Breaking News : તોડકાંડને લઈ સૌથી મોટા સમાચાર, યુવરાજસિંહના જામીન કોર્ટે કર્યા મંજૂર


  • Published By :
  • Published Date : 2023-07-24 15:48:45

 યુવરાજસિંહ જાડેજાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુવરાજસિંહના જામીનને કોર્ટે મંજૂર કર્યા છે. મહત્વનું છે કે તોડકાંડમાં યુવરાજસિંહ સહિત 6 લોકો સામે કેસ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ સિવાય તમામ પાંચ લોકોના જામીન કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. ત્યારે આજે યુવરાજસિંહના જામીન મંજૂર કર્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાની વાત યુવરાજસિંહ દ્વારા બહાર લાવવામાં આવી હતી. ભાવનગર કોર્ટે યુવરાજસિંહને ગુજરાત ના છોડવાની શરતે જામીન મંજૂર કર્યા છે.   

ભાવનગર કોર્ટે યુવરાજસિંહના જામીન કર્યા મંજૂર

થોડા મહિનાઓ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડાતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તે બાદ આ મામલે પોલીસ ખુદ ફરિયાદી બની હતી. ડમીકાંડ મામલે તપાસ કરવામાં આવી રહી તેમ તેમ અનેક અનેક આરોપીઓની ધરપકડ થતી ગઈ. ડમીકાંડ મામલે તપાસ ચાલી રહી હતી તે બધા વચ્ચે યુવરાજસિંહ પર તોડકાંડનો આરોપ લાગ્યો. આ મામલે તપાસ ચાલતી હતી તે દરમિયાન યુવરાજસિંહ સહિત 5 પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સમય જતા જતા યુવરાજસિંહ સિવાય તોડકાંડના આરોપીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. ત્યારે આજે યુવરાજસિંહને ભાવનગર કોર્ટ સમક્ષ જામીન માટે રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે યુવરાજસિંહના જામીન મંજૂર કર્યા છે. 


તોડકાંડમાં 6 લોકોની કરાઈ હતી ધરપકડ

ઉલ્લેખનિય છે કે યુવરાજસિંહે જામીન માટે અનેક વખત અરજી કરી હતી. 15 જુલાઈના રોજ જામીન માટે અરજી દાખલ કરવામાં હતી. તેમાં યુવરાજસિંહના વકીલ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા છે. 18 જુલાઈના રોજ તપાસ અધિકારી દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે 24 જુલાઈએ ભાવનગર કોર્ટે યુવરાજસિંહના જામીનને મંજૂર કરી દીધા છે. મહત્વનું છે કે આ કેસમાં યુવરાજસિંહના બે સાળા, બિપિન ત્રિવેદી, ધનશ્યામ લાધવા તેમજ રાજુની ધરપકડ ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે આની પહેલા જ્યારે મીડિયા સમક્ષ યુવરાજસિંહ હાજર થયા હતા ત્યારે તેમણે  કહ્યું હતું કે ફિલ્મ તો હજી બાકી છે. હવે જોવું એ રહ્યું કે બહાર આવ્યા બાદ યુવરાજસિંહ કયા મોટા ખુલાસા કરી શકે છે?  યુવરાજસિંહને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી.   



થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .