Breaking News : કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની કરાઈ હત્યા! સુખા દુન્નાકને મરાઈ 15 ગોળીઓ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-21 11:19:36

હરદીપ નિજ્જરની હત્યાને લઈ કેનેડાના વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ બંને દેશો એટલે કે ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. બંને દેશો દ્વારા ત્વરીત કાર્યવાહી પણ કરવામાં આવી. ત્યારે આજે કેનેડામાં એ-કેટેગરીના ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 2017માં નકલી પાસપોર્ટ બનાવી તે પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સુખા દુન્નાકેને ગોળી કેનેડાના વિનીપેગમાં મારવામાં આવી છે. 15 ગોળી મારી તેની હત્યા કરવામાં આવી છે.


એનઆઈએના લિસ્ટમાં સામેલ હતું સુખવિંદર સિંહનું નામ 

ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી છે. કેનેડાના પીએમે સંભાવના વ્યક્ત કરતા સંસદમાં કહ્યું હતું કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધો બગડ્યા હતા. કેનેડામાં રહેતા ભારતીયો માટે ભારતના પ્રશાસન દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી. ત્યારે આજે કેનેડામાં ગેંગસ્ટર સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા ગોળી મારીને કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે એનઆઈએ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગેંગસ્ટર તેમજ આતંકવાદીઓની લિસ્ટમાં તેનું નામ પણ હતું. આ લિસ્ટમાં 41 જેટલા આતંકવાદીઓના નામનો સમાવેશ થાય છે. કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના બની છે. 


15 ગોળી મારી કરાઈ આતંકવાદીની હત્યા!

જે આતંકવાદીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તે એ કેટેગરીનો આતંકી છે. 2017માં પંજાબથી તે નકલી પાસપોર્ટ બનાવી કેનેડા ભાગી ગયો હતો. કેનેડાની પીનીપેગ સિટીમાં તેની હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેને 15 ગોળીઓ મારવામાં આવી હતી. 

 


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.