Breaking News : Loksabhaની તારીખો અંગે આવતી કાલે થશે એલાન, Election Commission આટલા વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ


  • Published By :
  • Published Date : 2024-03-15 13:10:57

છેલ્લા ઘણા સમયથી લોકસભા ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી હતી ત્યારે એવી માહિતી સામે આવી છે કે આવતી કાલે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરવાની છે. લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર કરવામાં આવશે. અને સાથે સાથે અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પણ તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી આપવામાં આવશે. ગુજરાતમાંં એક જ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવનાઓ છે.  

આવતી કાલે થશે ચૂંટણીની તારીખોનું એલાન

લોકસભા ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આવતી કાલે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અને તે બાદ આચાર સંહિતા લાગુ થઈ જશે. આવતી કાલે બપોરે 3 વાગે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તારીખોની જાહેરાત કરવામાં આવશે. આવતી કાલે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. લોકસભા ચૂંટણી અનેક તબક્કાવાર જાહેર કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે 7કે 8 તબક્કામાં આ ચૂંટણીનું આયોજન કરવામાં આવી શકે છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દીધી છે. આજે આને લઈ બેઠકનું પણ આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું.    



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.