Breaking News : Loksabhaની તારીખો અંગે આવતી કાલે થશે એલાન, Election Commission આટલા વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ


  • Published By :
  • Published Date : 2024-03-15 13:10:57

છેલ્લા ઘણા સમયથી લોકસભા ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી હતી ત્યારે એવી માહિતી સામે આવી છે કે આવતી કાલે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરવાની છે. લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર કરવામાં આવશે. અને સાથે સાથે અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પણ તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી આપવામાં આવશે. ગુજરાતમાંં એક જ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવનાઓ છે.  

આવતી કાલે થશે ચૂંટણીની તારીખોનું એલાન

લોકસભા ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આવતી કાલે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અને તે બાદ આચાર સંહિતા લાગુ થઈ જશે. આવતી કાલે બપોરે 3 વાગે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તારીખોની જાહેરાત કરવામાં આવશે. આવતી કાલે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. લોકસભા ચૂંટણી અનેક તબક્કાવાર જાહેર કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે 7કે 8 તબક્કામાં આ ચૂંટણીનું આયોજન કરવામાં આવી શકે છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દીધી છે. આજે આને લઈ બેઠકનું પણ આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.