Breaking News : વધુ એક Congressના ધારાસભ્યની પડી વિકેટ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-06 18:05:14

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતી કાલે ગુજરાતમાં પ્રવેશવાની છે તે પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા માટે ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં રાજીનામું આપ્યું છે તેવી માહિતી સામે આવી છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કોંગ્રેસને કરવાની હોય પરંતુ કોંગ્રેસે પોતાના સંગઠન પર ધ્યાન રાખવું જોઈએ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય, નેતાઓ પક્ષને રામ રામ કરી રહ્યા છે અને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે.

ભાજપમાં ગમે ત્યારે ધારાસભ્ય જોડાઈ શકે છે!

કોંગ્રેસનું સંગઠન દિન પ્રતિદિન નબળું પડી રહ્યું છે. એક બાદ એક નેતાઓ, ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે આજે કોંગ્રેસને ફરી એક વખત મોટો ઝટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય તરીકે અરવિંદ લાડાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. તે સિવાય કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે જ્યારે કનુભાઈ કલસરિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. ભાજપમાં ફરીથી ભરતી મેળો શરૂ થયો છે અને આ વખતે ભરતી મેળામાં અરવિંદ લાડાણી, કનુભાઈ કલસારિયા ભાજપમાં જોડાઈ શકે છે. હવે તે ક્ષણની રાહ જોવાની રહી જ્યારે તે કેસરિયો ધારણ કરશે..  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.