Breaking News : વધુ એક Congressના ધારાસભ્યની પડી વિકેટ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-03-06 18:05:14

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતી કાલે ગુજરાતમાં પ્રવેશવાની છે તે પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા માટે ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં રાજીનામું આપ્યું છે તેવી માહિતી સામે આવી છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કોંગ્રેસને કરવાની હોય પરંતુ કોંગ્રેસે પોતાના સંગઠન પર ધ્યાન રાખવું જોઈએ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય, નેતાઓ પક્ષને રામ રામ કરી રહ્યા છે અને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે.

ભાજપમાં ગમે ત્યારે ધારાસભ્ય જોડાઈ શકે છે!

કોંગ્રેસનું સંગઠન દિન પ્રતિદિન નબળું પડી રહ્યું છે. એક બાદ એક નેતાઓ, ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે આજે કોંગ્રેસને ફરી એક વખત મોટો ઝટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય તરીકે અરવિંદ લાડાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. તે સિવાય કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે જ્યારે કનુભાઈ કલસરિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. ભાજપમાં ફરીથી ભરતી મેળો શરૂ થયો છે અને આ વખતે ભરતી મેળામાં અરવિંદ લાડાણી, કનુભાઈ કલસારિયા ભાજપમાં જોડાઈ શકે છે. હવે તે ક્ષણની રાહ જોવાની રહી જ્યારે તે કેસરિયો ધારણ કરશે..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.