Breaking News : વધુ એક Congressના ધારાસભ્યની પડી વિકેટ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-03-06 18:05:14

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતી કાલે ગુજરાતમાં પ્રવેશવાની છે તે પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા માટે ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં રાજીનામું આપ્યું છે તેવી માહિતી સામે આવી છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કોંગ્રેસને કરવાની હોય પરંતુ કોંગ્રેસે પોતાના સંગઠન પર ધ્યાન રાખવું જોઈએ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય, નેતાઓ પક્ષને રામ રામ કરી રહ્યા છે અને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે.

ભાજપમાં ગમે ત્યારે ધારાસભ્ય જોડાઈ શકે છે!

કોંગ્રેસનું સંગઠન દિન પ્રતિદિન નબળું પડી રહ્યું છે. એક બાદ એક નેતાઓ, ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે આજે કોંગ્રેસને ફરી એક વખત મોટો ઝટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય તરીકે અરવિંદ લાડાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. તે સિવાય કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે જ્યારે કનુભાઈ કલસરિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. ભાજપમાં ફરીથી ભરતી મેળો શરૂ થયો છે અને આ વખતે ભરતી મેળામાં અરવિંદ લાડાણી, કનુભાઈ કલસારિયા ભાજપમાં જોડાઈ શકે છે. હવે તે ક્ષણની રાહ જોવાની રહી જ્યારે તે કેસરિયો ધારણ કરશે..  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે