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 



ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવા પ્રબળ દાવેદાર!

એક તરફ એવું માનવામાં આવી રહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક માટે નવો ચહેરો ઉતારી શકે છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવા પ્રબળ દાવેદાર છે. ઉમેદવારોના નામ પર દિલ્હીમાં ચર્ચાઓ થઈ રહી છે. 26માંથી 25 બેઠકોના ઉમેદવારોના નામને લઈ દિલ્હીમાં ચર્ચા થશે. આ બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે જ્યારે ગુજરાતથી પણ મુખ્યમંત્રી, સી.આર.પાટીલ દિલ્હીમાં છે તેવી માહિતી સામે આવી છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે