Breaking News : Rahul Gandhiને Supreme Courtએ મોદી સરનેમ કેસમાં આપી મોટી રાહત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-04 14:30:53

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફટકારવામાં આવેલી સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતને કારણે તે લોકસભાની ચૂંટણી પણ લડી શકશે અને તેમનું સાંસદ પદ પણ પાછુ મળી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે . 

 

ગુજરાત હાઈકોર્ટમાં પકડારવામાં આવી હતી સજા  

2019ના રોજ એક જનસભામાં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ બાદ મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચના રોજ ગુજરાતની સેશન્સ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેને કારણે તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. તે બાદ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. સાત જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચૂકાદાને માન્ય રાખ્યો હતો. અને બે વર્ષની સજાને યથાવત રાખી હતી.


સુપ્રીમ કોર્ટે પૂર્ણેશ મોદીના વકીલને પૂછ્યા હતા અનેક સવાલ! 

સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો કેસ અભિષેક મનુ સિંઘવી લડી રહ્યા હતા જ્યારે પૂર્ણેશ મોદીનો કેસ મહેશ જેઠમલાણી લડી રહ્યા હતા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે આ કેસમાં મહત્તમ સજા શા માટે? તેમને (રાહુલ ગાંધી)ને ઓછી સજા આપી શકાઈ હોત પરંતુ શા માટે મહત્તમ સજા ફટકારવામાં આવી? રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીની અસલ સરનેમ મોદી નથી, પરંતુ તેમણે બાદમાં પોતાની અટક મોદી કરાવી છે.       

v


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.