દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ , કોઈક મોટી ગતિવિધિના એંધાણ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-09 17:23:34

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે? 

BJP West Bengal - Schedule of Shri. Amit Shah, Home Minister on  19.12.2020BJP West Bengal

સૌપ્રથમ વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહની , તો તેમણે IB એટલેકે ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ તપન ડેકા સાથે મિટિંગ યોજી છે. આ સાથે જ વિવિધ અર્ધલશ્કરી દળોના DG જેમ કે BSFના DG દલજિતસિંહ ચૌધરી , CISFના DG રાજવીન્દર સિંહ ભટ્ટી પણ બેઠકમાં હાજર હતા. સાથે જ સંભાવના છે કે આવનારા સમયમાં NSA અજિત ડોવાલ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજી શકે છે. વાત રક્ષામંત્રીની રાજનાથ સિંહની , તો તેમણે સાઉથ બ્લોકમાં બેઠક યોજી છે.  જેમાં CDS અનિલ ચૌહાણ , ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી , ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી , એરચીફ માર્શલ એ પી સિંહ , સાથે જ ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ હાજર હતા .

Rajnath Singh

વાત કરીએ અન્ય મંત્રાલયોની તો , હેલ્થ મિનિસ્ટર જેપી નડ્ડાએ બેઠક યોજી હતી જેમાં તેમણે દેશની આ પરિસ્થિતિઓમાં આરોગ્યની સેવાઓ વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી હતી. સાથે જ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્તમાન પરિસ્થિતિઓને લઇને ચર્ચા હાથ ધરી છે. 



થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .