બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતના પૂર્વ CMના સંબંધીની અમદાવાદ સ્થિત ઓફિસ અને નિવાસસ્થાન પર ITના દરોડા, આખો દિવસ ચાલી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-11-06 22:54:26

ગુજરાત રાજ્યના એક પૂર્વ સીએમના સંબંધીની અમદાવાદ સ્થિત ઓફિસમાં ITના દરોડા પડ્યા છે. મળતી વિગતો મુજબ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના આ સંબંધી કે જે ફાર્માસ્યુટિકલ કંપનીમાં ડિરેક્ટર પદ પર છે તેમની ઓફિસ અને નિવાસસ્થાન પર ITની ટીમે રેઈડ પાડતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના જજીસ બંગલા રોડ ઉપર ઓફિસ ધરાવતા અને પ્રહલાદ નગર કોર્પોરેટ રોડ ઉપર રહેતા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકને ત્યાં IT વિભાગના દરોડા આજે આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.


ITએ અત્યંત ગુપ્તતા વચ્ચે રેઈડ પાડી


ઈન્કમ ટેક્સ વિભાગની આ રેડ અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. જાણીતી ફાર્મા કંપનીના માલિકના નિવાસ્થાન અને ઓફિસમાં વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ મનપા પદાધિકારી અને પૂર્વ કોર્પોરેટરને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ફાર્મા કંપનીના માલિક બે મોંઘીદાટ કાર લઈ આવતાની માહિતીથી આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આજે સવારથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહીની વાત ધીમે ધીમે બહાર આવી હતી, જો કે સાંજે સંપુર્ણ કાર્યવાહી પુરી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાર્મા કંપનીના માલિકના મુંબઈના કનેક્શનમાં પડેલા આ દરોડાને લઈ એટલી હદે ગુપ્તતા રાખવામાં આવી હતી કે અમદાવાદની ઈન્કમ ટેક્સ ઓફિસને વિશ્વાસમાં લેવામાં આવી નહોંતી. મોટા માથાને ત્યાં પડેલા આ દરોડા રાજકીય વર્તુળો અને ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે આ વ્યક્તિ કોણ છે તેને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે પણ આવક વેરા વિભાગ આ અંગે જાણકારી આપે છે કે નહીં તેના પર સૌની નજર છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી