Breaking News : Sikkimમાં વાદળ ફાટતા તીસ્તા નદીમાં આવ્યું પૂર, સેનાના જવાનો થયા લાપતા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 09:53:22

દેશના અનેક રાજ્યોમાં વરસાદે ભારે બેટિંગ કરી છે. એટલો બધો વરસાદ વરસ્યો કે ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે સિક્કિમમાં લ્હોનક ઝીલ ઉપર અચાનક વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂરમાં સેનાના 23 જવાનો લાપતા થઈ ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષાકર્મીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. જવાનોને શોધવા માટે તપાસ ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે જે જગ્યા પર આ ઘટના બની તે જગ્યાની મુલાકાત સિક્કમના મુખ્યમંત્રીએ લીધી છે.

 

આભ ફાટવાને કારણે નદીમાં આવ્યું પૂર  

વાદળ ફાટવાને કારણે અનેક વખત તારાજી સર્જાય છે. ઘણા વર્ષો પહેલા ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું. એ ઘટનામાં બહુ મોટું નુકસાન થયું હતું. એ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં ઘણા વર્ષો વિત્યા હતા ત્યારે સિક્કિમમાં પણ વાદળ ફાટવાની ઘટના બની છે. સિક્કિમમાં કુદરતી આફત આવી છે. આભ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઘટનામાં સેનાના 23 જેટલા જવાનો લાપતા થઈ ગયા છે. આર્મી જવાનોનો ક્યાં જતા રહ્યા તે જાણી શકાયું નથી.

 


સૈનાના વાહનો આવ્યા પૂરની ચપેટમાં 

ઉત્તર સિક્કિમમાં લ્હોનક સરોવર પર વાદળ ફાટ્યું જેને કારણે નદીમાં ભયંકર પૂર આવ્યું. નદીમાં પૂર આવવાને કારણે ખીણમાં પાણી આવી પહોંચ્યું હતું. અને પૂરે પોતાની લપેટામાં સેનાના જવાનો આવી ગયા છે.  સિંગતામ નજીક બારદાંગમાં ઊભેલા સૈન્ય વાહનો પણ પૂરની લપેટમાં આવી ગયા હતા અને તેના લીધે સૈન્યના 23 જવાનો ગુમ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.