Breaking News : Loksabhaની તારીખો અંગે આવતી કાલે થશે એલાન, Election Commission આટલા વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ


  • Published By :
  • Published Date : 2024-03-15 13:10:57

છેલ્લા ઘણા સમયથી લોકસભા ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી હતી ત્યારે એવી માહિતી સામે આવી છે કે આવતી કાલે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરવાની છે. લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર કરવામાં આવશે. અને સાથે સાથે અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પણ તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી આપવામાં આવશે. ગુજરાતમાંં એક જ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવનાઓ છે.  

આવતી કાલે થશે ચૂંટણીની તારીખોનું એલાન

લોકસભા ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આવતી કાલે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અને તે બાદ આચાર સંહિતા લાગુ થઈ જશે. આવતી કાલે બપોરે 3 વાગે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તારીખોની જાહેરાત કરવામાં આવશે. આવતી કાલે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. લોકસભા ચૂંટણી અનેક તબક્કાવાર જાહેર કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે 7કે 8 તબક્કામાં આ ચૂંટણીનું આયોજન કરવામાં આવી શકે છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દીધી છે. આજે આને લઈ બેઠકનું પણ આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું.    



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .