દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ , કોઈક મોટી ગતિવિધિના એંધાણ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-09 17:23:34

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે? 

BJP West Bengal - Schedule of Shri. Amit Shah, Home Minister on  19.12.2020BJP West Bengal

સૌપ્રથમ વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહની , તો તેમણે IB એટલેકે ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ તપન ડેકા સાથે મિટિંગ યોજી છે. આ સાથે જ વિવિધ અર્ધલશ્કરી દળોના DG જેમ કે BSFના DG દલજિતસિંહ ચૌધરી , CISFના DG રાજવીન્દર સિંહ ભટ્ટી પણ બેઠકમાં હાજર હતા. સાથે જ સંભાવના છે કે આવનારા સમયમાં NSA અજિત ડોવાલ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજી શકે છે. વાત રક્ષામંત્રીની રાજનાથ સિંહની , તો તેમણે સાઉથ બ્લોકમાં બેઠક યોજી છે.  જેમાં CDS અનિલ ચૌહાણ , ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી , ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી , એરચીફ માર્શલ એ પી સિંહ , સાથે જ ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ હાજર હતા .

Rajnath Singh

વાત કરીએ અન્ય મંત્રાલયોની તો , હેલ્થ મિનિસ્ટર જેપી નડ્ડાએ બેઠક યોજી હતી જેમાં તેમણે દેશની આ પરિસ્થિતિઓમાં આરોગ્યની સેવાઓ વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી હતી. સાથે જ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્તમાન પરિસ્થિતિઓને લઇને ચર્ચા હાથ ધરી છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.