દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ , કોઈક મોટી ગતિવિધિના એંધાણ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-09 17:23:34

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે? 

BJP West Bengal - Schedule of Shri. Amit Shah, Home Minister on  19.12.2020BJP West Bengal

સૌપ્રથમ વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહની , તો તેમણે IB એટલેકે ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ તપન ડેકા સાથે મિટિંગ યોજી છે. આ સાથે જ વિવિધ અર્ધલશ્કરી દળોના DG જેમ કે BSFના DG દલજિતસિંહ ચૌધરી , CISFના DG રાજવીન્દર સિંહ ભટ્ટી પણ બેઠકમાં હાજર હતા. સાથે જ સંભાવના છે કે આવનારા સમયમાં NSA અજિત ડોવાલ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજી શકે છે. વાત રક્ષામંત્રીની રાજનાથ સિંહની , તો તેમણે સાઉથ બ્લોકમાં બેઠક યોજી છે.  જેમાં CDS અનિલ ચૌહાણ , ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી , ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી , એરચીફ માર્શલ એ પી સિંહ , સાથે જ ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ હાજર હતા .

Rajnath Singh

વાત કરીએ અન્ય મંત્રાલયોની તો , હેલ્થ મિનિસ્ટર જેપી નડ્ડાએ બેઠક યોજી હતી જેમાં તેમણે દેશની આ પરિસ્થિતિઓમાં આરોગ્યની સેવાઓ વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી હતી. સાથે જ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્તમાન પરિસ્થિતિઓને લઇને ચર્ચા હાથ ધરી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.