Breaking News : Sikkimમાં વાદળ ફાટતા તીસ્તા નદીમાં આવ્યું પૂર, સેનાના જવાનો થયા લાપતા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 09:53:22

દેશના અનેક રાજ્યોમાં વરસાદે ભારે બેટિંગ કરી છે. એટલો બધો વરસાદ વરસ્યો કે ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે સિક્કિમમાં લ્હોનક ઝીલ ઉપર અચાનક વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂરમાં સેનાના 23 જવાનો લાપતા થઈ ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષાકર્મીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. જવાનોને શોધવા માટે તપાસ ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે જે જગ્યા પર આ ઘટના બની તે જગ્યાની મુલાકાત સિક્કમના મુખ્યમંત્રીએ લીધી છે.

 

આભ ફાટવાને કારણે નદીમાં આવ્યું પૂર  

વાદળ ફાટવાને કારણે અનેક વખત તારાજી સર્જાય છે. ઘણા વર્ષો પહેલા ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું. એ ઘટનામાં બહુ મોટું નુકસાન થયું હતું. એ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં ઘણા વર્ષો વિત્યા હતા ત્યારે સિક્કિમમાં પણ વાદળ ફાટવાની ઘટના બની છે. સિક્કિમમાં કુદરતી આફત આવી છે. આભ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઘટનામાં સેનાના 23 જેટલા જવાનો લાપતા થઈ ગયા છે. આર્મી જવાનોનો ક્યાં જતા રહ્યા તે જાણી શકાયું નથી.

 


સૈનાના વાહનો આવ્યા પૂરની ચપેટમાં 

ઉત્તર સિક્કિમમાં લ્હોનક સરોવર પર વાદળ ફાટ્યું જેને કારણે નદીમાં ભયંકર પૂર આવ્યું. નદીમાં પૂર આવવાને કારણે ખીણમાં પાણી આવી પહોંચ્યું હતું. અને પૂરે પોતાની લપેટામાં સેનાના જવાનો આવી ગયા છે.  સિંગતામ નજીક બારદાંગમાં ઊભેલા સૈન્ય વાહનો પણ પૂરની લપેટમાં આવી ગયા હતા અને તેના લીધે સૈન્યના 23 જવાનો ગુમ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .