Breaking News - Swati Maliwal Caseમાં આવી મોટી update, કેજરીવાલના PA બિભવ કુમાર પોલીસ હિરાસતમાં! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 13:36:38

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતી માલીવાલ  થોડા દિવસોથી ચર્ચામાં છે.. તેમણે અરવિંદ કેજરીવાલના પીએમ બિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો છે.. 13મેના રોજ તેમની પર હુમલો કરાયો છે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી.. આને લઈ રાજનીતિ પણ ગરમાઈ.. સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યો આ અંગે સવાલ

સ્વાતી માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએ પર મારપીટ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.. આ મામલે એકબાદ એક અનેક વીડિયો સામે આવી રહ્યા છે.. ગઈકાલે પણ એક વીડિયો આવ્યો હતો સામે ત્યારે આજે પણ વીડિયો સામે આવ્યો છે. આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. બીજેપી આમ આદમી પાર્ટીને ઘેરવાની કોશિશ કરી રહી છે તો આપ ભાજપ પર આરોપ લગાવી રહી છે. બે દિવસ પહેલા જ્યારે અરવિંદ કેજરીવાલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાત પર જવાબ આપવાનું ટાળ્યું હતું.. 


સ્વાતી માલીવાલે કરી હતી પોલીસ ફરિયાદ 

સ્વાતી માલીવાલે પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ કાલે તે કોર્ટમાં હાજર થયા હતા. એફઆઈઆરની કોપી પણ સામે આવી છે જેમાં અનેક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ બધા વચ્ચે બિભવ કુમાર પોલીસ કસ્ટડીમાં છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.     



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .