Breaking News : Rahul Gandhiને Supreme Courtએ મોદી સરનેમ કેસમાં આપી મોટી રાહત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-04 14:30:53

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફટકારવામાં આવેલી સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતને કારણે તે લોકસભાની ચૂંટણી પણ લડી શકશે અને તેમનું સાંસદ પદ પણ પાછુ મળી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે . 

 

ગુજરાત હાઈકોર્ટમાં પકડારવામાં આવી હતી સજા  

2019ના રોજ એક જનસભામાં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ બાદ મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચના રોજ ગુજરાતની સેશન્સ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેને કારણે તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. તે બાદ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. સાત જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચૂકાદાને માન્ય રાખ્યો હતો. અને બે વર્ષની સજાને યથાવત રાખી હતી.


સુપ્રીમ કોર્ટે પૂર્ણેશ મોદીના વકીલને પૂછ્યા હતા અનેક સવાલ! 

સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો કેસ અભિષેક મનુ સિંઘવી લડી રહ્યા હતા જ્યારે પૂર્ણેશ મોદીનો કેસ મહેશ જેઠમલાણી લડી રહ્યા હતા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે આ કેસમાં મહત્તમ સજા શા માટે? તેમને (રાહુલ ગાંધી)ને ઓછી સજા આપી શકાઈ હોત પરંતુ શા માટે મહત્તમ સજા ફટકારવામાં આવી? રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીની અસલ સરનેમ મોદી નથી, પરંતુ તેમણે બાદમાં પોતાની અટક મોદી કરાવી છે.       

v


રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .