Breaking News - Swati Maliwal Caseમાં આવી મોટી update, કેજરીવાલના PA બિભવ કુમાર પોલીસ હિરાસતમાં! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 13:36:38

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતી માલીવાલ  થોડા દિવસોથી ચર્ચામાં છે.. તેમણે અરવિંદ કેજરીવાલના પીએમ બિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો છે.. 13મેના રોજ તેમની પર હુમલો કરાયો છે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી.. આને લઈ રાજનીતિ પણ ગરમાઈ.. સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યો આ અંગે સવાલ

સ્વાતી માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએ પર મારપીટ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.. આ મામલે એકબાદ એક અનેક વીડિયો સામે આવી રહ્યા છે.. ગઈકાલે પણ એક વીડિયો આવ્યો હતો સામે ત્યારે આજે પણ વીડિયો સામે આવ્યો છે. આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. બીજેપી આમ આદમી પાર્ટીને ઘેરવાની કોશિશ કરી રહી છે તો આપ ભાજપ પર આરોપ લગાવી રહી છે. બે દિવસ પહેલા જ્યારે અરવિંદ કેજરીવાલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાત પર જવાબ આપવાનું ટાળ્યું હતું.. 


સ્વાતી માલીવાલે કરી હતી પોલીસ ફરિયાદ 

સ્વાતી માલીવાલે પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ કાલે તે કોર્ટમાં હાજર થયા હતા. એફઆઈઆરની કોપી પણ સામે આવી છે જેમાં અનેક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ બધા વચ્ચે બિભવ કુમાર પોલીસ કસ્ટડીમાં છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.