Breaking News : સંતરામપુર બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય, ફરીથી થશે મતદાન


  • Published By :
  • Published Date : 2024-05-09 15:06:15

ગઈકાલે મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બુથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું. ચૂંટણી પંચ દ્વારા આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બૂથ પર 11મી તારીખે ફરી મતદાન થવાનું છે.. ગુજરાતમાં સાતમી તારીખે મતદાન યોજાયું.. આખી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ.. પરંતુ ગઈકાલ બપોરે એક વીડિયો સામે આવ્યો. મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી. વિજય ભાભોર નામનો વ્યક્તિ પોલીંગ બૂથ પર પહોંચી જાય છે અને ત્યાંથી ઈન્સ્ટા લાઈવ કરે છે...  

લાઈવ દરમિયાન વિજય ભાભોર કહેતો હતો કે...

સંતરામપુરના પરથમપુર ગામના બૂથનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેણે બૂથ પર હાજર કર્મચારીઓ માટે અપશબ્દ વાપર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણે લાઈવ કર્યું અને ઈવીએમ હાઈઝેક કર્યું...! વીડિયોમાં તે કહી રહ્યો છે કે અહીં એકનું જ ચાલે વિજય ભોભારનું.. તે કહી રહ્યો છે બે પાંચ મિનીટ હજુ ચાલવા દો, અમે બેઠા જ છીએ, આખો દિવસ ચાલે જ છે ને અમે દબાવીએ તો શું થઈ ગયું? ચાલવા દો આવી રીતે જ ચાલે.. મશીન બશીન આપડા બાપનું જ છે. ફટાફટ પતાવો, નહીં તો મશીન હમણા ઘેર લઈ જએ.. વિજય ભાભોર ભાજપના નેતા રમેશ ભાભોરનો છોકરો છે.. 


11 તારીખે ફરી થશે ચૂંટણી આ બૂથ પર 

આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સવાલો અનેક થયા.. ત્યાં હાજર અધિકારીઓ પર સવાલ થાય.. વિજય ભાભોરમાં આવું કૃત્ય કરવાની હિંમત ક્યાંથી આવી? આ વીડિયો સામે આવ્યા બાદ થોડા કલાકોની અંદર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.. તે હાલ પોલીસ કસ્ટડીમાં છે.. આ બૂથ પર ફરીથી મતદાન કરાવવામાં આવે તેવી માગ ઉઠી હતી ત્યારે આજે ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બૂથ પર ફરી મતદાન યોજાશે 11 તારીખે.. આશા રાખીએ કે આવી ઘટના ફરીથી ના બને..!

   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે