Breaking News : Loksabhaની તારીખો અંગે આવતી કાલે થશે એલાન, Election Commission આટલા વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-15 13:10:57

છેલ્લા ઘણા સમયથી લોકસભા ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી હતી ત્યારે એવી માહિતી સામે આવી છે કે આવતી કાલે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરવાની છે. લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર કરવામાં આવશે. અને સાથે સાથે અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પણ તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી આપવામાં આવશે. ગુજરાતમાંં એક જ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવનાઓ છે.  

આવતી કાલે થશે ચૂંટણીની તારીખોનું એલાન

લોકસભા ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આવતી કાલે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અને તે બાદ આચાર સંહિતા લાગુ થઈ જશે. આવતી કાલે બપોરે 3 વાગે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તારીખોની જાહેરાત કરવામાં આવશે. આવતી કાલે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. લોકસભા ચૂંટણી અનેક તબક્કાવાર જાહેર કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે 7કે 8 તબક્કામાં આ ચૂંટણીનું આયોજન કરવામાં આવી શકે છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દીધી છે. આજે આને લઈ બેઠકનું પણ આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું.    



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.