બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતના પૂર્વ CMના સંબંધીની અમદાવાદ સ્થિત ઓફિસ અને નિવાસસ્થાન પર ITના દરોડા, આખો દિવસ ચાલી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-11-06 22:54:26

ગુજરાત રાજ્યના એક પૂર્વ સીએમના સંબંધીની અમદાવાદ સ્થિત ઓફિસમાં ITના દરોડા પડ્યા છે. મળતી વિગતો મુજબ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના આ સંબંધી કે જે ફાર્માસ્યુટિકલ કંપનીમાં ડિરેક્ટર પદ પર છે તેમની ઓફિસ અને નિવાસસ્થાન પર ITની ટીમે રેઈડ પાડતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના જજીસ બંગલા રોડ ઉપર ઓફિસ ધરાવતા અને પ્રહલાદ નગર કોર્પોરેટ રોડ ઉપર રહેતા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકને ત્યાં IT વિભાગના દરોડા આજે આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.


ITએ અત્યંત ગુપ્તતા વચ્ચે રેઈડ પાડી


ઈન્કમ ટેક્સ વિભાગની આ રેડ અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. જાણીતી ફાર્મા કંપનીના માલિકના નિવાસ્થાન અને ઓફિસમાં વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ મનપા પદાધિકારી અને પૂર્વ કોર્પોરેટરને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ફાર્મા કંપનીના માલિક બે મોંઘીદાટ કાર લઈ આવતાની માહિતીથી આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આજે સવારથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહીની વાત ધીમે ધીમે બહાર આવી હતી, જો કે સાંજે સંપુર્ણ કાર્યવાહી પુરી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાર્મા કંપનીના માલિકના મુંબઈના કનેક્શનમાં પડેલા આ દરોડાને લઈ એટલી હદે ગુપ્તતા રાખવામાં આવી હતી કે અમદાવાદની ઈન્કમ ટેક્સ ઓફિસને વિશ્વાસમાં લેવામાં આવી નહોંતી. મોટા માથાને ત્યાં પડેલા આ દરોડા રાજકીય વર્તુળો અને ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે આ વ્યક્તિ કોણ છે તેને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે પણ આવક વેરા વિભાગ આ અંગે જાણકારી આપે છે કે નહીં તેના પર સૌની નજર છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.