Breaking News : કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની કરાઈ હત્યા! સુખા દુન્નાકને મરાઈ 15 ગોળીઓ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-21 11:19:36

હરદીપ નિજ્જરની હત્યાને લઈ કેનેડાના વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ બંને દેશો એટલે કે ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. બંને દેશો દ્વારા ત્વરીત કાર્યવાહી પણ કરવામાં આવી. ત્યારે આજે કેનેડામાં એ-કેટેગરીના ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 2017માં નકલી પાસપોર્ટ બનાવી તે પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સુખા દુન્નાકેને ગોળી કેનેડાના વિનીપેગમાં મારવામાં આવી છે. 15 ગોળી મારી તેની હત્યા કરવામાં આવી છે.


એનઆઈએના લિસ્ટમાં સામેલ હતું સુખવિંદર સિંહનું નામ 

ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી છે. કેનેડાના પીએમે સંભાવના વ્યક્ત કરતા સંસદમાં કહ્યું હતું કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધો બગડ્યા હતા. કેનેડામાં રહેતા ભારતીયો માટે ભારતના પ્રશાસન દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી. ત્યારે આજે કેનેડામાં ગેંગસ્ટર સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા ગોળી મારીને કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે એનઆઈએ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગેંગસ્ટર તેમજ આતંકવાદીઓની લિસ્ટમાં તેનું નામ પણ હતું. આ લિસ્ટમાં 41 જેટલા આતંકવાદીઓના નામનો સમાવેશ થાય છે. કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના બની છે. 


15 ગોળી મારી કરાઈ આતંકવાદીની હત્યા!

જે આતંકવાદીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તે એ કેટેગરીનો આતંકી છે. 2017માં પંજાબથી તે નકલી પાસપોર્ટ બનાવી કેનેડા ભાગી ગયો હતો. કેનેડાની પીનીપેગ સિટીમાં તેની હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેને 15 ગોળીઓ મારવામાં આવી હતી. 

 


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .