Breaking News : કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની કરાઈ હત્યા! સુખા દુન્નાકને મરાઈ 15 ગોળીઓ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-21 11:19:36

હરદીપ નિજ્જરની હત્યાને લઈ કેનેડાના વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ બંને દેશો એટલે કે ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. બંને દેશો દ્વારા ત્વરીત કાર્યવાહી પણ કરવામાં આવી. ત્યારે આજે કેનેડામાં એ-કેટેગરીના ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 2017માં નકલી પાસપોર્ટ બનાવી તે પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સુખા દુન્નાકેને ગોળી કેનેડાના વિનીપેગમાં મારવામાં આવી છે. 15 ગોળી મારી તેની હત્યા કરવામાં આવી છે.


એનઆઈએના લિસ્ટમાં સામેલ હતું સુખવિંદર સિંહનું નામ 

ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી છે. કેનેડાના પીએમે સંભાવના વ્યક્ત કરતા સંસદમાં કહ્યું હતું કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધો બગડ્યા હતા. કેનેડામાં રહેતા ભારતીયો માટે ભારતના પ્રશાસન દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી. ત્યારે આજે કેનેડામાં ગેંગસ્ટર સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા ગોળી મારીને કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે એનઆઈએ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગેંગસ્ટર તેમજ આતંકવાદીઓની લિસ્ટમાં તેનું નામ પણ હતું. આ લિસ્ટમાં 41 જેટલા આતંકવાદીઓના નામનો સમાવેશ થાય છે. કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના બની છે. 


15 ગોળી મારી કરાઈ આતંકવાદીની હત્યા!

જે આતંકવાદીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તે એ કેટેગરીનો આતંકી છે. 2017માં પંજાબથી તે નકલી પાસપોર્ટ બનાવી કેનેડા ભાગી ગયો હતો. કેનેડાની પીનીપેગ સિટીમાં તેની હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેને 15 ગોળીઓ મારવામાં આવી હતી. 

 


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.