બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતના પૂર્વ CMના સંબંધીની અમદાવાદ સ્થિત ઓફિસ અને નિવાસસ્થાન પર ITના દરોડા, આખો દિવસ ચાલી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-11-06 22:54:26

ગુજરાત રાજ્યના એક પૂર્વ સીએમના સંબંધીની અમદાવાદ સ્થિત ઓફિસમાં ITના દરોડા પડ્યા છે. મળતી વિગતો મુજબ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના આ સંબંધી કે જે ફાર્માસ્યુટિકલ કંપનીમાં ડિરેક્ટર પદ પર છે તેમની ઓફિસ અને નિવાસસ્થાન પર ITની ટીમે રેઈડ પાડતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના જજીસ બંગલા રોડ ઉપર ઓફિસ ધરાવતા અને પ્રહલાદ નગર કોર્પોરેટ રોડ ઉપર રહેતા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકને ત્યાં IT વિભાગના દરોડા આજે આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.


ITએ અત્યંત ગુપ્તતા વચ્ચે રેઈડ પાડી


ઈન્કમ ટેક્સ વિભાગની આ રેડ અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. જાણીતી ફાર્મા કંપનીના માલિકના નિવાસ્થાન અને ઓફિસમાં વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ મનપા પદાધિકારી અને પૂર્વ કોર્પોરેટરને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ફાર્મા કંપનીના માલિક બે મોંઘીદાટ કાર લઈ આવતાની માહિતીથી આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આજે સવારથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહીની વાત ધીમે ધીમે બહાર આવી હતી, જો કે સાંજે સંપુર્ણ કાર્યવાહી પુરી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાર્મા કંપનીના માલિકના મુંબઈના કનેક્શનમાં પડેલા આ દરોડાને લઈ એટલી હદે ગુપ્તતા રાખવામાં આવી હતી કે અમદાવાદની ઈન્કમ ટેક્સ ઓફિસને વિશ્વાસમાં લેવામાં આવી નહોંતી. મોટા માથાને ત્યાં પડેલા આ દરોડા રાજકીય વર્તુળો અને ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે આ વ્યક્તિ કોણ છે તેને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે પણ આવક વેરા વિભાગ આ અંગે જાણકારી આપે છે કે નહીં તેના પર સૌની નજર છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.