દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ , કોઈક મોટી ગતિવિધિના એંધાણ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-09 17:23:34

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે? 

BJP West Bengal - Schedule of Shri. Amit Shah, Home Minister on  19.12.2020BJP West Bengal

સૌપ્રથમ વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહની , તો તેમણે IB એટલેકે ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ તપન ડેકા સાથે મિટિંગ યોજી છે. આ સાથે જ વિવિધ અર્ધલશ્કરી દળોના DG જેમ કે BSFના DG દલજિતસિંહ ચૌધરી , CISFના DG રાજવીન્દર સિંહ ભટ્ટી પણ બેઠકમાં હાજર હતા. સાથે જ સંભાવના છે કે આવનારા સમયમાં NSA અજિત ડોવાલ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજી શકે છે. વાત રક્ષામંત્રીની રાજનાથ સિંહની , તો તેમણે સાઉથ બ્લોકમાં બેઠક યોજી છે.  જેમાં CDS અનિલ ચૌહાણ , ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી , ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી , એરચીફ માર્શલ એ પી સિંહ , સાથે જ ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ હાજર હતા .

Rajnath Singh

વાત કરીએ અન્ય મંત્રાલયોની તો , હેલ્થ મિનિસ્ટર જેપી નડ્ડાએ બેઠક યોજી હતી જેમાં તેમણે દેશની આ પરિસ્થિતિઓમાં આરોગ્યની સેવાઓ વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી હતી. સાથે જ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્તમાન પરિસ્થિતિઓને લઇને ચર્ચા હાથ ધરી છે. 



ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે, પશુપાલકોને ભાવફેર પેટે , ૪૩૭ કરોડ આપવામાં આવશે. આ નિર્ણય દૂધસાગર ડેરીની ૬૫મી સામાન્ય સભામાં જાહેર કરવામાં આવ્યો છે . આ ઉપરાંત પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોની સ્થિતિમાં સુધારો આવે . આમ દૂધસાગર ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે .