Breaking News : વધુ એક Congressના ધારાસભ્યની પડી વિકેટ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-03-06 18:05:14

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતી કાલે ગુજરાતમાં પ્રવેશવાની છે તે પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા માટે ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં રાજીનામું આપ્યું છે તેવી માહિતી સામે આવી છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કોંગ્રેસને કરવાની હોય પરંતુ કોંગ્રેસે પોતાના સંગઠન પર ધ્યાન રાખવું જોઈએ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય, નેતાઓ પક્ષને રામ રામ કરી રહ્યા છે અને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે.

ભાજપમાં ગમે ત્યારે ધારાસભ્ય જોડાઈ શકે છે!

કોંગ્રેસનું સંગઠન દિન પ્રતિદિન નબળું પડી રહ્યું છે. એક બાદ એક નેતાઓ, ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે આજે કોંગ્રેસને ફરી એક વખત મોટો ઝટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય તરીકે અરવિંદ લાડાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. તે સિવાય કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે જ્યારે કનુભાઈ કલસરિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. ભાજપમાં ફરીથી ભરતી મેળો શરૂ થયો છે અને આ વખતે ભરતી મેળામાં અરવિંદ લાડાણી, કનુભાઈ કલસારિયા ભાજપમાં જોડાઈ શકે છે. હવે તે ક્ષણની રાહ જોવાની રહી જ્યારે તે કેસરિયો ધારણ કરશે..  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.