Breaking News : સંતરામપુર બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય, ફરીથી થશે મતદાન


  • Published By :
  • Published Date : 2024-05-09 15:06:15

ગઈકાલે મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બુથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું. ચૂંટણી પંચ દ્વારા આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બૂથ પર 11મી તારીખે ફરી મતદાન થવાનું છે.. ગુજરાતમાં સાતમી તારીખે મતદાન યોજાયું.. આખી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ.. પરંતુ ગઈકાલ બપોરે એક વીડિયો સામે આવ્યો. મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી. વિજય ભાભોર નામનો વ્યક્તિ પોલીંગ બૂથ પર પહોંચી જાય છે અને ત્યાંથી ઈન્સ્ટા લાઈવ કરે છે...  

લાઈવ દરમિયાન વિજય ભાભોર કહેતો હતો કે...

સંતરામપુરના પરથમપુર ગામના બૂથનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેણે બૂથ પર હાજર કર્મચારીઓ માટે અપશબ્દ વાપર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણે લાઈવ કર્યું અને ઈવીએમ હાઈઝેક કર્યું...! વીડિયોમાં તે કહી રહ્યો છે કે અહીં એકનું જ ચાલે વિજય ભોભારનું.. તે કહી રહ્યો છે બે પાંચ મિનીટ હજુ ચાલવા દો, અમે બેઠા જ છીએ, આખો દિવસ ચાલે જ છે ને અમે દબાવીએ તો શું થઈ ગયું? ચાલવા દો આવી રીતે જ ચાલે.. મશીન બશીન આપડા બાપનું જ છે. ફટાફટ પતાવો, નહીં તો મશીન હમણા ઘેર લઈ જએ.. વિજય ભાભોર ભાજપના નેતા રમેશ ભાભોરનો છોકરો છે.. 


11 તારીખે ફરી થશે ચૂંટણી આ બૂથ પર 

આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સવાલો અનેક થયા.. ત્યાં હાજર અધિકારીઓ પર સવાલ થાય.. વિજય ભાભોરમાં આવું કૃત્ય કરવાની હિંમત ક્યાંથી આવી? આ વીડિયો સામે આવ્યા બાદ થોડા કલાકોની અંદર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.. તે હાલ પોલીસ કસ્ટડીમાં છે.. આ બૂથ પર ફરીથી મતદાન કરાવવામાં આવે તેવી માગ ઉઠી હતી ત્યારે આજે ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બૂથ પર ફરી મતદાન યોજાશે 11 તારીખે.. આશા રાખીએ કે આવી ઘટના ફરીથી ના બને..!

   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.